શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા, પગમાં આવ્યા ટાંકા


  • Published By :
  • Published Date : 2022-10-23 15:44:22

કૌન બનેગા કરોડપતિના સ્ટુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની સાથે દુર્ઘટના સર્જાઈ છે. દિવાળી પહેલા તેમના પગની નસ કપાઈ ગઈ છે. નસ કપાઈ જતા લોહી નીકળવા લાગ્યું હતું. લોહી વહેવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પગમાં ઈજા થતા ટાંકા આવ્યા છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ વાત શેર કરી છે. 

સોશિયલ મીડિયામાં આપી જાણકારી 

બોલિવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં વાત શેર કરતા કહ્યું હતું કે ધાતુના એક ટુકડાએ મારા ડાબા પગની નસ કાપી નાખી. નસ કપાઈ જતાં અનિયંત્રિત રીતે લોહી વહેવા લાગ્યું હતું. જોકે, ડોક્ટર્સ તથા સ્ટાફ ટીમે સહયોગ આપ્યો હતો. વધુ લોહી નીકળતા ડોક્ટરે ટાંકા લીધા છે. 

Complaint filed against Amitabh Bachchan for question on Manusmriti on KBC:  Reports | The News Minute

હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ - બિગ બી

પગમાં ટાંકા આવતા બીગ બીને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભને પગ પર ભાર ન  મૂકવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે 3-4 કલાકના શૂટિંગ માટે હું ઉત્સાહિત હોઉ છું. પરંતુ મારો વીલ પાવર મજબૂત છે. હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ. 




સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે