અસિત મોદી પર જાતિ સતામણી પર લગાવેલા આરોપ વચ્ચે એક્ટ્રેસ જેનિફરે શેર કર્યો વીડિયો, કહ્યું 'મારા મૌનને મારી નબળાઈ ન સમજતા....'


  • Published By :
  • Published Date : 2023-05-12 17:05:40

છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવી છે. રોશન સિંહ સોઢીની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશનભાભી એટલે કે જેનિફર મિસ્ત્રીએ સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અસિત મોદીએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મામલે એક્ટ્રેક્સે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જેનિફરે કહ્યું કે 'મારા મૌનને મારી નબળાઈ ન સમજતા, ભગવાન સાક્ષી છે એક દિવસ સત્ય બહાર આવશે.'


જાતિય સતામણીને લઈ રોશન ભાભીએ શેર કર્યો વીડિયો!   

થોડા સમય પહેલા તારક મહેતાનો રોલ નિભાવનાર શેલૈષ લોઢાએ અસિત કુમાર મોદી પર ફી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્ચારે અસિત કુમાર મોદી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર પર રોશન ભાભીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે આ વાત સામે આવી હતી. જે બાદ એક્ટ્રેસને દર્શકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે. આરોપોને અસિત કુમાર મોદીએ પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારે આ મામલે જેનિફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે એકદમ નારાજ દેખાઈ રહી છે. 


વીડિયોમાં જેનિફરે કરી વિસ્તારથી વાત!  

વીડિયોમાં જેનિફરે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી મારી સાથે આવું થઈ રહ્યું છે, પરંતુ અસિત, તેની પુત્રી અને પરિવારને કારણે અત્યાર સુધી હું ચૂપ હતી. 2019માં મેં મારા કો-સ્ટાર્સને જાતીય સતામણી વિશે જણાવ્યું હતું , એ સમયે મને ટેકો આપ્યો હતો, પરંતુ આજે મારા પતિ અને મારાં સાસરિયાં સિવાય કોઈ મારા સમર્થનમાં નથી. જ્યારે શૂટિંગ માટે 2019માં સિંગાપૂર ગયા હતા ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. ઘણી વખત તે હોટલના રૂમમાં આવવાનું પણ કહેતા, પછી જ્યારે હું ના પાડતી ત્યારે કહેતા હતા કે તે મજાક કરી રહ્યા છે. 


અસિત મોદીએ મૂક્યો પોતાનો પક્ષ!

તો બીજી તરફ અસિત મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શૂટિંગ દરમિયાન તેનાં ખરાબ વર્તન અને શિસ્તભંગના કારણે તેનો કરાર સમાપ્ત કરવો પડ્યો  તે હવે પાયાવિહોણા આરોપ લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.