મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે અમિત શાહે કરી પ્રેસ કોન્ફરન્સ, આ મામલે CBI કરશે તપાસ, સરકારે વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-06-01 13:15:23

મણિપુર હિંસા ભડકી રહ્યું છે. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ચાર દિવસના પ્રવાસે આવેલા અમિત શાહનો આજે મણિપુરમાં છેલ્લો દિવસ છે. મણિપુરની હિંસાને લઈ અમિત શાહે નિવેદન આપ્યું હતું કે મણિપુર હિંસા ગેરસમજને કારણે થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે મણિપુર હિંસા અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલી કમિશન હિંસા મામલે તપાસ કરશે. જો કોઈ વ્યક્તિ પાસેથી હથિયાર મળી આવશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.  

           

મણિપુરના પ્રવાસે અમિત શાહ!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા થઈ રહી છે. એક મહિનાથી હિંસા ભડકી રહી છે. વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. ઉપરાંત હિંસા એટલી વધી ગઈ હતી કે મામલાને શાંત કરવા કડક કાર્યવાહી કરાઈ. કર્ફ્યુ તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. ઓલિમ્પિક મેડલ વિજેતાઓએ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. રાજ્યમાં વહેલી તકે શાંતિ સ્થાપવામાં આવે તેવી દરખ્વાસ્ત કરી હતી.  ત્યારે વધતી હિંસાને જોતા મણિપુરના પ્રવાસે અમિત શાહ ગયા હતા.  આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે.

 

પાંચ લાખ સહાય ચૂકવવાની કરાઈ જાહેરાત!

શાહે બુધવારે ઈમ્ફાઈલમાં આવેલી એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. ત્યાં અમિત શાહે કીધું હતું કે મણિપુરમાં ટૂંક સમયમાં શાંતિ પુનસ્થાપિત થશે. તે સિવાય 29મેના રોજ અમિત શાહે મુખ્યમંત્રી એન.બિરેન.સિંહ, મંત્રીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ મામલે ચર્ચા કરી હતી. ત્યારે ગુરૂવારે તેમણે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના સંબોધનમાં આ મામલે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય અમિત શાહે કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા લોકોને મણિપુર સરકાર 5 લાખ અને કેન્દ્ર સરકાર 5 લાખની સહાય આપશે. સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે અને આવતીકાલથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.      

અમિત શાહ બુધવારે મ્યાનમાર બોર્ડર પર આવેલા મોરેહ શહેરમાં પહોંચ્યા હતા અને સુરક્ષાદળો પાસેથી સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.