જમ્મુ શ્રીનગર હાઈવે નજીક સર્જાયો અકસ્માત! બસ પુલ નીચે પડતા સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-05-30 08:58:43

અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવાર સવારે એક બસ પુલ નીચે ખાબકી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સીઆરપીએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. 50થી વધારે યાત્રીઓ આ બસમાં સવાર હતા.


ઘટનામાં થયાં 7 લોકોના મોત!

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક અક બસ પુલ નીચે ખાબકી પડતા અકસ્માત સર્જાયો છે. ઝજ્જર કોટલી નજીક આ અકસ્માત સર્જાયો છે જેમાં અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બસમાં 50થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પરથી કાબુ ગુમાવી દેતા આ ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ જમ્મુના ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.