બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો અકસ્માત, ઓવરટેક કરતી વખતે ઈકોકાર અને બાઈક વચ્ચે બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-26 16:08:52

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા અનેક દિવસોથી માર્ગ અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે જેને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો છે. અકસ્માત ઈકોકાર ચાલક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. ટ્રકની ઓવરકેટ કરવા જતા વખતે ઈકોકાર અને સામેથી આવતા બાઈકનો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.


ઓવરટેક કરતી વખતે સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગ તેમજ વાહન ચાલકોની બેદરકારીને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. કોઈ વખત વાંક ન હોવા છતાંય અકસ્માતમાં જીવ જતો હોય છે. ત્યારે એક અકસ્માત કપડવંજ તાલુકાના બાયડ-કપડવંજ રોડ પર સર્જાયો હતો. ટ્રકની ઓવરટેક કરવા જતા સામેથી આવતી બાઈક સાથે ઈકોકારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઈકોકાર ચાલકને પણ ઈજાઓ પહોંચી છે.  


અકસ્માતને કારણે વિખેરાયો પરિવાર 

અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. કોઈ પોતાનો પુત્ર ખોવે છે તો કોઈ પોતાનો પતિ ખોવે છે. આ અકસ્માતમાં પણ બે બાળકોએ પોતાના પિતા ખોયા છે. એક બાળક પાંચ વર્ષનો હતો જ્યારે બીજો પુત્ર ફક્ત 6 દિવસનો છે. આ અકસ્માતને કારણે બંને પુત્રો પિતા વિહોણા બન્યા છે. આ ઘટનામાં કાર ચાલકની ભૂલને કારણે બાઈક સવારે જીવ ગુમાવ્યો છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.