મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદને લઈ અમિત શાહે કરી બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-15 09:22:41

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરહદને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ દિવસને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હાજર રહ્યા હતા. ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું હતું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ ન હોય, પરંતુ આ વિવાદને બંને રાજ્યાના નેતાઓએ રાજકીય મુદ્દો ન બનાવો જોઈએ.


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુુનાવણી 

તાજેતરમાં સીમા વિવાદને લઈ બંને રાજ્યો વચ્ચે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીમા પર વાહનોની અવરજવર પર વિવાદને કારણે અસર પડી રહી છે. વાહનો પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. બેલગાવી પર પોતાની દાવેદારીને લઈ આ વિવાદ છેડાયો છે. 7 ડિસેમ્બરથી આ વિવાદ હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે,રસ્તા પર  આવી લોકો વિરોધ કરી રહ્યા છે. વધતા વિવાદને કારણે અમિત શાહે બંને રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.


નાના મુદ્દાઓ પર ચર્ચા કરવા સમિતિની રચના કરાશે 

આ બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ હોય, પરંતુ બંને રાજ્યોના નેતાઓઆ આને રાજકીય મુદ્દો ન બનવો જોઈએ. ઉપરાંત આ વિવાદને શાંત કરવા સમિતિની રચના કરવામાં આવશે જેમાં બંને રાજ્યો તરફથી 3-3 મંત્રી સામેલ થશે. કુલ 6 મંત્રીઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે વિવાદ રસ્તા પર ઉકેલી શકાશે નહી. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાજ્ય એકબીજા પર દાવો કરી શકશે નહી. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.