બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો અકસ્માત, ઓવરટેક કરતી વખતે ઈકોકાર અને બાઈક વચ્ચે બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-26 16:08:52

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા અનેક દિવસોથી માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો છે. અકસ્માત ઈકોકાર ચાલક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ટ્રકની ઓવરકેટ કરવા જતા વખતે ઈકોકાર અને સામેથી આવતા બાઈકનો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.


ઓવરટેક કરતી વખતે સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગ તેમજ વાહન ચાલકોની બેદરકારીને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. કોઈ વખત વાંક ન હોવા છતાંય અકસ્માતમાં જીવ જતો હોય છે. ત્યારે એક અકસ્માત કપડવંજ તાલુકાના બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો હતો. ટ્રકની ઓવરટેક કરવા જતા સામેથી આવતી બાઈક સાથે ઈકોકારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઈકોકાર ચાલકને પણ ઈજાઓ પહોંચી છે.  


અકસ્માતને કારણે વિખેરાયો પરિવાર 

અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. કોઈ પોતાનો પુત્ર ખોવે છે તો કોઈ પોતાનો પતિ ખોવે છે. આ અકસ્માતમાં પણ બે બાળકોએ પોતાના પિતા ખોયા છે. એક બાળક પાંચ વર્ષનો હતો જ્યારે બીજો પુત્ર ફક્ત 6 દિવસનો છે. આ અકસ્માતને કારણે બંને પુત્રો પિતા વિહોણા બન્યા છે. આ ઘટનામાં કાર ચાલકની ભૂલને કારણે બાઈક સવારે જીવ ગુમાવ્યો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.