ગુજરાત જેવી ઘટના મધ્યપ્રદેશમાં બની! નાની બાળકી બોરવેલમાં પડી! રેસ્ક્યુ ઓપરેશન દ્વારા અઢી વર્ષની દીકરીને બચાવવા થઈ રહ્યો છે પ્રયાસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-07 15:59:44

બોરવેલમાં ફસાવાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા ગુજરાતના જામનગરમાં એક દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે હવે મધ્યપ્રદેશના સિહોરમાં પણ આવી જ ઘટના બની છે. અઢી ત્રણ વર્ષની બાળકી 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને સુરક્ષિત રીતે કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યં છે. 20 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી બાળકીને બહાર લાવવામાં સફળતા નથી મળી. આ અંગે મળતી માહિતી અનુસાર બાળકી 20 ફૂટની ઉંડાઈમાં ફસાઈ હતી પરંતુ તે ધીમે ધીમે નીચે જઈ રહી છે.


મધ્યપ્રદેશના સિહોરમાં બોરવેલમાં પડી બાળકી! 

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં એક બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હતી ત્યારે ફરી આવી જ ઘટના બની છે. પરંતુ આ વખતે ગુજરાતમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં. મંગળવારે અઢી ત્રણ વર્ષની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા છેલ્લા ઘણા કલાકોથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જે બાળકી બોરવેલમાં પડી ગઈ છે તેનું નામ સૃષ્ટિ બતાવવામાં આવી રહ્યું છે.


દીકરીને બચાવવા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન!  

અંદાજીત 20 કલાકથી બાળકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોરવેલની નજીક ખોદકામ કરવામાં આવી બાળકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 300 ફૂટ ઉંડા બોરવેલમાં તે પડી ગઈ હતી અને ધીરે ધીરે બાળકી નીચે સરકી રહી છે. જેસીબીની મદદથી આજુ બાજુમાં ઉંડા ખાડા ખોદવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે ગંભીરતા દર્શાવી છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દીકરીને નિકાળવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આર્મીને પણ બોલાવવામાં આવશે તેવી માહિતી હાલ મળી રહી છે. ત્યારે દીકરી જલ્દીથી સુરક્ષિત રીતે બહાર નીકળી આવે તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. 


બાળકી જીવતી બહાર આવે તે માટે કરાઈ રહી છે પ્રાર્થના!

ત્યારે બાળકી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે કે કેમ તેની પર સૌ કોઈની નજર છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં બોરવેલમાં ફસાયેલું બાળક જીવતા બહાર નીકળે તો એવા પણ અનેક કિસ્સાઓ છે જેમાં ભારે મહેનત કર્યા બાદ પણ જીવ નથી બચાવાઈ શકાતો. જામનગરમાં જે દીકરી બોરવેલમાં ફસાઈ હતી તે મૃત્યુ પામી છે. ત્યારે જોવું રહ્યું કે આ બાળકીને જીવતી બચાવવાના પ્રયાસ સફળતા થાય કે કેમ તે જોવું રહ્યું.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.