મણિપુરમાં વધતી હિંસાને લઈ અમિત શાહે બોલાવી સર્વ પક્ષીય બેઠક, બેઠક પહેલા રાહુલ ગાંધીએ કહ્યું..


  • Published By :
  • Published Date : 2023-06-24 12:38:36

મણિપુરમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં હિંસા શાંત થાય તે માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. આર્મીને પણ ઉતારી દેવામાં આવી છે. તેમ છતાંય અનેક વખત ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં ફાટેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે ઉપરાંત અનેક સુરક્ષાબળોના જવાનો પણ શહીદ થયા છે. સ્થિતિ પર કાબુ મેળવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર ગયા હતા. પરંતુ તે બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. ત્યારે આજે અમિત શાહે આજે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા અંગે ચર્ચા કરવા સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી.   

મણિપુર મુદ્દે પીએમ મોદીએ નથી કરી વાત!

3 મેથી મણિપુરમાં હિંસા ફાટી નિકળી છે. હિંસા શરૂ થયે અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ હજી શાંત નથી થઈ. ત્યાંનો માહોલ શાંત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ માહોલ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીએ પણ વીડિયો સંદેશો આપી મણિપુરના લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. પીએમ મોદીને અનેક વખત પત્ર લખીને મણિપુરમાં થતી હિંસાને લઈ કાર્યવાહી કરે તેવી અપીલ કરી છે. મહત્વનું છે કે પીએમ મોદી દ્વારા એક વખત પણ આ મુદ્દે વાત કરવામાં આવી નથી. મેરી કોમે પણ મણિપુરની હિંસાને એક વીડિયો સંદેશો પાઠવ્યો હતો અને કહ્યું હતું મેરા મણિપુર જલ રહા હેં.  


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સર્વ પક્ષિય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈ ચર્ચા કરવામાં આવશે. બેઠક પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આનાથી ખબર પડે કે પીએમ મોદી માટે આ બેઠક મહત્વપૂર્ણ નથી.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?