અમેરિકાએ આખરે ચાઈનીઝ જાસૂસી બલૂન તોડી પાડ્યું, બંને દેશો વચ્ચે તંગદિલી વધી


  • Published By :
  • Published Date : 2023-02-05 14:34:49

અમેરિકાએ એક ચાઈનીઝ જાસુસી બલૂનને તોડી પાડ્યું છે. આ ચાઈનીઝ બલુન અમેરિકાની જમીન પર ઉડી રહ્યું હતું. અમેરિકાના મિસાઈલ હુમલા બાદ તે બલુન ટુકડા થઈ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. અમેરિકાની એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું હતું આ બલુનનો એક તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને તોડી પાડ્યું હતું. અમેરિકાના આ પગલાથી ચીન લાલઘુમ થઈ ગયું છે. 


ચાઈનીઝ બલુન જોવા મળતા હડકંપ


બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી અમેરિકાના રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેના એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને જાસુસીના ઉપકરણો હતા. જો તેને તોડી પાડવામાં આવે તો તે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ હતી. જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. 


AIM-9X મિસાઈલનો ઉપયોગ કર્યો


અમેરિકાએ  આ ચાઈનીઝ બલુનને તોડી પાડવા માટે એક AIM-9X સુપરસોનિક હીટ સીકિંગ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.જમીનથી 58 હજાર ફૂટની ઉંચાઈ પર એક F-22 રેપ્ટર ફાઈટર વિમાનની મિસાઈલનો દરવાજો ખોલતાની સાથે જ AIM-9 સાઇડવિન્ડર એર ટુ એર મિસાઈલ બહાર આવી. આ મિસાઈલે લગભગ 60 હજાર ફીટની ઊંચાઈએ ફરતા ચીનના એરિયલ જાસૂસી બલુનને તોડી નાખ્યું હતું. 


બલૂનનો કાટમાળ 7 માઈલ સુધી ફેલાયો


અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે એટલાન્ટિક મહાસાગર તટે લગભગ છ નોટિકલ માઇલ દૂર પ્રમાણમાં છીછરા પાણીમાં બલૂન નીચે લાવવામાં આવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં ચાઈનીઝ સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ટુકડા શોધવા અને તેનું વિશ્લેષણ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. અમેરિકી સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનના બલૂનનો કાટમાળ સમુદ્રના સાત માઈલ સુધી ફેલાયેલો હતો. તેની શોધખોળ માટે ઘણા યુએસ લશ્કરી જહાજો પહેલેથી જ સ્થળ પર તૈનાત છે.


એરશીપ તોડી પાડતા ચીન લાલઘુમ


અમેરિકીમાં તેના એરશીપના તોડી પાડતા ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે અમેરિકાની આ કાર્યવાહી એક રાજકીય સ્ટંટ સિવાય બીજું કંઈ નથી. જરૂર પડ્યે અમે યોગ્ય જવાબ આપીશું. ચીનના આ નિવેદનથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધુ વધી ગયો છે. આના થોડા દિવસો પહેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનનો બલૂન અમેરિકા સુધી પહોંચવાના કારણે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, ચીને દાવો કર્યો હતો કે તે એક નાગરિક એરશીપ છે જે જોરદાર પવનને કારણે અમેરિકા તરફ જતું રહ્યું હતું. જોકે અમેરિકી અધિકારીઓએ ચીનના આ દાવાને ફગાવી દીધો હતો.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .