અમેરિકાએ આખરે ચાઈનીઝ જાસૂસી બલૂન તોડી પાડ્યું, બંને દેશો વચ્ચે તંગદિલી વધી


  • Published By :
  • Published Date : 2023-02-05 14:34:49

અમેરિકાએ એક ચાઈનીઝ જાસુસી બલૂનને તોડી પાડ્યું છે. આ ચાઈનીઝ બલુન અમેરિકાની જમીન પર ઉડી રહ્યું હતું. અમેરિકાના મિસાઈલ હુમલા બાદ તે બલુન ટુકડા થઈ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. અમેરિકાની એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું હતું આ બલુનનો એક તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને તોડી પાડ્યું હતું. અમેરિકાના આ પગલાથી ચીન લાલઘુમ થઈ ગયું છે. 


ચાઈનીઝ બલુન જોવા મળતા હડકંપ


બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી અમેરિકાના રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેના એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને જાસુસીના ઉપકરણો હતા. જો તેને તોડી પાડવામાં આવે તો તે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ હતી. જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. 


AIM-9X મિસાઈલનો ઉપયોગ કર્યો


અમેરિકાએ  આ ચાઈનીઝ બલુનને તોડી પાડવા માટે એક AIM-9X સુપરસોનિક હીટ સીકિંગ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.જમીનથી 58 હજાર ફૂટની ઉંચાઈ પર એક F-22 રેપ્ટર ફાઈટર વિમાનની મિસાઈલનો દરવાજો ખોલતાની સાથે જ AIM-9 સાઇડવિન્ડર એર ટુ એર મિસાઈલ બહાર આવી. આ મિસાઈલે લગભગ 60 હજાર ફીટની ઊંચાઈએ ફરતા ચીનના એરિયલ જાસૂસી બલુનને તોડી નાખ્યું હતું. 


બલૂનનો કાટમાળ 7 માઈલ સુધી ફેલાયો


અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે એટલાન્ટિક મહાસાગર તટે લગભગ છ નોટિકલ માઇલ દૂર પ્રમાણમાં છીછરા પાણીમાં બલૂન નીચે લાવવામાં આવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં ચાઈનીઝ સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ટુકડા શોધવા અને તેનું વિશ્લેષણ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. અમેરિકી સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનના બલૂનનો કાટમાળ સમુદ્રના સાત માઈલ સુધી ફેલાયેલો હતો. તેની શોધખોળ માટે ઘણા યુએસ લશ્કરી જહાજો પહેલેથી જ સ્થળ પર તૈનાત છે.


એરશીપ તોડી પાડતા ચીન લાલઘુમ


અમેરિકીમાં તેના એરશીપના તોડી પાડતા ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે અમેરિકાની આ કાર્યવાહી એક રાજકીય સ્ટંટ સિવાય બીજું કંઈ નથી. જરૂર પડ્યે અમે યોગ્ય જવાબ આપીશું. ચીનના આ નિવેદનથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધુ વધી ગયો છે. આના થોડા દિવસો પહેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનનો બલૂન અમેરિકા સુધી પહોંચવાના કારણે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, ચીને દાવો કર્યો હતો કે તે એક નાગરિક એરશીપ છે જે જોરદાર પવનને કારણે અમેરિકા તરફ જતું રહ્યું હતું. જોકે અમેરિકી અધિકારીઓએ ચીનના આ દાવાને ફગાવી દીધો હતો.  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?