મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે અમિત શાહે કરી પ્રેસ કોન્ફરન્સ, આ મામલે CBI કરશે તપાસ, સરકારે વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-01 13:15:23

મણિપુર હિંસા ભડકી રહ્યું છે. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ચાર દિવસના પ્રવાસે આવેલા અમિત શાહનો આજે મણિપુરમાં છેલ્લો દિવસ છે. મણિપુરની હિંસાને લઈ અમિત શાહે નિવેદન આપ્યું હતું કે મણિપુર હિંસા ગેરસમજને કારણે થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે મણિપુર હિંસા અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલી કમિશન હિંસા મામલે તપાસ કરશે. જો કોઈ વ્યક્તિ પાસેથી હથિયાર મળી આવશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.  

           

મણિપુરના પ્રવાસે અમિત શાહ!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા થઈ રહી છે. એક મહિનાથી હિંસા ભડકી રહી છે. વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. ઉપરાંત હિંસા એટલી વધી ગઈ હતી કે મામલાને શાંત કરવા કડક કાર્યવાહી કરાઈ. કર્ફ્યુ તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. ઓલિમ્પિક મેડલ વિજેતાઓએ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. રાજ્યમાં વહેલી તકે શાંતિ સ્થાપવામાં આવે તેવી દરખ્વાસ્ત કરી હતી.  ત્યારે વધતી હિંસાને જોતા મણિપુરના પ્રવાસે અમિત શાહ ગયા હતા.  આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે.

 

પાંચ લાખ સહાય ચૂકવવાની કરાઈ જાહેરાત!

શાહે બુધવારે ઈમ્ફાઈલમાં આવેલી એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. ત્યાં અમિત શાહે કીધું હતું કે મણિપુરમાં ટૂંક સમયમાં શાંતિ પુનસ્થાપિત થશે. તે સિવાય 29મેના રોજ અમિત શાહે મુખ્યમંત્રી એન.બિરેન.સિંહ, મંત્રીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ મામલે ચર્ચા કરી હતી. ત્યારે ગુરૂવારે તેમણે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના સંબોધનમાં આ મામલે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય અમિત શાહે કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા લોકોને મણિપુર સરકાર 5 લાખ અને કેન્દ્ર સરકાર 5 લાખની સહાય આપશે. સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે અને આવતીકાલથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.      

અમિત શાહ બુધવારે મ્યાનમાર બોર્ડર પર આવેલા મોરેહ શહેરમાં પહોંચ્યા હતા અને સુરક્ષાદળો પાસેથી સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.