એમ્બ્યુલન્સ અને 4 ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત, પીએમ મોદીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:38:38

પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગૂમાવે છે. ત્યારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા વર્લી સી લીંક રોડ પર અક્માત સર્જાયો છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.   

વહેલી સવારે બની અકસ્માતની ઘટના 

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત થવાની ઘટના બની છે. સવારના સમયે 4 ગાડીઓ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંદાજીત 10 લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 5 લોકોના મોત થયા હોવાનું મુંબઈ પોલીસનું કહેવું છે. મળતી માહિતી મુજબ, પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સને બોલાવામાં આવી હતી. હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ સાથે બીજી ત્રણ ગાડીઓ ભટકાઈ હતી. પાછળથી 3 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે અથડાતા, આ અકસ્માત વધુ ગંભીર બની ગયો હતો.  


વડાપ્રધાનને પાઠવી સાંત્વના  

આ અકસ્માતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરતા કહ્યું કે મુંબઈમાં બાંદ્રા-વરલી સીં-લિંક પર થયેલા અકસ્માતને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિ માટે દુ:ખી છું. શોકાગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના દાખ્વું છું. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય.

 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.