પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે આસામના સીએમે પૂછ્યું કોણ છે શાહરૂખ ખાન? શાહરૂખને શેની થઈ રહી છે ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-22 15:12:57

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ફિલ્મના પોસ્ટરને બાળી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવા રંગનો ઉપયોગ કરવાને કારણે આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મને લઈ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ નિવેદન આપ્યું છે જેમાં તેઓ પૂછી રહ્યા છે કોણ છે શાહરૂખ ખાન?

Pathan Controversy: नग्नता और सेक्सिज़म को बढ़ावा देता फिल्म पठान का बेशर्म  रंग - Pathan Controversy Shameless color of Film Pathan promotes nudity and  sexism


ફિલ્મ રિલીઝ થાય તે પહેલા થયો વિરોધ 

પઠાણ ફિલ્મ રિલીઝ થાય એની પહેલા જ ફિલ્મને લઈ અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મને રિલીઝ નહીં કરવાની ચિમકી પણ અનેક સંગઠનો દ્વારા આપવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરને પણ બાળી નાખવામાં આવ્યા હતા. 


પઠાણ ફિલ્મનું જ્યાં સ્ક્રીંનિંગ થવાનું છે ત્યાં કરાઈ તોડફોડ 

આ બધા વચ્ચે આસામના મુખ્યમંત્રી હેમંત બિસવાએ નિવેદન આપ્યું છે. ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના સીએમએ પઠાણ ફિલ્મને ન જોવાની વાત કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે પૂછ્યું કે કોણ છે શાહરૂખ ખાન? હું એમના કે એમની ફિલ્મ વિશે કઈ જાણતો નથી. જો શાહરુખ ખાન મને ફોન કરશે તો આ મામલાને હું જોઈશ. 20 જાન્યુઆરીના રોજ બજરંગ દળના કાર્યકર્તાઓએ ગુવાહાટીના સિનેમાઘરમાં તોડફોડ કરી હતી. આ જ થિયેટરમાં જ પઠાણ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું. 



રાતના બે વાગ્યે શાહરુખે કર્યો આસામના મુખ્યમંત્રીને ફોન 

આ નિવેદન બાદ શાહરૂખ ખાને આસામના મુખ્યમંત્રીને શનિવારની રાત્રે 2 વાગ્યે ફોન કર્યો. શાહરુખ ખાન પઠાણ ફિલ્મના સ્ક્રીંનિંગ દરમિયાન બનેલી ઘટનાને લઈને ચિંતિત હતા. ફિલ્મના સ્ક્રીનિંગ વખતે વિરોધ થયો હતો. ત્યારે મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી રાજ્ય સરકારનું કર્તવ્ય છે. 




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.