મણિપુરની આ ઘટના તમને વિચલીત કરી દેશે... શાંત થવાને બદલે અશાંત થયો માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-20 13:21:25

देखो हम बहुत पाखंडी लोग हैं. हम अपने को प्राचीनतम महान संस्कृति वाले आदर्शवादी और नैतिक मानते हैं। परंतु हमसे ज्यादा नीच और क्रूर जाति दुनिया में कोई नहीं अफ्रीका के जंगली कबीलों में भी नारी पर उतने अत्याचार नहीं होते जितने हम करते हैं और कहते हैं नारी पवित्र और पूज्या हैं. हरिशंकर परसाईએ જ્યારે આ લખ્યું હશે ત્યારે પરિસ્થિતિ શું હશે તે ખ્યાલ નથી પણ હવે માણસને માણસ કહેતા પણ શરમ આવે છે. અલગ અલગ મીડિયા રિપોર્ટના આધારે દિલ દહેલાઈ દે તેવા સમાચાર સામે આવ્યા છે ઉપરાંત મણિપુરની હિંસા વચ્ચે એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમા બે મહિલાઓને નગ્ન અવસ્થામાં ઘણા બધા લોકોની વચ્ચે રસ્તા પર પરેડ કરાવામાં આવી રહી છે મીડિયા રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે છોકરીઓ સાથે ગેંગ રેપ પણ થયો છે એક જાતિ સંગઠન ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ આરોપ લગાવ્યો છે કે બંને મહિલાઓ પર ખેતરમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ફોરમનો દાવો છે કે બંને મહિલાઓ કુકી જનજાતિની છે.


મહિલા કરગરે છે પરંતુ કોઈ નથી સાંભળતું

ITLFએ કહ્યું કે વીડિયોમાં ટોળું મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે મહિલાઓ પોતાની ઈજ્જત માટે કગરે છે રડે છે પણ કોઈ સાંભળતું નથી. આ ઘટના ઇમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કંગપોકપી જિલ્લામાં બની હતી તેવું કેહવામાં આવી રહ્યું છે 4 મેનો આ વીડિયો છે અને ત્યારે ઈન્ટરનેટ બંધ હતું એટલે અત્યારે આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે 


સ્ત્રીની ઈજ્જત અને હકની વાતો કરતા લોકો આજે ચૂપ કેમ છે? 

બે જાતિ વચ્ચે લડાઇ આ હદે પહોંચી ગઈ કે કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરી તેની પરેડ નીકાળે છે અને પછી ગેંગ રેપ કરે છે તાલિબાની શાસન સમયે આવા વીડિયો વાઇરલ થતાં ત્યારે બધા બુમ્મો પાડી પાડીને સ્ત્રીની ઈજ્જત અને હકની વાત કરતા હતા એ લોકો કેમ મણિપુરની આ ઘટના પર ચૂપ છે? કેમ આપણે આવી પરિસ્થિતિમાં દેશના નાગરિક તરીકે રાજનીતીને અલગ રાખીને સત્તાને સવાલ નથી પૂછી શકતા? 


જો આજે નહીં બોલીએ તો ક્યારેય નહીં બોલી શકો! 

જો આ દ્રશ્યો જોઇને પણ આંખોમાં પીડા કે આક્રોશ નથી આવતો તો ધિક્કાર છે માણસ જાતને જે એવું સમજે છે કે આ મારી કોણ લાગે છે એને યાદ કરવાની છે એ પ્રતિજ્ઞા કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આ રસ્તા પર નિર્વસ્ત્ર છે એ તમારી બેન છે. જો આજે નહિ બોલો સવાલ નહિ કરો તો ક્યારેય નહીં કરી શકો!

સત્તાપક્ષ આ મુદ્દે કેમ ચૂપ છે? 

આ ઘટના સામે આવતા નેતાઓની તેમજ સામાન્ય માણસોની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં આ ઘટનાને નિંદનીય કહેવાઈ રહી છે. મીડિયા કર્મી, નેતાઓથી લઈ સામાન્ય માણસ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ સત્તા પક્ષ હજી પણ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. આ ઘટનાને પગલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓએ ટ્વિટ કરી છે.  લોકસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ એટલી બધી વ્યસ્ત છે કે મણિપુરમાં થઈ રહેલી હિંસા દેખાતી નથી. મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે દેખાતો નથી. સત્તાપક્ષ જાણે આ ઘટનાને લઈ મગનું નામ મરી નથી પાડવા માગતા એવું લાગી રહ્યું છે. ટ્વિટર પર નરેન્દ્ર મોદી રાજીનામું આપે તેવું ટેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ અનેક ફોટો તેમજ કાર્ટૂન શેર થઈ રહ્યા છે જેમાં આ ઘટનાની ઘોર નિંદા કરવામાં આવી રહી છે. 


Image
 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.