પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે આસામના સીએમે પૂછ્યું કોણ છે શાહરૂખ ખાન? શાહરૂખને શેની થઈ રહી છે ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-22 15:12:57

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ફિલ્મના પોસ્ટરને બાળી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવા રંગનો ઉપયોગ કરવાને કારણે આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મને લઈ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ નિવેદન આપ્યું છે જેમાં તેઓ પૂછી રહ્યા છે કોણ છે શાહરૂખ ખાન?

Pathan Controversy: नग्नता और सेक्सिज़म को बढ़ावा देता फिल्म पठान का बेशर्म  रंग - Pathan Controversy Shameless color of Film Pathan promotes nudity and  sexism


ફિલ્મ રિલીઝ થાય તે પહેલા થયો વિરોધ 

પઠાણ ફિલ્મ રિલીઝ થાય એની પહેલા જ ફિલ્મને લઈ અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મને રિલીઝ નહીં કરવાની ચિમકી પણ અનેક સંગઠનો દ્વારા આપવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરને પણ બાળી નાખવામાં આવ્યા હતા. 


પઠાણ ફિલ્મનું જ્યાં સ્ક્રીંનિંગ થવાનું છે ત્યાં કરાઈ તોડફોડ 

આ બધા વચ્ચે આસામના મુખ્યમંત્રી હેમંત બિસવાએ નિવેદન આપ્યું છે. ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના સીએમએ પઠાણ ફિલ્મને ન જોવાની વાત કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે પૂછ્યું કે કોણ છે શાહરૂખ ખાન? હું એમના કે એમની ફિલ્મ વિશે કઈ જાણતો નથી. જો શાહરુખ ખાન મને ફોન કરશે તો આ મામલાને હું જોઈશ. 20 જાન્યુઆરીના રોજ બજરંગ દળના કાર્યકર્તાઓએ ગુવાહાટીના સિનેમાઘરમાં તોડફોડ કરી હતી. આ જ થિયેટરમાં જ પઠાણ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું. 



રાતના બે વાગ્યે શાહરુખે કર્યો આસામના મુખ્યમંત્રીને ફોન 

આ નિવેદન બાદ શાહરૂખ ખાને આસામના મુખ્યમંત્રીને શનિવારની રાત્રે 2 વાગ્યે ફોન કર્યો. શાહરુખ ખાન પઠાણ ફિલ્મના સ્ક્રીંનિંગ દરમિયાન બનેલી ઘટનાને લઈને ચિંતિત હતા. ફિલ્મના સ્ક્રીનિંગ વખતે વિરોધ થયો હતો. ત્યારે મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી રાજ્ય સરકારનું કર્તવ્ય છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી