એન્ટિલિયા ખાતે અનંત અંબાણીએ અને રાધિકા મર્ચન્ટે કરી સગાઈ, નીતા અંબાણીએ પરિવાર સાથે કર્યો ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-01-20 12:24:33

ગુરૂવારે એન્ટિલાયા ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત રીતે સગાઈ કરી હતી. ગોળ ધાણા તેમજ ચૂંદડીની વિધી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમીતે પરિવારના સભ્યોએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ કર્યું હતું. મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ પરિવારના સભ્યોએ ડાન્સ પરફોર્મ કર્યો હતો.


એન્ટિલિયા ખાતે યોજાઈ સગાઈની વિધી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં એન્ટિલા ખાતે સગાઈ કરી હતી. સગાઈને લઈને એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. હિંદુ પરંપરા અનુસાર પહેલા ગોળ ધાણા અને ચૂંદડીની વિધી કરવામાં આવી હતી. ડોગ તેમની રિન્ગસ લઈને આવ્યો હતો. રાધિકા અને અનંતને સરપ્રાઈઝ આપવા પરિવારના સભ્યો દ્વારા ડાન્સ પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બંને પરિવારે ભેટની આપ-લે પણ કરી હતી. 

ડાબેથી ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશની પત્ની શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.

રાધિકા મર્ચન્ટના પિતા ગુજરાતના કચ્છના રહેવાસી છે. પિતા વિરેન અને માતા શૈલા ઉપરાંત રાધિકાના પરિવારમાં એક નાની બહેન પણ છે. તેનું નામ અંજલિ મર્ચન્ટ છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અનંત અને રાધિકાની સગાઈના ફંક્શનમાં હાજરી આપી હતી.

અનેક હસ્તીઓએ આપી પ્રસંગમાં હાજરી   

આ પ્રસંગમાં મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. બોલિવુડથી લઈ ક્રિકેટ જગતના લોકો આ સમારંભમાં હાજર હતા. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર સાથે પુત્રવધુનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઐશ્વર્યારાય તેમની પુત્રી સાથે પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેમની પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા. તે ઉપરાંત અક્ષયકુમાર, કરણ જોહર, સિંગર શ્રેયા ઘોષાલ, કિરણ રાવ તેમજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા હતા.  

बेटी आराध्या के साथ एक्ट्रेस ऐश्वर्या राय बच्चन इस फंक्शन में शरीक हुईं।

क्रिकेटर सचिन तेंदुलकर पत्नी अंजलि तेंदुलकर के साथ अनंत-राधिका की सगाई सेरेमनी में पहुंचे।


सिंगर श्रेया घोषाल अनंत-राधिका की सगाई सेरेमनी में शामिल हुईं। लाल रंग के सूट में वे काफी खूबसूरत नजर आईं।


शिवसेना प्रमुख उद्धव ठाकरे के बेटे आदित्य ठाकरे ने पार्टी में शिरकत की।



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.