સાબરકાંઠામાં ચાલતા વિવાદ વચ્ચે સમજો Sabarkanthaના સમીકરણોને.. એવી બેઠક જ્યાં ભાજપે બદલ્યા ઉમેદવાર અને થઈ ગયો ડખો!


  • Published By :
  • Published Date : 2024-03-26 16:38:28

થોડા દિવસથી બે લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે. એક છે સાબરકાંઠા લોકસભા બેઠક અને બીજી છે વડોદરા બેઠક. આ બંને બેઠકો પર જાહેર કરવામાં આવેલા ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભાજપ દ્વારા બંને ઉમેદવારોની બદલી કરવામાં આવી છે અને નવા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે જાણીએ સાબરકાંઠા લોકસભા બેઠકની વિશે વિસ્તારમાં.


     

સાબરકાંઠા લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા સીટો

સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2009થી BJPનો ગઢ છે. 2009માં મહેદ્રસિંહ ચૌહાણ, આ પછી 2014થી દીપસિંહ રાઠોડ સાંસદ છે. વાત કરીએ સામાજિક સમીકરણોની તો, આ બેઠક પર આદિવાસી, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતીજ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડબ્રહ્મા કોંગ્રેસના ખાતામાં, બાયડ પરથી ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર જીત્યા હતા . બાકીની બધી બેઠકો BJPના ખાતામાં ગઈ હતી . 


બીજેપીએ આમને બનાવ્યા ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર 

ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને લઈ વાત કરી BJPએ પહેલા ઉમેદવારી ભીખાજી ઠાકોરને આપી હતી પરંતુ પાર્ટીને ઉમેદવાર બદલવા પડ્યા. ભીખાજીની બદલીમાં શોભનાબેન બારૈયાને ટિકીટ અપાઈ છે. સામે કોંગ્રેસે હાલના ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી CM અમરસિંહ ચૌધરીના પુત્ર છે. ત્યારે જોવું રહ્યું કે સાબકાંઠાના મતદાતાઓ કોને સંસદમાં મોકલે છે?  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.