Anant Ambani Radhika Merchantના લગ્નના ફંક્શન શરૂ, ગઈકાલે યોજાઈ મામેરા વિધી


  • Published By :
  • Published Date : 2024-07-04 15:11:48

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણી પરિવારમાં લગ્ન પહેલાં મામેરા વિધિ  કરવામાં આવી. જેની ખૂબ સુંદર તસવીરો સામે આવી છે. એટલું જ નહીં અંબાણી પરિવારના સભ્યો એકદમ સુંદર તૈયાર થયા હતા. એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. આ ફંક્શન પણ પ્રીવેડિંગ ફંક્શનની જેમ ભવ્ય અને યુનિક રાખવામાં આવ્યું હતું... 

ગઈકાલે મામેરા વિધીનું કરાયું હતું આયોજન 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તે ભવ્યથી અતિભવ્ય હોય છે.. પ્રિ વેડિંગ ફંક્શનના વીડિયો આપણે જોયા છે.. મામેરા ફંક્શનના વીડિયો સામે આવ્યા છે. દુલ્હન રાધિકાએ ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. અંબાણી પરિવારની થનારી વહુ ખુબ સુંદર દેખાઈ રહી હતી. મામેરાની વાત કરીએ તો મામેરુ વિધિએ ગુજરાતી લગ્નની પરંપરા છે. જે લગ્નના એક કે બે દિવસ પહેલા કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં, કન્યાના મામા કન્યાને સાડી, ઘરેણાં અને સફેદ બંગડીઓ આપે છે.. 



12 જુલાઈએ થવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અનંત અંબાણી અને રાધિકાના લગ્નના કાર્ડ વહેચાઈ ગયા છે 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં તેમના લગ્ન થવાના છે. 13મી જુલાઈના રોજ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એટલે આ પહેલી વિધીના દ્રશ્યો સામે આવ્યા છે. 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.