બાઈક સવારી ફોટા પર ટ્રોલ થયા બાદ અમિતાભ બચ્ચને આપ્યો ખુલાસો! બિગ બીએ કહ્યું 'હું ફક્ત મસ્તી કરી રહ્યો હતો!'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 13:19:44

થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચને બાઈક પર સવારી કરતો એક ફોટો શેર કર્યો હતો. ટ્રાફિકથી બચવા માટે અજાણ વ્યક્તિની મદદ લઈ રહ્યા છે તેવી એક તસવીર શેર કરી હતી. તેમના અનેક ચાહકોને  એ તસવીર ગમી હતી જ્યારે અનેક લોકોએ હેલમેટ ન પહેર્યું હોવાની ફરિયાદ કરી હતી. વિવાદ વધતો જોતા આ મામલે અમિતાભ બચ્ચને સ્પષ્ટતા આપી છે. પોતાના બ્લોગ પર આ મામલે વિસ્તારથી લખ્યું છે અને તેમાં તેમણે કહ્યું કે તે ફક્ત મસ્તી કરી રહ્યા હતા.

 


સોશિયલ મીડિયા પર બાઈક પર સવારી કરતો ફોટો કર્યો હતો શેર!      

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેતા હોય છે. અનેક પોસ્ટ શેર કરતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે બાઈક સવારી કરી રહ્યા હતા. ફોટો શેર કરતા તેમણે બાઈક ચાલકને ધન્યવાદ કહ્યું હતું. તેમણે લખ્યું હતું સમયસર સેટ પર પહોંચવા માટે તેમણે બાઈક પર લિફટ લીધી હતી. પરંતુ આ ફોટાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. હેલમેટ ન પહેર્યું હોવાને કારણે લોકો તેમની આલોચના કરી રહ્યા હતા. ટ્રાફિક રૂલ ફોલો કરવા લોકો તેમને કહી રહ્યા હતા.


ટ્રોલ થતાં અમિતાભ બચ્ચને આપ્યું સ્પષ્ટીકરણ!

સોશિયલ મીડિયા પર તેમની તસવીર ખુબ વાયરલ થઈ રહી હતી. ટ્રોલ પણ થઈ રહ્યા હતા ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા તેમણે આ ફોટાને લઈ પોતાના બ્લોગમાં સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે મેં કપડા પહેર્યા છે તે ફિલ્મ માટેનો કોસ્ટ્યુમ છે. બાઈક પર બેસી માત્ર ટાઈમ પાસ કરી રહ્યો છું, જે એક ક્રૂ મેમ્બર છે. ક્યાંય જઈ નથી રહ્યો, માત્ર ક્યાંક જઈ રહ્યો છું ત બતાવી રહ્યો છું કે ટાઈમ બચાવા બાઈકની લીફ્ટ લીધી હતી. 


હેલમેટ પહેરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની કહી વાત!

ખુલાસો આપતા કહ્યું કે જો મારે ક્યાંય સમયથી પહોંચવું હશે તો હું ખરેખર આનો સહારો લઈશ. અને હેલમેટ પણ પહેરીશ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બિગ બીએ કહ્યું તમારા લોકોનો આભાર કે મારી આટલી ચિંતા કરી અને મને ટ્રોલ કર્યો. અને સોરી જે લોકોને લાગ્યું કે મેં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે અને કંઈક ખોટું કર્યું છે. તમારા બધાને મારો પ્રેમ...       



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.