અમિતાભે પણ દેશમાં નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર ઉઠાવ્યા સવાલો, મમતાએ કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2022-12-16 12:06:38

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચનના એક નિવેદને વિવાદ સર્જ્યો છે. અમિતાભ બચ્ચન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે દેશની આઝાદીને આટલા વર્ષો વિતી ગયા હોવા છતાં આજે પણ નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર સવાલો ઉઠાવવામાં આવે છે. 


અમિતાભ બચ્ચને શું કહ્યું?


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 28માં કોલકાતા આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ (KIFF)નું ઉદઘાટન કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા દિગ્ગજ ફિલ્મ અભિનેતાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે કહ્યું હતું કે, "આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા થાય છે." મને ખાતરી છે કે મંચ પરના મારા સાથીદારો પણ આ બાબતથી સંમત થશે કે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હજુ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે." સામાન્ય રીતે રાજકીય વિવાદોથી દુર રહેતા અમિતાભ બચ્ચનના આ નિવેદને દેશભરમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. અમિતાભ બચ્ચને ફિલ્મ પઠાણના વિવાદને લઈ કહ્યું હતું કે દર્શકોએ શું જોવું તે તેમની મરજીની બાબત છે. આપણે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. દર્શકો પાસે તમામ પ્રકારનું કન્ટેન્ટ હોય છે. 



મમતા બેનર્જીએ પણ કરી અમિતાભની પ્રશંસા


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે અમિતાભની પ્રશંસા કરતા કહ્યું કે અમિતાભે એવી વાત કહી જે કોઈ કહી શકે નહીં અને આવું બોલવા માટે પણ હિંમત જોઈએ. આ પ્રસંગે મમતાએ અમિતાભને ભારત રત્ન આપવાની માગ કરતા  કહ્યું કે તેમણે ભારતીય સિનેમા માટે લાંબા સમય સુધી યોગદાન આપ્યું છે તેથી બંગાળ તેમને ભારત રત્ન આપવાની માગ કરશે.


ભાજપે આપી પ્રતિક્રિયા


અમિતાભ બચ્ચનના આ નિવેદનને લઈ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું છે કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય અન્ય કોઈ જગ્યા માટે વધુ સચોટ હોઈ શકે નહીં, કારણ કે તેમણે એવી જગ્યાએ સ્વતંત્રતાની વાત કરી છે જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ રક્તપાત અને હિંસા થઈ હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.