મણિપુરની આ ઘટના તમને વિચલીત કરી દેશે... શાંત થવાને બદલે અશાંત થયો માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-20 13:21:25

देखो हम बहुत पाखंडी लोग हैं. हम अपने को प्राचीनतम महान संस्कृति वाले आदर्शवादी और नैतिक मानते हैं। परंतु हमसे ज्यादा नीच और क्रूर जाति दुनिया में कोई नहीं अफ्रीका के जंगली कबीलों में भी नारी पर उतने अत्याचार नहीं होते जितने हम करते हैं और कहते हैं नारी पवित्र और पूज्या हैं. हरिशंकर परसाईએ જ્યારે આ લખ્યું હશે ત્યારે પરિસ્થિતિ શું હશે તે ખ્યાલ નથી પણ હવે માણસને માણસ કહેતા પણ શરમ આવે છે. અલગ અલગ મીડિયા રિપોર્ટના આધારે દિલ દહેલાઈ દે તેવા સમાચાર સામે આવ્યા છે ઉપરાંત મણિપુરની હિંસા વચ્ચે એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમા બે મહિલાઓને નગ્ન અવસ્થામાં ઘણા બધા લોકોની વચ્ચે રસ્તા પર પરેડ કરાવામાં આવી રહી છે મીડિયા રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે છોકરીઓ સાથે ગેંગ રેપ પણ થયો છે એક જાતિ સંગઠન ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ આરોપ લગાવ્યો છે કે બંને મહિલાઓ પર ખેતરમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ફોરમનો દાવો છે કે બંને મહિલાઓ કુકી જનજાતિની છે.


મહિલા કરગરે છે પરંતુ કોઈ નથી સાંભળતું

ITLFએ કહ્યું કે વીડિયોમાં ટોળું મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે મહિલાઓ પોતાની ઈજ્જત માટે કગરે છે રડે છે પણ કોઈ સાંભળતું નથી. આ ઘટના ઇમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કંગપોકપી જિલ્લામાં બની હતી તેવું કેહવામાં આવી રહ્યું છે 4 મેનો આ વીડિયો છે અને ત્યારે ઈન્ટરનેટ બંધ હતું એટલે અત્યારે આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે 


સ્ત્રીની ઈજ્જત અને હકની વાતો કરતા લોકો આજે ચૂપ કેમ છે? 

બે જાતિ વચ્ચે લડાઇ આ હદે પહોંચી ગઈ કે કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરી તેની પરેડ નીકાળે છે અને પછી ગેંગ રેપ કરે છે તાલિબાની શાસન સમયે આવા વીડિયો વાઇરલ થતાં ત્યારે બધા બુમ્મો પાડી પાડીને સ્ત્રીની ઈજ્જત અને હકની વાત કરતા હતા એ લોકો કેમ મણિપુરની આ ઘટના પર ચૂપ છે? કેમ આપણે આવી પરિસ્થિતિમાં દેશના નાગરિક તરીકે રાજનીતીને અલગ રાખીને સત્તાને સવાલ નથી પૂછી શકતા? 


જો આજે નહીં બોલીએ તો ક્યારેય નહીં બોલી શકો! 

જો આ દ્રશ્યો જોઇને પણ આંખોમાં પીડા કે આક્રોશ નથી આવતો તો ધિક્કાર છે માણસ જાતને જે એવું સમજે છે કે આ મારી કોણ લાગે છે એને યાદ કરવાની છે એ પ્રતિજ્ઞા કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આ રસ્તા પર નિર્વસ્ત્ર છે એ તમારી બેન છે. જો આજે નહિ બોલો સવાલ નહિ કરો તો ક્યારેય નહીં કરી શકો!

સત્તાપક્ષ આ મુદ્દે કેમ ચૂપ છે? 

આ ઘટના સામે આવતા નેતાઓની તેમજ સામાન્ય માણસોની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં આ ઘટનાને નિંદનીય કહેવાઈ રહી છે. મીડિયા કર્મી, નેતાઓથી લઈ સામાન્ય માણસ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ સત્તા પક્ષ હજી પણ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. આ ઘટનાને પગલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓએ ટ્વિટ કરી છે.  લોકસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ એટલી બધી વ્યસ્ત છે કે મણિપુરમાં થઈ રહેલી હિંસા દેખાતી નથી. મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે દેખાતો નથી. સત્તાપક્ષ જાણે આ ઘટનાને લઈ મગનું નામ મરી નથી પાડવા માગતા એવું લાગી રહ્યું છે. ટ્વિટર પર નરેન્દ્ર મોદી રાજીનામું આપે તેવું ટેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક ફોટો તેમજ કાર્ટૂન શેર થઈ રહ્યા છે જેમાં આ ઘટનાની ઘોર નિંદા કરવામાં આવી રહી છે. 


Image
 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.