શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા, પગમાં આવ્યા ટાંકા


  • Published By :
  • Published Date : 2022-10-23 15:44:22

કૌન બનેગા કરોડપતિના સ્ટુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની સાથે દુર્ઘટના સર્જાઈ છે. દિવાળી પહેલા તેમના પગની નસ કપાઈ ગઈ છે. નસ કપાઈ જતા લોહી નીકળવા લાગ્યું હતું. લોહી વહેવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પગમાં ઈજા થતા ટાંકા આવ્યા છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ વાત શેર કરી છે. 

સોશિયલ મીડિયામાં આપી જાણકારી 

બોલિવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં વાત શેર કરતા કહ્યું હતું કે ધાતુના એક ટુકડાએ મારા ડાબા પગની નસ કાપી નાખી. નસ કપાઈ જતાં અનિયંત્રિત રીતે લોહી વહેવા લાગ્યું હતું. જોકે, ડોક્ટર્સ તથા સ્ટાફ ટીમે સહયોગ આપ્યો હતો. વધુ લોહી નીકળતા ડોક્ટરે ટાંકા લીધા છે. 

Complaint filed against Amitabh Bachchan for question on Manusmriti on KBC:  Reports | The News Minute

હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ - બિગ બી

પગમાં ટાંકા આવતા બીગ બીને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભને પગ પર ભાર ન  મૂકવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે 3-4 કલાકના શૂટિંગ માટે હું ઉત્સાહિત હોઉ છું. પરંતુ મારો વીલ પાવર મજબૂત છે. હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ. 




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.