અમિતાભે પણ દેશમાં નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર ઉઠાવ્યા સવાલો, મમતાએ કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2022-12-16 12:06:38

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચનના એક નિવેદને વિવાદ સર્જ્યો છે. અમિતાભ બચ્ચન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે દેશની આઝાદીને આટલા વર્ષો વિતી ગયા હોવા છતાં આજે પણ નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર સવાલો ઉઠાવવામાં આવે છે. 


અમિતાભ બચ્ચને શું કહ્યું?


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 28માં કોલકાતા આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ (KIFF)નું ઉદઘાટન કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા દિગ્ગજ ફિલ્મ અભિનેતાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે કહ્યું હતું કે, "આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા થાય છે." મને ખાતરી છે કે મંચ પરના મારા સાથીદારો પણ આ બાબતથી સંમત થશે કે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હજુ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે." સામાન્ય રીતે રાજકીય વિવાદોથી દુર રહેતા અમિતાભ બચ્ચનના આ નિવેદને દેશભરમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. અમિતાભ બચ્ચને ફિલ્મ પઠાણના વિવાદને લઈ કહ્યું હતું કે દર્શકોએ શું જોવું તે તેમની મરજીની બાબત છે. આપણે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. દર્શકો પાસે તમામ પ્રકારનું કન્ટેન્ટ હોય છે. 



મમતા બેનર્જીએ પણ કરી અમિતાભની પ્રશંસા


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે અમિતાભની પ્રશંસા કરતા કહ્યું કે અમિતાભે એવી વાત કહી જે કોઈ કહી શકે નહીં અને આવું બોલવા માટે પણ હિંમત જોઈએ. આ પ્રસંગે મમતાએ અમિતાભને ભારત રત્ન આપવાની માગ કરતા  કહ્યું કે તેમણે ભારતીય સિનેમા માટે લાંબા સમય સુધી યોગદાન આપ્યું છે તેથી બંગાળ તેમને ભારત રત્ન આપવાની માગ કરશે.


ભાજપે આપી પ્રતિક્રિયા


અમિતાભ બચ્ચનના આ નિવેદનને લઈ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું છે કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય અન્ય કોઈ જગ્યા માટે વધુ સચોટ હોઈ શકે નહીં, કારણ કે તેમણે એવી જગ્યાએ સ્વતંત્રતાની વાત કરી છે જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ રક્તપાત અને હિંસા થઈ હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.