એમ્બ્યુલન્સ અને 4 ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત, પીએમ મોદીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:38:38

પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગૂમાવે છે. ત્યારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા વર્લી સી લીંક રોડ પર અક્માત સર્જાયો છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.   

વહેલી સવારે બની અકસ્માતની ઘટના 

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત થવાની ઘટના બની છે. સવારના સમયે 4 ગાડીઓ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંદાજીત 10 લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 5 લોકોના મોત થયા હોવાનું મુંબઈ પોલીસનું કહેવું છે. મળતી માહિતી મુજબ, પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સને બોલાવામાં આવી હતી. હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ સાથે બીજી ત્રણ ગાડીઓ ભટકાઈ હતી. પાછળથી 3 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે અથડાતા, આ અકસ્માત વધુ ગંભીર બની ગયો હતો.  


વડાપ્રધાનને પાઠવી સાંત્વના  

આ અકસ્માતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરતા કહ્યું કે મુંબઈમાં બાંદ્રા-વરલી સીં-લિંક પર થયેલા અકસ્માતને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિ માટે દુ:ખી છું. શોકાગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના દાખ્વું છું. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય.

 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .