બાહુબલી આનંદ મોહનને જેલ મુક્ત કરવા મામલે નિતીશ સરકારને સુપ્રીમે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-08 16:27:53

બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનની જેલ મુક્તિના વિરોધમાં આજે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર અને આનંદ મોહનને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે બે સપ્તાહમાં જવાબ રજુ કરવાની સુચના આપી છે. તે ઉપરાંત મુક્તિ સાથે સંકળાયેલા રેકોર્ડ પણ આપવાનું પણ કહ્યું છે. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ જે કે મહેશ્વરીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. 


દિવંગત IAS જી કૃષ્ણૈય્યાની પત્નીએ કરી છે અરજી


આનંદ મોહન સામે કોર્ટમાં દિવંગત IAS અધિકારી જી કૃષ્ણૈય્યાની પત્ની ઉમા દેવીએ અરજી કરી હતી. તેમની અરજીમાં ઉમા દેવીએ 3 મેના રોજ બિહાર સરકારે કાયદામાં સુધારો કર્યો તેને સુપ્રીમમાં પડકાર્યો છે. ઉમા દેવીનો આરોપ છે કે જ્યારે આનંદ મોહનને આજીવન કારાવાસની સજા થઈ છે તો પછી તે તેમને માત્ર 15 વર્ષમાં જ જેલ મુક્ત કઈ રીતે કરવામાં આવ્યા. તેમણે આ મામલે સર્વોચ્ચ અદાલતને ગંભીરતાથી વિચાર કરવાની વિનંતી કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


બિહાર સરકારે 10મી એપ્રિલે બિહાર જેલ મેન્યુઅલ 2012માં ફેરફાર કર્યો હતો. આ અંતર્ગત ફરજ પરના સરકારી કર્મચારીની હત્યાને પણ સામાન્ય હત્યાની જેમ જ બનાવી દેવામાં આવી હતી. અગાઉ એવી જોગવાઈ હતી કે ફરજ પર તૈનાત સરકારી કર્મચારીના હત્યારાઓને જેલમુક્ત કરવામાં આવશે નહીં. કાયદામાં સુધારો કરાયા બાદ આનંદ મોહનની જેલમાંથી છૂટવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આ પછી 27 એપ્રિલે આનંદ મોહનને સહરસા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આનંદ મોહનની મુક્તિ પર વિરોધ પક્ષોએ પણ કોઈ વિરોધ કર્યો ન હતો. નિયમોમાં ફેરફારને લઈને પટના હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.