મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદને લઈ અમિત શાહે કરી બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-15 09:22:41

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરહદને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ દિવસને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હાજર રહ્યા હતા. ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું હતું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ ન હોય, પરંતુ આ વિવાદને બંને રાજ્યાના નેતાઓએ રાજકીય મુદ્દો ન બનાવો જોઈએ.


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુુનાવણી 

તાજેતરમાં સીમા વિવાદને લઈ બંને રાજ્યો વચ્ચે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીમા પર વાહનોની અવરજવર પર વિવાદને કારણે અસર પડી રહી છે. વાહનો પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. બેલગાવી પર પોતાની દાવેદારીને લઈ આ વિવાદ છેડાયો છે. 7 ડિસેમ્બરથી આ વિવાદ હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે,રસ્તા પર  આવી લોકો વિરોધ કરી રહ્યા છે. વધતા વિવાદને કારણે અમિત શાહે બંને રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.


નાના મુદ્દાઓ પર ચર્ચા કરવા સમિતિની રચના કરાશે 

આ બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ હોય, પરંતુ બંને રાજ્યોના નેતાઓઆ આને રાજકીય મુદ્દો ન બનવો જોઈએ. ઉપરાંત આ વિવાદને શાંત કરવા સમિતિની રચના કરવામાં આવશે જેમાં બંને રાજ્યો તરફથી 3-3 મંત્રી સામેલ થશે. કુલ 6 મંત્રીઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે વિવાદ રસ્તા પર ઉકેલી શકાશે નહી. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાજ્ય એકબીજા પર દાવો કરી શકશે નહી. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે