ગુજરાત જેવી ઘટના મધ્યપ્રદેશમાં બની! નાની બાળકી બોરવેલમાં પડી! રેસ્ક્યુ ઓપરેશન દ્વારા અઢી વર્ષની દીકરીને બચાવવા થઈ રહ્યો છે પ્રયાસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-07 15:59:44

બોરવેલમાં ફસાવાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ગુજરાતના જામનગરમાં એક દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે હવે મધ્યપ્રદેશના સિહોરમાં પણ આવી જ ઘટના બની છે. અઢી ત્રણ વર્ષની બાળકી 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને સુરક્ષિત રીતે કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યં છે. 20 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી બાળકીને બહાર લાવવામાં સફળતા નથી મળી. આ અંગે મળતી માહિતી અનુસાર બાળકી 20 ફૂટની ઉંડાઈમાં ફસાઈ હતી પરંતુ તે ધીમે ધીમે નીચે જઈ રહી છે.


મધ્યપ્રદેશના સિહોરમાં બોરવેલમાં પડી બાળકી! 

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં એક બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હતી ત્યારે ફરી આવી જ ઘટના બની છે. પરંતુ આ વખતે ગુજરાતમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં. મંગળવારે અઢી ત્રણ વર્ષની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા છેલ્લા ઘણા કલાકોથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે બાળકી બોરવેલમાં પડી ગઈ છે તેનું નામ સૃષ્ટિ બતાવવામાં આવી રહ્યું છે.


દીકરીને બચાવવા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન!  

અંદાજીત 20 કલાકથી બાળકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોરવેલની નજીક ખોદકામ કરવામાં આવી બાળકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 300 ફૂટ ઉંડા બોરવેલમાં તે પડી ગઈ હતી અને ધીરે ધીરે બાળકી નીચે સરકી રહી છે. જેસીબીની મદદથી આજુ બાજુમાં ઉંડા ખાડા ખોદવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે ગંભીરતા દર્શાવી છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દીકરીને નિકાળવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આર્મીને પણ બોલાવવામાં આવશે તેવી માહિતી હાલ મળી રહી છે. ત્યારે દીકરી જલ્દીથી સુરક્ષિત રીતે બહાર નીકળી આવે તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 


બાળકી જીવતી બહાર આવે તે માટે કરાઈ રહી છે પ્રાર્થના!

ત્યારે બાળકી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે કે કેમ તેની પર સૌ કોઈની નજર છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં બોરવેલમાં ફસાયેલું બાળક જીવતા બહાર નીકળે તો એવા પણ અનેક કિસ્સાઓ છે જેમાં ભારે મહેનત કર્યા બાદ પણ જીવ નથી બચાવાઈ શકાતો. જામનગરમાં જે દીકરી બોરવેલમાં ફસાઈ હતી તે મૃત્યુ પામી છે. ત્યારે જોવું રહ્યું કે આ બાળકીને જીવતી બચાવવાના પ્રયાસ સફળતા થાય કે કેમ તે જોવું રહ્યું.    



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.