શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા, પગમાં આવ્યા ટાંકા


  • Published By :
  • Published Date : 2022-10-23 15:44:22

કૌન બનેગા કરોડપતિના સ્ટુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની સાથે દુર્ઘટના સર્જાઈ છે. દિવાળી પહેલા તેમના પગની નસ કપાઈ ગઈ છે. નસ કપાઈ જતા લોહી નીકળવા લાગ્યું હતું. લોહી વહેવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પગમાં ઈજા થતા ટાંકા આવ્યા છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ વાત શેર કરી છે. 

સોશિયલ મીડિયામાં આપી જાણકારી 

બોલિવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં વાત શેર કરતા કહ્યું હતું કે ધાતુના એક ટુકડાએ મારા ડાબા પગની નસ કાપી નાખી. નસ કપાઈ જતાં અનિયંત્રિત રીતે લોહી વહેવા લાગ્યું હતું. જોકે, ડોક્ટર્સ તથા સ્ટાફ ટીમે સહયોગ આપ્યો હતો. વધુ લોહી નીકળતા ડોક્ટરે ટાંકા લીધા છે. 

Complaint filed against Amitabh Bachchan for question on Manusmriti on KBC:  Reports | The News Minute

હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ - બિગ બી

પગમાં ટાંકા આવતા બીગ બીને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભને પગ પર ભાર ન  મૂકવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે 3-4 કલાકના શૂટિંગ માટે હું ઉત્સાહિત હોઉ છું. પરંતુ મારો વીલ પાવર મજબૂત છે. હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી