અસિત મોદી પર જાતિ સતામણી પર લગાવેલા આરોપ વચ્ચે એક્ટ્રેસ જેનિફરે શેર કર્યો વીડિયો, કહ્યું 'મારા મૌનને મારી નબળાઈ ન સમજતા....'


  • Published By :
  • Published Date : 2023-05-12 17:05:40

છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવી છે. રોશન સિંહ સોઢીની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશનભાભી એટલે કે જેનિફર મિસ્ત્રીએ સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અસિત મોદીએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મામલે એક્ટ્રેક્સે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જેનિફરે કહ્યું કે 'મારા મૌનને મારી નબળાઈ ન સમજતા, ભગવાન સાક્ષી છે એક દિવસ સત્ય બહાર આવશે.'


જાતિય સતામણીને લઈ રોશન ભાભીએ શેર કર્યો વીડિયો!   

થોડા સમય પહેલા તારક મહેતાનો રોલ નિભાવનાર શેલૈષ લોઢાએ અસિત કુમાર મોદી પર ફી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્ચારે અસિત કુમાર મોદી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર પર રોશન ભાભીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે આ વાત સામે આવી હતી. જે બાદ એક્ટ્રેસને દર્શકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે. આરોપોને અસિત કુમાર મોદીએ પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારે આ મામલે જેનિફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે એકદમ નારાજ દેખાઈ રહી છે. 


વીડિયોમાં જેનિફરે કરી વિસ્તારથી વાત!  

વીડિયોમાં જેનિફરે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી મારી સાથે આવું થઈ રહ્યું છે, પરંતુ અસિત, તેની પુત્રી અને પરિવારને કારણે અત્યાર સુધી હું ચૂપ હતી. 2019માં મેં મારા કો-સ્ટાર્સને જાતીય સતામણી વિશે જણાવ્યું હતું , એ સમયે મને ટેકો આપ્યો હતો, પરંતુ આજે મારા પતિ અને મારાં સાસરિયાં સિવાય કોઈ મારા સમર્થનમાં નથી. જ્યારે શૂટિંગ માટે 2019માં સિંગાપૂર ગયા હતા ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. ઘણી વખત તે હોટલના રૂમમાં આવવાનું પણ કહેતા, પછી જ્યારે હું ના પાડતી ત્યારે કહેતા હતા કે તે મજાક કરી રહ્યા છે. 


અસિત મોદીએ મૂક્યો પોતાનો પક્ષ!

તો બીજી તરફ અસિત મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શૂટિંગ દરમિયાન તેનાં ખરાબ વર્તન અને શિસ્તભંગના કારણે તેનો કરાર સમાપ્ત કરવો પડ્યો  તે હવે પાયાવિહોણા આરોપ લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી