લોકસભાની ચૂંટણીને લઈ અમિત શાહે આપ્યું નિવેદન, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2023-01-16 09:25:28

ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા ઉપરાંત લોકાર્પણ પણ કર્યા હતા. ત્યારે 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં સમગ્ર દેશ ફરીથી એક વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે. ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી પહોંચી ગયો છે.


ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. ગુજરાતમાં ભવ્ય વિજય બાદ ભાજપ આવનાર વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન પર્વની ઉજવણી તો કરી પરંતુ સાથે સાથે અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ કર્યા હતા. 


આપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અમિત શાહે નામ લીધા વગર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા. શાહે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ જાતિવાદના ઝેરને હટાવવાનું કામ કર્યું છે. રાજ્યની જનતાએ ખોટા વાયદા અને લાલચો આપનારા લોકોના ગાલ પર તમાચો મારવાનું કામ કર્યું છે. 


2024માં નરેન્દ્ર મોદી જ પીએમ બનશે - અમિત શાહ 

2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને પણ અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ પરિણામો ગુજરાત પૂરતા સિમિત નહીં રહે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં સમગ્ર દેશ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે.ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને દ્વારકાથી લઈ કામખ્યા સુધી પહોંચી ગયો છે કે 2024માં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.