એન્ટિલિયા ખાતે અનંત અંબાણીએ અને રાધિકા મર્ચન્ટે કરી સગાઈ, નીતા અંબાણીએ પરિવાર સાથે કર્યો ડાન્સ


  • Published By :
  • Published Date : 2023-01-20 12:24:33

ગુરૂવારે એન્ટિલાયા ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત રીતે સગાઈ કરી હતી. ગોળ ધાણા તેમજ ચૂંદડીની વિધી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમીતે પરિવારના સભ્યોએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ કર્યું હતું. મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ પરિવારના સભ્યોએ ડાન્સ પરફોર્મ કર્યો હતો.


એન્ટિલિયા ખાતે યોજાઈ સગાઈની વિધી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવાર અને મિત્રોની હાજરીમાં એન્ટિલા ખાતે સગાઈ કરી હતી. સગાઈને લઈને એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. હિંદુ પરંપરા અનુસાર પહેલા ગોળ ધાણા અને ચૂંદડીની વિધી કરવામાં આવી હતી. ડોગ તેમની રિન્ગસ લઈને આવ્યો હતો. રાધિકા અને અનંતને સરપ્રાઈઝ આપવા પરિવારના સભ્યો દ્વારા ડાન્સ પ્રસ્તૂત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બંને પરિવારે ભેટની આપ-લે પણ કરી હતી. 

ડાબેથી ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશની પત્ની શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.

રાધિકા મર્ચન્ટના પિતા ગુજરાતના કચ્છના રહેવાસી છે. પિતા વિરેન અને માતા શૈલા ઉપરાંત રાધિકાના પરિવારમાં એક નાની બહેન પણ છે. તેનું નામ અંજલિ મર્ચન્ટ છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પણ અનંત અને રાધિકાની સગાઈના ફંક્શનમાં હાજરી આપી હતી.

અનેક હસ્તીઓએ આપી પ્રસંગમાં હાજરી   

આ પ્રસંગમાં મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. બોલિવુડથી લઈ ક્રિકેટ જગતના લોકો આ સમારંભમાં હાજર હતા. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર સાથે પુત્રવધુનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઐશ્વર્યારાય તેમની પુત્રી સાથે પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેમની પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા. તે ઉપરાંત અક્ષયકુમાર, કરણ જોહર, સિંગર શ્રેયા ઘોષાલ, કિરણ રાવ તેમજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા હતા.  

बेटी आराध्या के साथ एक्ट्रेस ऐश्वर्या राय बच्चन इस फंक्शन में शरीक हुईं।

क्रिकेटर सचिन तेंदुलकर पत्नी अंजलि तेंदुलकर के साथ अनंत-राधिका की सगाई सेरेमनी में पहुंचे।


सिंगर श्रेया घोषाल अनंत-राधिका की सगाई सेरेमनी में शामिल हुईं। लाल रंग के सूट में वे काफी खूबसूरत नजर आईं।


शिवसेना प्रमुख उद्धव ठाकरे के बेटे आदित्य ठाकरे ने पार्टी में शिरकत की।



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.