શું અમૃતપાલ સિંહની ધરપકડનો પ્લાન લીક થયો હતો? પંજાબ પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-03-26 17:30:16

પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. અમૃતપાલ સિંહને ફરાર થયાને 9 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન વધુ એક ઘટનાક્રમ સામે આવ્યો છે. 18 માર્ચે જ્યારે પોલીસ દળોએ અમૃતપાલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું ત્યારે અમૃતપાલના પાંચ એસયુવીના કાફલાએ અચાનક હરિકે પુલથી ગોઇંદવાલ તરફનો રસ્તો બદલી નાખ્યો હતો. જ્યારે પુલની બીજી તરફ તૈનાત પોલીસ અધિકારીઓ સાદા યુનિફોર્મમાં હતા અને ખાનગી વાહનોમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પંજાબ પોલીસ દળમાંથી કોઈએ કથિત રીતે ખાલિસ્તાન સમર્થક કાર્યકર્તા અને તેની ટીમને માહિતી લીક કરી હશે. નહીંતર અમૃતપાલ એ જ દિવસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોત.


પોલીસને હાથતાળી આપી છટકી ગયો


'ધ ટ્રિબ્યુન'ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ અમૃતપાલ અને પાપલપ્રીતની બ્રેઝા કારનો પીછો કરી રહી હતી, ત્યારે કાફલામાં તેના કાકા હરજીત સિંહે કથિત રીતે ચલાવેલી મર્સિડીઝ ગુરુદ્વારા બુલંદપુરી તરફ વળી ગઈ હતી. આ ગુરુદ્વારાથી માત્ર 200 મીટર દૂર 20 માર્ચની રાત્રે લગભગ 1 વાગ્યે હરજીતે મીડિયાની સામે આત્મસમર્પણ કર્યું હતું.


પોલીસની ભૂમિકા શંકાસ્પદ


અમૃતપાલે પાપલપ્રીત સાથે મળીને આ ગુરુદ્વારા પાસે પોતાની મોટરસાઇકલનું ટાયર પંચર કરાવ્યું હતું. જ્યારે અર્ધલશ્કરી દળ અને પોલીસે વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંનેને લિફ્ટ આપનાર ગાડીવાળો આ ગુરુદ્વારાની સામે આવેલા ઉધોવાલ ગામનો રહેવાસી હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ વરિષ્ઠ અધિકારી આ મામલે કોઈ નક્કર જવાબ આપી શક્યા નથી. પોલીસે એક દિવસ પણ હરજીતની પૂછપરછ કેમ ન કરી તે અંગે અટકળો ચાલી રહી છે. જ્યારે તે આ કેસમાં સૌથી મહત્વની કડી હતો. 20 માર્ચે સવારે 1 વાગ્યે અમૃતસર પોલીસે તેની ધરપકડ કરી હતી અને પાંચ કલાકની અંદર તેને દિબ્રુગઢ લઈ જવામાં આવ્યો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.