બાહુબલી આનંદ મોહનને જેલ મુક્ત કરવા મામલે નિતીશ સરકારને સુપ્રીમે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-08 16:27:53

બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનની જેલ મુક્તિના વિરોધમાં આજે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર અને આનંદ મોહનને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે બે સપ્તાહમાં જવાબ રજુ કરવાની સુચના આપી છે. તે ઉપરાંત મુક્તિ સાથે સંકળાયેલા રેકોર્ડ પણ આપવાનું પણ કહ્યું છે. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ જે કે મહેશ્વરીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. 


દિવંગત IAS જી કૃષ્ણૈય્યાની પત્નીએ કરી છે અરજી


આનંદ મોહન સામે કોર્ટમાં દિવંગત IAS અધિકારી જી કૃષ્ણૈય્યાની પત્ની ઉમા દેવીએ અરજી કરી હતી. તેમની અરજીમાં ઉમા દેવીએ 3 મેના રોજ બિહાર સરકારે કાયદામાં સુધારો કર્યો તેને સુપ્રીમમાં પડકાર્યો છે. ઉમા દેવીનો આરોપ છે કે જ્યારે આનંદ મોહનને આજીવન કારાવાસની સજા થઈ છે તો પછી તે તેમને માત્ર 15 વર્ષમાં જ જેલ મુક્ત કઈ રીતે કરવામાં આવ્યા. તેમણે આ મામલે સર્વોચ્ચ અદાલતને ગંભીરતાથી વિચાર કરવાની વિનંતી કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


બિહાર સરકારે 10મી એપ્રિલે બિહાર જેલ મેન્યુઅલ 2012માં ફેરફાર કર્યો હતો. આ અંતર્ગત ફરજ પરના સરકારી કર્મચારીની હત્યાને પણ સામાન્ય હત્યાની જેમ જ બનાવી દેવામાં આવી હતી. અગાઉ એવી જોગવાઈ હતી કે ફરજ પર તૈનાત સરકારી કર્મચારીના હત્યારાઓને જેલમુક્ત કરવામાં આવશે નહીં. કાયદામાં સુધારો કરાયા બાદ આનંદ મોહનની જેલમાંથી છૂટવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આ પછી 27 એપ્રિલે આનંદ મોહનને સહરસા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આનંદ મોહનની મુક્તિ પર વિરોધ પક્ષોએ પણ કોઈ વિરોધ કર્યો ન હતો. નિયમોમાં ફેરફારને લઈને પટના હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.