બાઈક સવારી ફોટા પર ટ્રોલ થયા બાદ અમિતાભ બચ્ચને આપ્યો ખુલાસો! બિગ બીએ કહ્યું 'હું ફક્ત મસ્તી કરી રહ્યો હતો!'


  • Published By :
  • Published Date : 2023-05-17 13:19:44

થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચને બાઈક પર સવારી કરતો એક ફોટો શેર કર્યો હતો. ટ્રાફિકથી બચવા માટે અજાણ વ્યક્તિની મદદ લઈ રહ્યા છે તેવી એક તસવીર શેર કરી હતી. તેમના અનેક ચાહકોને  એ તસવીર ગમી હતી જ્યારે અનેક લોકોએ હેલમેટ ન પહેર્યું હોવાની ફરિયાદ કરી હતી. વિવાદ વધતો જોતા આ મામલે અમિતાભ બચ્ચને સ્પષ્ટતા આપી છે. પોતાના બ્લોગ પર આ મામલે વિસ્તારથી લખ્યું છે અને તેમાં તેમણે કહ્યું કે તે ફક્ત મસ્તી કરી રહ્યા હતા.

 


સોશિયલ મીડિયા પર બાઈક પર સવારી કરતો ફોટો કર્યો હતો શેર!      

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેતા હોય છે. અનેક પોસ્ટ શેર કરતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે બાઈક સવારી કરી રહ્યા હતા. ફોટો શેર કરતા તેમણે બાઈક ચાલકને ધન્યવાદ કહ્યું હતું. તેમણે લખ્યું હતું સમયસર સેટ પર પહોંચવા માટે તેમણે બાઈક પર લિફટ લીધી હતી. પરંતુ આ ફોટાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. હેલમેટ ન પહેર્યું હોવાને કારણે લોકો તેમની આલોચના કરી રહ્યા હતા. ટ્રાફિક રૂલ ફોલો કરવા લોકો તેમને કહી રહ્યા હતા.


ટ્રોલ થતાં અમિતાભ બચ્ચને આપ્યું સ્પષ્ટીકરણ!

સોશિયલ મીડિયા પર તેમની તસવીર ખુબ વાયરલ થઈ રહી હતી. ટ્રોલ પણ થઈ રહ્યા હતા ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા તેમણે આ ફોટાને લઈ પોતાના બ્લોગમાં સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે મેં કપડા પહેર્યા છે તે ફિલ્મ માટેનો કોસ્ટ્યુમ છે. બાઈક પર બેસી માત્ર ટાઈમ પાસ કરી રહ્યો છું, જે એક ક્રૂ મેમ્બર છે. ક્યાંય જઈ નથી રહ્યો, માત્ર ક્યાંક જઈ રહ્યો છું ત બતાવી રહ્યો છું કે ટાઈમ બચાવા બાઈકની લીફ્ટ લીધી હતી. 


હેલમેટ પહેરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની કહી વાત!

ખુલાસો આપતા કહ્યું કે જો મારે ક્યાંય સમયથી પહોંચવું હશે તો હું ખરેખર આનો સહારો લઈશ. અને હેલમેટ પણ પહેરીશ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બિગ બીએ કહ્યું તમારા લોકોનો આભાર કે મારી આટલી ચિંતા કરી અને મને ટ્રોલ કર્યો. અને સોરી જે લોકોને લાગ્યું કે મેં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે અને કંઈક ખોટું કર્યું છે. તમારા બધાને મારો પ્રેમ...       



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.