બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો અકસ્માત, ઓવરટેક કરતી વખતે ઈકોકાર અને બાઈક વચ્ચે બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-26 16:08:52

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા અનેક દિવસોથી માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો છે. અકસ્માત ઈકોકાર ચાલક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ટ્રકની ઓવરકેટ કરવા જતા વખતે ઈકોકાર અને સામેથી આવતા બાઈકનો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.


ઓવરટેક કરતી વખતે સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગ તેમજ વાહન ચાલકોની બેદરકારીને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. કોઈ વખત વાંક ન હોવા છતાંય અકસ્માતમાં જીવ જતો હોય છે. ત્યારે એક અકસ્માત કપડવંજ તાલુકાના બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો હતો. ટ્રકની ઓવરટેક કરવા જતા સામેથી આવતી બાઈક સાથે ઈકોકારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઈકોકાર ચાલકને પણ ઈજાઓ પહોંચી છે.  


અકસ્માતને કારણે વિખેરાયો પરિવાર 

અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. કોઈ પોતાનો પુત્ર ખોવે છે તો કોઈ પોતાનો પતિ ખોવે છે. આ અકસ્માતમાં પણ બે બાળકોએ પોતાના પિતા ખોયા છે. એક બાળક પાંચ વર્ષનો હતો જ્યારે બીજો પુત્ર ફક્ત 6 દિવસનો છે. આ અકસ્માતને કારણે બંને પુત્રો પિતા વિહોણા બન્યા છે. આ ઘટનામાં કાર ચાલકની ભૂલને કારણે બાઈક સવારે જીવ ગુમાવ્યો છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.