પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે આસામના સીએમે પૂછ્યું કોણ છે શાહરૂખ ખાન? શાહરૂખને શેની થઈ રહી છે ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-22 15:12:57

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ફિલ્મના પોસ્ટરને બાળી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવા રંગનો ઉપયોગ કરવાને કારણે આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મને લઈ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ નિવેદન આપ્યું છે જેમાં તેઓ પૂછી રહ્યા છે કોણ છે શાહરૂખ ખાન?

Pathan Controversy: नग्नता और सेक्सिज़म को बढ़ावा देता फिल्म पठान का बेशर्म  रंग - Pathan Controversy Shameless color of Film Pathan promotes nudity and  sexism


ફિલ્મ રિલીઝ થાય તે પહેલા થયો વિરોધ 

પઠાણ ફિલ્મ રિલીઝ થાય એની પહેલા જ ફિલ્મને લઈ અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મને રિલીઝ નહીં કરવાની ચિમકી પણ અનેક સંગઠનો દ્વારા આપવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરને પણ બાળી નાખવામાં આવ્યા હતા. 


પઠાણ ફિલ્મનું જ્યાં સ્ક્રીંનિંગ થવાનું છે ત્યાં કરાઈ તોડફોડ 

આ બધા વચ્ચે આસામના મુખ્યમંત્રી હેમંત બિસવાએ નિવેદન આપ્યું છે. ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના સીએમએ પઠાણ ફિલ્મને ન જોવાની વાત કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે પૂછ્યું કે કોણ છે શાહરૂખ ખાન? હું એમના કે એમની ફિલ્મ વિશે કઈ જાણતો નથી. જો શાહરુખ ખાન મને ફોન કરશે તો આ મામલાને હું જોઈશ. 20 જાન્યુઆરીના રોજ બજરંગ દળના કાર્યકર્તાઓએ ગુવાહાટીના સિનેમાઘરમાં તોડફોડ કરી હતી. આ જ થિયેટરમાં જ પઠાણ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું. 



રાતના બે વાગ્યે શાહરુખે કર્યો આસામના મુખ્યમંત્રીને ફોન 

આ નિવેદન બાદ શાહરૂખ ખાને આસામના મુખ્યમંત્રીને શનિવારની રાત્રે 2 વાગ્યે ફોન કર્યો. શાહરુખ ખાન પઠાણ ફિલ્મના સ્ક્રીંનિંગ દરમિયાન બનેલી ઘટનાને લઈને ચિંતિત હતા. ફિલ્મના સ્ક્રીનિંગ વખતે વિરોધ થયો હતો. ત્યારે મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી રાજ્ય સરકારનું કર્તવ્ય છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.