શું અમૃતપાલ સિંહની ધરપકડનો પ્લાન લીક થયો હતો? પંજાબ પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-03-26 17:30:16

પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. અમૃતપાલ સિંહને ફરાર થયાને 9 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન વધુ એક ઘટનાક્રમ સામે આવ્યો છે. 18 માર્ચે જ્યારે પોલીસ દળોએ અમૃતપાલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું ત્યારે અમૃતપાલના પાંચ એસયુવીના કાફલાએ અચાનક હરિકે પુલથી ગોઇંદવાલ તરફનો રસ્તો બદલી નાખ્યો હતો. જ્યારે પુલની બીજી તરફ તૈનાત પોલીસ અધિકારીઓ સાદા યુનિફોર્મમાં હતા અને ખાનગી વાહનોમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પંજાબ પોલીસ દળમાંથી કોઈએ કથિત રીતે ખાલિસ્તાન સમર્થક કાર્યકર્તા અને તેની ટીમને માહિતી લીક કરી હશે. નહીંતર અમૃતપાલ એ જ દિવસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોત.


પોલીસને હાથતાળી આપી છટકી ગયો


'ધ ટ્રિબ્યુન'ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ અમૃતપાલ અને પાપલપ્રીતની બ્રેઝા કારનો પીછો કરી રહી હતી, ત્યારે કાફલામાં તેના કાકા હરજીત સિંહે કથિત રીતે ચલાવેલી મર્સિડીઝ ગુરુદ્વારા બુલંદપુરી તરફ વળી ગઈ હતી. આ ગુરુદ્વારાથી માત્ર 200 મીટર દૂર 20 માર્ચની રાત્રે લગભગ 1 વાગ્યે હરજીતે મીડિયાની સામે આત્મસમર્પણ કર્યું હતું.


પોલીસની ભૂમિકા શંકાસ્પદ


અમૃતપાલે પાપલપ્રીત સાથે મળીને આ ગુરુદ્વારા પાસે પોતાની મોટરસાઇકલનું ટાયર પંચર કરાવ્યું હતું. જ્યારે અર્ધલશ્કરી દળ અને પોલીસે વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંનેને લિફ્ટ આપનાર ગાડીવાળો આ ગુરુદ્વારાની સામે આવેલા ઉધોવાલ ગામનો રહેવાસી હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ વરિષ્ઠ અધિકારી આ મામલે કોઈ નક્કર જવાબ આપી શક્યા નથી. પોલીસે એક દિવસ પણ હરજીતની પૂછપરછ કેમ ન કરી તે અંગે અટકળો ચાલી રહી છે. જ્યારે તે આ કેસમાં સૌથી મહત્વની કડી હતો. 20 માર્ચે સવારે 1 વાગ્યે અમૃતસર પોલીસે તેની ધરપકડ કરી હતી અને પાંચ કલાકની અંદર તેને દિબ્રુગઢ લઈ જવામાં આવ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.