બાઈક સવારી ફોટા પર ટ્રોલ થયા બાદ અમિતાભ બચ્ચને આપ્યો ખુલાસો! બિગ બીએ કહ્યું 'હું ફક્ત મસ્તી કરી રહ્યો હતો!'


  • Published By :
  • Published Date : 2023-05-17 13:19:44

થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચને બાઈક પર સવારી કરતો એક ફોટો શેર કર્યો હતો. ટ્રાફિકથી બચવા માટે અજાણ વ્યક્તિની મદદ લઈ રહ્યા છે તેવી એક તસવીર શેર કરી હતી. તેમના અનેક ચાહકોને  એ તસવીર ગમી હતી જ્યારે અનેક લોકોએ હેલમેટ ન પહેર્યું હોવાની ફરિયાદ કરી હતી. વિવાદ વધતો જોતા આ મામલે અમિતાભ બચ્ચને સ્પષ્ટતા આપી છે. પોતાના બ્લોગ પર આ મામલે વિસ્તારથી લખ્યું છે અને તેમાં તેમણે કહ્યું કે તે ફક્ત મસ્તી કરી રહ્યા હતા.

 


સોશિયલ મીડિયા પર બાઈક પર સવારી કરતો ફોટો કર્યો હતો શેર!      

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેતા હોય છે. અનેક પોસ્ટ શેર કરતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે બાઈક સવારી કરી રહ્યા હતા. ફોટો શેર કરતા તેમણે બાઈક ચાલકને ધન્યવાદ કહ્યું હતું. તેમણે લખ્યું હતું સમયસર સેટ પર પહોંચવા માટે તેમણે બાઈક પર લિફટ લીધી હતી. પરંતુ આ ફોટાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. હેલમેટ ન પહેર્યું હોવાને કારણે લોકો તેમની આલોચના કરી રહ્યા હતા. ટ્રાફિક રૂલ ફોલો કરવા લોકો તેમને કહી રહ્યા હતા.


ટ્રોલ થતાં અમિતાભ બચ્ચને આપ્યું સ્પષ્ટીકરણ!

સોશિયલ મીડિયા પર તેમની તસવીર ખુબ વાયરલ થઈ રહી હતી. ટ્રોલ પણ થઈ રહ્યા હતા ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા તેમણે આ ફોટાને લઈ પોતાના બ્લોગમાં સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે મેં કપડા પહેર્યા છે તે ફિલ્મ માટેનો કોસ્ટ્યુમ છે. બાઈક પર બેસી માત્ર ટાઈમ પાસ કરી રહ્યો છું, જે એક ક્રૂ મેમ્બર છે. ક્યાંય જઈ નથી રહ્યો, માત્ર ક્યાંક જઈ રહ્યો છું ત બતાવી રહ્યો છું કે ટાઈમ બચાવા બાઈકની લીફ્ટ લીધી હતી. 


હેલમેટ પહેરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની કહી વાત!

ખુલાસો આપતા કહ્યું કે જો મારે ક્યાંય સમયથી પહોંચવું હશે તો હું ખરેખર આનો સહારો લઈશ. અને હેલમેટ પણ પહેરીશ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બિગ બીએ કહ્યું તમારા લોકોનો આભાર કે મારી આટલી ચિંતા કરી અને મને ટ્રોલ કર્યો. અને સોરી જે લોકોને લાગ્યું કે મેં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે અને કંઈક ખોટું કર્યું છે. તમારા બધાને મારો પ્રેમ...       



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.