અમેરિકાએ આખરે ચાઈનીઝ જાસૂસી બલૂન તોડી પાડ્યું, બંને દેશો વચ્ચે તંગદિલી વધી


  • Published By :
  • Published Date : 2023-02-05 14:34:49

અમેરિકાએ એક ચાઈનીઝ જાસુસી બલૂનને તોડી પાડ્યું છે. આ ચાઈનીઝ બલુન અમેરિકાની જમીન પર ઉડી રહ્યું હતું. અમેરિકાના મિસાઈલ હુમલા બાદ તે બલુન ટુકડા થઈ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. અમેરિકાની એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું હતું આ બલુનનો એક તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને તોડી પાડ્યું હતું. અમેરિકાના આ પગલાથી ચીન લાલઘુમ થઈ ગયું છે. 


ચાઈનીઝ બલુન જોવા મળતા હડકંપ


બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી અમેરિકાના રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેના એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને જાસુસીના ઉપકરણો હતા. જો તેને તોડી પાડવામાં આવે તો તે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ હતી. જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. 


AIM-9X મિસાઈલનો ઉપયોગ કર્યો


અમેરિકાએ  આ ચાઈનીઝ બલુનને તોડી પાડવા માટે એક AIM-9X સુપરસોનિક હીટ સીકિંગ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.જમીનથી 58 હજાર ફૂટની ઉંચાઈ પર એક F-22 રેપ્ટર ફાઈટર વિમાનની મિસાઈલનો દરવાજો ખોલતાની સાથે જ AIM-9 સાઇડવિન્ડર એર ટુ એર મિસાઈલ બહાર આવી. આ મિસાઈલે લગભગ 60 હજાર ફીટની ઊંચાઈએ ફરતા ચીનના એરિયલ જાસૂસી બલુનને તોડી નાખ્યું હતું. 


બલૂનનો કાટમાળ 7 માઈલ સુધી ફેલાયો


અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે એટલાન્ટિક મહાસાગર તટે લગભગ છ નોટિકલ માઇલ દૂર પ્રમાણમાં છીછરા પાણીમાં બલૂન નીચે લાવવામાં આવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં ચાઈનીઝ સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ટુકડા શોધવા અને તેનું વિશ્લેષણ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. અમેરિકી સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનના બલૂનનો કાટમાળ સમુદ્રના સાત માઈલ સુધી ફેલાયેલો હતો. તેની શોધખોળ માટે ઘણા યુએસ લશ્કરી જહાજો પહેલેથી જ સ્થળ પર તૈનાત છે.


એરશીપ તોડી પાડતા ચીન લાલઘુમ


અમેરિકીમાં તેના એરશીપના તોડી પાડતા ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે અમેરિકાની આ કાર્યવાહી એક રાજકીય સ્ટંટ સિવાય બીજું કંઈ નથી. જરૂર પડ્યે અમે યોગ્ય જવાબ આપીશું. ચીનના આ નિવેદનથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધુ વધી ગયો છે. આના થોડા દિવસો પહેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનનો બલૂન અમેરિકા સુધી પહોંચવાના કારણે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, ચીને દાવો કર્યો હતો કે તે એક નાગરિક એરશીપ છે જે જોરદાર પવનને કારણે અમેરિકા તરફ જતું રહ્યું હતું. જોકે અમેરિકી અધિકારીઓએ ચીનના આ દાવાને ફગાવી દીધો હતો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.