શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા, પગમાં આવ્યા ટાંકા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-23 15:44:22

કૌન બનેગા કરોડપતિના સ્ટુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની સાથે દુર્ઘટના સર્જાઈ છે. દિવાળી પહેલા તેમના પગની નસ કપાઈ ગઈ છે. નસ કપાઈ જતા લોહી નીકળવા લાગ્યું હતું. લોહી વહેવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પગમાં ઈજા થતા ટાંકા આવ્યા છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ વાત શેર કરી છે. 

સોશિયલ મીડિયામાં આપી જાણકારી 

બોલિવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં વાત શેર કરતા કહ્યું હતું કે ધાતુના એક ટુકડાએ મારા ડાબા પગની નસ કાપી નાખી. નસ કપાઈ જતાં અનિયંત્રિત રીતે લોહી વહેવા લાગ્યું હતું. જોકે, ડોક્ટર્સ તથા સ્ટાફ ટીમે સહયોગ આપ્યો હતો. વધુ લોહી નીકળતા ડોક્ટરે ટાંકા લીધા છે. 

Complaint filed against Amitabh Bachchan for question on Manusmriti on KBC:  Reports | The News Minute

હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ - બિગ બી

પગમાં ટાંકા આવતા બીગ બીને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભને પગ પર ભાર ન  મૂકવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે 3-4 કલાકના શૂટિંગ માટે હું ઉત્સાહિત હોઉ છું. પરંતુ મારો વીલ પાવર મજબૂત છે. હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ. 




પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી... વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...

નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..