અમૂલ બટર બજારમાંથી ગાયબ, ગ્રાહકો ત્રાહિમામ…કંપનીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2022-11-15 17:01:10

અમૂલનું લોકપ્રિય બટર બજારમાંથી ગાયબ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવ્યો છે. બટરનું વેચાણ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે વધી જતુ હોય છે, પણ દિલ્હી, અમદાવાદ અને પંજાબ સહિત દેશના અનેક વિસ્તારોમાં અમૂલ બટરની અછત સર્જાઈ છે. ગ્રોસરી સ્ટોર તો ઠીક પણ અમૂલના પાર્લર પર પણ આ બટર હાલ ઉપલબ્ધ નથી. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમાં 20-25 દિવસો સુધી અમૂલ બટરની અછત છે, ઉત્તર પ્રદેશમાં પણ આ જ સ્થિતી છે. 


બટરની અછત અંગે અમૂલે શું કહ્યું?


બટરની અછતને લઈ અમૂલે ખુલાસો કર્યો છે કે દિવાળી દરમિયાન બજારમાં માખણની જબદસ્ત ડિમાન્ડ હતી અને પ્રોડક્સન પણ મોટા પ્રમાણમાં થયું હતું, આ જ કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં બટરની અછત સર્જાઈ છે. બીજી બાજુ પશુંઓમાં ફેલાયેલા લંપી વાયરસના કારણે પણ અસર પડી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે બજારમાં અમૂલ માખણની બજારમાં અમૂલ બટરનો પુરવઠો અને ઉપલબ્ધતા 4-5 દિવસમાં સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે." 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.