મણિપુરમાં વધતી હિંસાને લઈ અમિત શાહે બોલાવી સર્વ પક્ષીય બેઠક, બેઠક પહેલા રાહુલ ગાંધીએ કહ્યું..


  • Published By :
  • Published Date : 2023-06-24 12:38:36

મણિપુરમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં હિંસા શાંત થાય તે માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. આર્મીને પણ ઉતારી દેવામાં આવી છે. તેમ છતાંય અનેક વખત ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં ફાટેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે ઉપરાંત અનેક સુરક્ષાબળોના જવાનો પણ શહીદ થયા છે. સ્થિતિ પર કાબુ મેળવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર ગયા હતા. પરંતુ તે બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. ત્યારે આજે અમિત શાહે આજે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા અંગે ચર્ચા કરવા સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી.   

મણિપુર મુદ્દે પીએમ મોદીએ નથી કરી વાત!

3 મેથી મણિપુરમાં હિંસા ફાટી નિકળી છે. હિંસા શરૂ થયે અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ હજી શાંત નથી થઈ. ત્યાંનો માહોલ શાંત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ માહોલ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીએ પણ વીડિયો સંદેશો આપી મણિપુરના લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. પીએમ મોદીને અનેક વખત પત્ર લખીને મણિપુરમાં થતી હિંસાને લઈ કાર્યવાહી કરે તેવી અપીલ કરી છે. મહત્વનું છે કે પીએમ મોદી દ્વારા એક વખત પણ આ મુદ્દે વાત કરવામાં આવી નથી. મેરી કોમે પણ મણિપુરની હિંસાને એક વીડિયો સંદેશો પાઠવ્યો હતો અને કહ્યું હતું મેરા મણિપુર જલ રહા હેં.  


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સર્વ પક્ષિય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈ ચર્ચા કરવામાં આવશે. બેઠક પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આનાથી ખબર પડે કે પીએમ મોદી માટે આ બેઠક મહત્વપૂર્ણ નથી.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.