મણિપુરમાં વધતી હિંસાને લઈ અમિત શાહે બોલાવી સર્વ પક્ષીય બેઠક, બેઠક પહેલા રાહુલ ગાંધીએ કહ્યું..


  • Published By :
  • Published Date : 2023-06-24 12:38:36

મણિપુરમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં હિંસા શાંત થાય તે માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. આર્મીને પણ ઉતારી દેવામાં આવી છે. તેમ છતાંય અનેક વખત ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં ફાટેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે ઉપરાંત અનેક સુરક્ષાબળોના જવાનો પણ શહીદ થયા છે. સ્થિતિ પર કાબુ મેળવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર ગયા હતા. પરંતુ તે બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. ત્યારે આજે અમિત શાહે આજે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા અંગે ચર્ચા કરવા સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી.   

મણિપુર મુદ્દે પીએમ મોદીએ નથી કરી વાત!

3 મેથી મણિપુરમાં હિંસા ફાટી નિકળી છે. હિંસા શરૂ થયે અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ હજી શાંત નથી થઈ. ત્યાંનો માહોલ શાંત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ માહોલ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીએ પણ વીડિયો સંદેશો આપી મણિપુરના લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. પીએમ મોદીને અનેક વખત પત્ર લખીને મણિપુરમાં થતી હિંસાને લઈ કાર્યવાહી કરે તેવી અપીલ કરી છે. મહત્વનું છે કે પીએમ મોદી દ્વારા એક વખત પણ આ મુદ્દે વાત કરવામાં આવી નથી. મેરી કોમે પણ મણિપુરની હિંસાને એક વીડિયો સંદેશો પાઠવ્યો હતો અને કહ્યું હતું મેરા મણિપુર જલ રહા હેં.  


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સર્વ પક્ષિય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈ ચર્ચા કરવામાં આવશે. બેઠક પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આનાથી ખબર પડે કે પીએમ મોદી માટે આ બેઠક મહત્વપૂર્ણ નથી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.