લોકસભાની ચૂંટણીને લઈ અમિત શાહે આપ્યું નિવેદન, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-01-16 09:25:28

ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા ઉપરાંત લોકાર્પણ પણ કર્યા હતા. ત્યારે 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં સમગ્ર દેશ ફરીથી એક વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે. ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી પહોંચી ગયો છે.


ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. ગુજરાતમાં ભવ્ય વિજય બાદ ભાજપ આવનાર વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન પર્વની ઉજવણી તો કરી પરંતુ સાથે સાથે અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ કર્યા હતા. 


આપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અમિત શાહે નામ લીધા વગર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા. શાહે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ જાતિવાદના ઝેરને હટાવવાનું કામ કર્યું છે. રાજ્યની જનતાએ ખોટા વાયદા અને લાલચો આપનારા લોકોના ગાલ પર તમાચો મારવાનું કામ કર્યું છે. 


2024માં નરેન્દ્ર મોદી જ પીએમ બનશે - અમિત શાહ 

2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને પણ અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ પરિણામો ગુજરાત પૂરતા સિમિત નહીં રહે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં સમગ્ર દેશ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે.ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને દ્વારકાથી લઈ કામખ્યા સુધી પહોંચી ગયો છે કે 2024માં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.