એમ્બ્યુલન્સ અને 4 ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત, પીએમ મોદીએ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:38:38

પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગૂમાવે છે. ત્યારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા વર્લી સી લીંક રોડ પર અક્માત સર્જાયો છે. જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.   

વહેલી સવારે બની અકસ્માતની ઘટના 

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત થવાની ઘટના બની છે. સવારના સમયે 4 ગાડીઓ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંદાજીત 10 લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 5 લોકોના મોત થયા હોવાનું મુંબઈ પોલીસનું કહેવું છે. મળતી માહિતી મુજબ, પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સને બોલાવામાં આવી હતી. હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ સાથે બીજી ત્રણ ગાડીઓ ભટકાઈ હતી. પાછળથી 3 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે અથડાતા, આ અકસ્માત વધુ ગંભીર બની ગયો હતો.  


વડાપ્રધાનને પાઠવી સાંત્વના  

આ અકસ્માતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરતા કહ્યું કે મુંબઈમાં બાંદ્રા-વરલી સીં-લિંક પર થયેલા અકસ્માતને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિ માટે દુ:ખી છું. શોકાગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના દાખ્વું છું. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય.

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.