લોકસભાની ચૂંટણીને લઈ અમિત શાહે આપ્યું નિવેદન, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-01-16 09:25:28

ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા ઉપરાંત લોકાર્પણ પણ કર્યા હતા. ત્યારે 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં સમગ્ર દેશ ફરીથી એક વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે. ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી પહોંચી ગયો છે.


ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. ગુજરાતમાં ભવ્ય વિજય બાદ ભાજપ આવનાર વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન પર્વની ઉજવણી તો કરી પરંતુ સાથે સાથે અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ કર્યા હતા. 


આપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અમિત શાહે નામ લીધા વગર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા. શાહે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ જાતિવાદના ઝેરને હટાવવાનું કામ કર્યું છે. રાજ્યની જનતાએ ખોટા વાયદા અને લાલચો આપનારા લોકોના ગાલ પર તમાચો મારવાનું કામ કર્યું છે. 


2024માં નરેન્દ્ર મોદી જ પીએમ બનશે - અમિત શાહ 

2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને પણ અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ પરિણામો ગુજરાત પૂરતા સિમિત નહીં રહે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં સમગ્ર દેશ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે.ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને દ્વારકાથી લઈ કામખ્યા સુધી પહોંચી ગયો છે કે 2024માં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.