'ખાલીસ્તાની' અમૃતપાલ સિંહના સમર્થકોનું હલ્લા બોલ, હથિયારો સાથે પોલીસ સ્ટેશન પર કબજો


  • Published By :
  • Published Date : 2023-02-23 16:09:21

પંજાબમાં ફરીથી ખાલિસ્તાનવાદીઓ માથું ઉંચકી રહ્યા છે, રાજ્યમાં સક્રિય બનેલા ખાલીસ્તાની સમર્થકો સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. આજે ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અમૃતસરમાં એકત્રિત થયા હતા. હાથોમાં હથિયારો અને તલવારો સાથે એકઠા થયેલા આ લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો બાદમાં અજનાલા પોલીસ સ્ટેશન પર કબજો જમાવી દીધો હતો.


શા માટે વિરોધ થયો?


પંજાબના અલગતાવાદી સંગઠન વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તોફાનીની ધરપકડનો વિરોધ કરવા માટે સેંકડો સમર્થકો એકઠા થયા હતા. અજનાલા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં અમૃતપાલના સમર્થનમાં નિહંગ તલવારો સાથે પહોંચ્યા હતા પહેલા તેમણે પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી અને બાદમાં કબજો જમાવી દીધો હતો. 


અમૃતપાલે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 


ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે તાજેતરમાં જ એક નિવેદન આપી જોરદાર વિવાદ સર્જ્યો હતો. પંજાબી એક્ટર અને એક્ટિવિસ્ટ દીપ સિધ્ધુની વરસી પર અમૃતપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન અમૃતપાલે મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી હતી. અમૃતપાલે કથિત રીતે તેમના નિવેદનમાં કહ્યું કે જે ઈન્દિરા ગાંધી સાથે થયું તે જ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે પંજાબનો દરેક બાળક ખાલીસ્તાનની વાત કરે છે. આ ધરતીના અમે હકદાર છીએ, કેમ કે અમે અહીં રાજ કર્યું છે, પછી તે અમિત શાહ હોય કે ભગવત માન કોઈ અમને ત્યાંથી હટાવી શકશે નહીં. આખી દુનિયાની ફોજ આવીને કહે તો પણ અમે અમારો દાવો છોડીશું નહીં.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.