જમ્મુ શ્રીનગર હાઈવે નજીક સર્જાયો અકસ્માત! બસ પુલ નીચે પડતા સર્જાઈ દુર્ઘટના, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-05-30 08:58:43

અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવાર સવારે એક બસ પુલ નીચે ખાબકી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સીઆરપીએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. 50થી વધારે યાત્રીઓ આ બસમાં સવાર હતા.


ઘટનામાં થયાં 7 લોકોના મોત!

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નજીક અક બસ પુલ નીચે ખાબકી પડતા અકસ્માત સર્જાયો છે. ઝજ્જર કોટલી નજીક આ અકસ્માત સર્જાયો છે જેમાં અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બસમાં 50થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પરથી કાબુ ગુમાવી દેતા આ ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ જમ્મુના ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.