'ખાલીસ્તાની' અમૃતપાલ સિંહના સમર્થકોનું હલ્લા બોલ, હથિયારો સાથે પોલીસ સ્ટેશન પર કબજો


  • Published By :
  • Published Date : 2023-02-23 16:09:21

પંજાબમાં ફરીથી ખાલિસ્તાનવાદીઓ માથું ઉંચકી રહ્યા છે, રાજ્યમાં સક્રિય બનેલા ખાલીસ્તાની સમર્થકો સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. આજે ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અમૃતસરમાં એકત્રિત થયા હતા. હાથોમાં હથિયારો અને તલવારો સાથે એકઠા થયેલા આ લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો બાદમાં અજનાલા પોલીસ સ્ટેશન પર કબજો જમાવી દીધો હતો.


શા માટે વિરોધ થયો?


પંજાબના અલગતાવાદી સંગઠન વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તોફાનીની ધરપકડનો વિરોધ કરવા માટે સેંકડો સમર્થકો એકઠા થયા હતા. અજનાલા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં અમૃતપાલના સમર્થનમાં નિહંગ તલવારો સાથે પહોંચ્યા હતા પહેલા તેમણે પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી અને બાદમાં કબજો જમાવી દીધો હતો. 


અમૃતપાલે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 


ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે તાજેતરમાં જ એક નિવેદન આપી જોરદાર વિવાદ સર્જ્યો હતો. પંજાબી એક્ટર અને એક્ટિવિસ્ટ દીપ સિધ્ધુની વરસી પર અમૃતપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન અમૃતપાલે મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી હતી. અમૃતપાલે કથિત રીતે તેમના નિવેદનમાં કહ્યું કે જે ઈન્દિરા ગાંધી સાથે થયું તે જ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે પંજાબનો દરેક બાળક ખાલીસ્તાનની વાત કરે છે. આ ધરતીના અમે હકદાર છીએ, કેમ કે અમે અહીં રાજ કર્યું છે, પછી તે અમિત શાહ હોય કે ભગવત માન કોઈ અમને ત્યાંથી હટાવી શકશે નહીં. આખી દુનિયાની ફોજ આવીને કહે તો પણ અમે અમારો દાવો છોડીશું નહીં.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.