સાબરકાંઠામાં ચાલતા વિવાદ વચ્ચે સમજો Sabarkanthaના સમીકરણોને.. એવી બેઠક જ્યાં ભાજપે બદલ્યા ઉમેદવાર અને થઈ ગયો ડખો!


  • Published By :
  • Published Date : 2024-03-26 16:38:28

થોડા દિવસથી બે લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે. એક છે સાબરકાંઠા લોકસભા બેઠક અને બીજી છે વડોદરા બેઠક. આ બંને બેઠકો પર જાહેર કરવામાં આવેલા ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભાજપ દ્વારા બંને ઉમેદવારોની બદલી કરવામાં આવી છે અને નવા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે જાણીએ સાબરકાંઠા લોકસભા બેઠકની વિશે વિસ્તારમાં.


     

સાબરકાંઠા લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા સીટો

સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2009થી BJPનો ગઢ છે. 2009માં મહેદ્રસિંહ ચૌહાણ, આ પછી 2014થી દીપસિંહ રાઠોડ સાંસદ છે. વાત કરીએ સામાજિક સમીકરણોની તો, આ બેઠક પર આદિવાસી, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતીજ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડબ્રહ્મા કોંગ્રેસના ખાતામાં, બાયડ પરથી ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર જીત્યા હતા . બાકીની બધી બેઠકો BJPના ખાતામાં ગઈ હતી . 


બીજેપીએ આમને બનાવ્યા ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર 

ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને લઈ વાત કરી BJPએ પહેલા ઉમેદવારી ભીખાજી ઠાકોરને આપી હતી પરંતુ પાર્ટીને ઉમેદવાર બદલવા પડ્યા. ભીખાજીની બદલીમાં શોભનાબેન બારૈયાને ટિકીટ અપાઈ છે. સામે કોંગ્રેસે હાલના ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી CM અમરસિંહ ચૌધરીના પુત્ર છે. ત્યારે જોવું રહ્યું કે સાબકાંઠાના મતદાતાઓ કોને સંસદમાં મોકલે છે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે