'ખાલીસ્તાની' અમૃતપાલ સિંહના સમર્થકોનું હલ્લા બોલ, હથિયારો સાથે પોલીસ સ્ટેશન પર કબજો


  • Published By :
  • Published Date : 2023-02-23 16:09:21

પંજાબમાં ફરીથી ખાલિસ્તાનવાદીઓ માથું ઉંચકી રહ્યા છે, રાજ્યમાં સક્રિય બનેલા ખાલીસ્તાની સમર્થકો સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. આજે ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અમૃતસરમાં એકત્રિત થયા હતા. હાથોમાં હથિયારો અને તલવારો સાથે એકઠા થયેલા આ લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો બાદમાં અજનાલા પોલીસ સ્ટેશન પર કબજો જમાવી દીધો હતો.


શા માટે વિરોધ થયો?


પંજાબના અલગતાવાદી સંગઠન વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તોફાનીની ધરપકડનો વિરોધ કરવા માટે સેંકડો સમર્થકો એકઠા થયા હતા. અજનાલા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં અમૃતપાલના સમર્થનમાં નિહંગ તલવારો સાથે પહોંચ્યા હતા પહેલા તેમણે પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી અને બાદમાં કબજો જમાવી દીધો હતો. 


અમૃતપાલે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 


ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે તાજેતરમાં જ એક નિવેદન આપી જોરદાર વિવાદ સર્જ્યો હતો. પંજાબી એક્ટર અને એક્ટિવિસ્ટ દીપ સિધ્ધુની વરસી પર અમૃતપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન અમૃતપાલે મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી હતી. અમૃતપાલે કથિત રીતે તેમના નિવેદનમાં કહ્યું કે જે ઈન્દિરા ગાંધી સાથે થયું તે જ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે પંજાબનો દરેક બાળક ખાલીસ્તાનની વાત કરે છે. આ ધરતીના અમે હકદાર છીએ, કેમ કે અમે અહીં રાજ કર્યું છે, પછી તે અમિત શાહ હોય કે ભગવત માન કોઈ અમને ત્યાંથી હટાવી શકશે નહીં. આખી દુનિયાની ફોજ આવીને કહે તો પણ અમે અમારો દાવો છોડીશું નહીં.



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.