એન્ટિલિયા ખાતે અનંત અંબાણીએ અને રાધિકા મર્ચન્ટે કરી સગાઈ, નીતા અંબાણીએ પરિવાર સાથે કર્યો ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-01-20 12:24:33

ગુરૂવારે એન્ટિલાયા ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત રીતે સગાઈ કરી હતી. ગોળ ધાણા તેમજ ચૂંદડીની વિધી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમીતે પરિવારના સભ્યોએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ કર્યું હતું. મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ પરિવારના સભ્યોએ ડાન્સ પરફોર્મ કર્યો હતો.


એન્ટિલિયા ખાતે યોજાઈ સગાઈની વિધી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં એન્ટિલા ખાતે સગાઈ કરી હતી. સગાઈને લઈને એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. હિંદુ પરંપરા અનુસાર પહેલા ગોળ ધાણા અને ચૂંદડીની વિધી કરવામાં આવી હતી. ડોગ તેમની રિન્ગસ લઈને આવ્યો હતો. રાધિકા અને અનંતને સરપ્રાઈઝ આપવા પરિવારના સભ્યો દ્વારા ડાન્સ પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બંને પરિવારે ભેટની આપ-લે પણ કરી હતી. 

ડાબેથી ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશની પત્ની શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.

રાધિકા મર્ચન્ટના પિતા ગુજરાતના કચ્છના રહેવાસી છે. પિતા વિરેન અને માતા શૈલા ઉપરાંત રાધિકાના પરિવારમાં એક નાની બહેન પણ છે. તેનું નામ અંજલિ મર્ચન્ટ છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અનંત અને રાધિકાની સગાઈના ફંક્શનમાં હાજરી આપી હતી.

અનેક હસ્તીઓએ આપી પ્રસંગમાં હાજરી   

આ પ્રસંગમાં મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. બોલિવુડથી લઈ ક્રિકેટ જગતના લોકો આ સમારંભમાં હાજર હતા. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર સાથે પુત્રવધુનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઐશ્વર્યારાય તેમની પુત્રી સાથે પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેમની પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા. તે ઉપરાંત અક્ષયકુમાર, કરણ જોહર, સિંગર શ્રેયા ઘોષાલ, કિરણ રાવ તેમજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા હતા.  

बेटी आराध्या के साथ एक्ट्रेस ऐश्वर्या राय बच्चन इस फंक्शन में शरीक हुईं।

क्रिकेटर सचिन तेंदुलकर पत्नी अंजलि तेंदुलकर के साथ अनंत-राधिका की सगाई सेरेमनी में पहुंचे।


सिंगर श्रेया घोषाल अनंत-राधिका की सगाई सेरेमनी में शामिल हुईं। लाल रंग के सूट में वे काफी खूबसूरत नजर आईं।


शिवसेना प्रमुख उद्धव ठाकरे के बेटे आदित्य ठाकरे ने पार्टी में शिरकत की।



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.