અમેરિકાએ આખરે ચાઈનીઝ જાસૂસી બલૂન તોડી પાડ્યું, બંને દેશો વચ્ચે તંગદિલી વધી


  • Published By :
  • Published Date : 2023-02-05 14:34:49

અમેરિકાએ એક ચાઈનીઝ જાસુસી બલૂનને તોડી પાડ્યું છે. આ ચાઈનીઝ બલુન અમેરિકાની જમીન પર ઉડી રહ્યું હતું. અમેરિકાના મિસાઈલ હુમલા બાદ તે બલુન ટુકડા થઈ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. અમેરિકાની એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું હતું આ બલુનનો એક તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને તોડી પાડ્યું હતું. અમેરિકાના આ પગલાથી ચીન લાલઘુમ થઈ ગયું છે. 


ચાઈનીઝ બલુન જોવા મળતા હડકંપ


બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી અમેરિકાના રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેના એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને જાસુસીના ઉપકરણો હતા. જો તેને તોડી પાડવામાં આવે તો તે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ હતી. જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. 


AIM-9X મિસાઈલનો ઉપયોગ કર્યો


અમેરિકાએ  આ ચાઈનીઝ બલુનને તોડી પાડવા માટે એક AIM-9X સુપરસોનિક હીટ સીકિંગ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.જમીનથી 58 હજાર ફૂટની ઉંચાઈ પર એક F-22 રેપ્ટર ફાઈટર વિમાનની મિસાઈલનો દરવાજો ખોલતાની સાથે જ AIM-9 સાઇડવિન્ડર એર ટુ એર મિસાઈલ બહાર આવી. આ મિસાઈલે લગભગ 60 હજાર ફીટની ઊંચાઈએ ફરતા ચીનના એરિયલ જાસૂસી બલુનને તોડી નાખ્યું હતું. 


બલૂનનો કાટમાળ 7 માઈલ સુધી ફેલાયો


અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે એટલાન્ટિક મહાસાગર તટે લગભગ છ નોટિકલ માઇલ દૂર પ્રમાણમાં છીછરા પાણીમાં બલૂન નીચે લાવવામાં આવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં ચાઈનીઝ સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ટુકડા શોધવા અને તેનું વિશ્લેષણ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. અમેરિકી સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનના બલૂનનો કાટમાળ સમુદ્રના સાત માઈલ સુધી ફેલાયેલો હતો. તેની શોધખોળ માટે ઘણા યુએસ લશ્કરી જહાજો પહેલેથી જ સ્થળ પર તૈનાત છે.


એરશીપ તોડી પાડતા ચીન લાલઘુમ


અમેરિકીમાં તેના એરશીપના તોડી પાડતા ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે અમેરિકાની આ કાર્યવાહી એક રાજકીય સ્ટંટ સિવાય બીજું કંઈ નથી. જરૂર પડ્યે અમે યોગ્ય જવાબ આપીશું. ચીનના આ નિવેદનથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધુ વધી ગયો છે. આના થોડા દિવસો પહેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનનો બલૂન અમેરિકા સુધી પહોંચવાના કારણે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, ચીને દાવો કર્યો હતો કે તે એક નાગરિક એરશીપ છે જે જોરદાર પવનને કારણે અમેરિકા તરફ જતું રહ્યું હતું. જોકે અમેરિકી અધિકારીઓએ ચીનના આ દાવાને ફગાવી દીધો હતો.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.