એન્ટિલિયા ખાતે અનંત અંબાણીએ અને રાધિકા મર્ચન્ટે કરી સગાઈ, નીતા અંબાણીએ પરિવાર સાથે કર્યો ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-01-20 12:24:33

ગુરૂવારે એન્ટિલાયા ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત રીતે સગાઈ કરી હતી. ગોળ ધાણા તેમજ ચૂંદડીની વિધી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમીતે પરિવારના સભ્યોએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ કર્યું હતું. મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ પરિવારના સભ્યોએ ડાન્સ પરફોર્મ કર્યો હતો.


એન્ટિલિયા ખાતે યોજાઈ સગાઈની વિધી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં એન્ટિલા ખાતે સગાઈ કરી હતી. સગાઈને લઈને એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. હિંદુ પરંપરા અનુસાર પહેલા ગોળ ધાણા અને ચૂંદડીની વિધી કરવામાં આવી હતી. ડોગ તેમની રિન્ગસ લઈને આવ્યો હતો. રાધિકા અને અનંતને સરપ્રાઈઝ આપવા પરિવારના સભ્યો દ્વારા ડાન્સ પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બંને પરિવારે ભેટની આપ-લે પણ કરી હતી. 

ડાબેથી ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશની પત્ની શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.

રાધિકા મર્ચન્ટના પિતા ગુજરાતના કચ્છના રહેવાસી છે. પિતા વિરેન અને માતા શૈલા ઉપરાંત રાધિકાના પરિવારમાં એક નાની બહેન પણ છે. તેનું નામ અંજલિ મર્ચન્ટ છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અનંત અને રાધિકાની સગાઈના ફંક્શનમાં હાજરી આપી હતી.

અનેક હસ્તીઓએ આપી પ્રસંગમાં હાજરી   

આ પ્રસંગમાં મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. બોલિવુડથી લઈ ક્રિકેટ જગતના લોકો આ સમારંભમાં હાજર હતા. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર સાથે પુત્રવધુનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઐશ્વર્યારાય તેમની પુત્રી સાથે પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેમની પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા. તે ઉપરાંત અક્ષયકુમાર, કરણ જોહર, સિંગર શ્રેયા ઘોષાલ, કિરણ રાવ તેમજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા હતા.  

बेटी आराध्या के साथ एक्ट्रेस ऐश्वर्या राय बच्चन इस फंक्शन में शरीक हुईं।

क्रिकेटर सचिन तेंदुलकर पत्नी अंजलि तेंदुलकर के साथ अनंत-राधिका की सगाई सेरेमनी में पहुंचे।


सिंगर श्रेया घोषाल अनंत-राधिका की सगाई सेरेमनी में शामिल हुईं। लाल रंग के सूट में वे काफी खूबसूरत नजर आईं।


शिवसेना प्रमुख उद्धव ठाकरे के बेटे आदित्य ठाकरे ने पार्टी में शिरकत की।



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.