Anant Ambani Radhika Merchantના લગ્નના ફંક્શન શરૂ, ગઈકાલે યોજાઈ મામેરા વિધી


  • Published By :
  • Published Date : 2024-07-04 15:11:48

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણી પરિવારમાં લગ્ન પહેલાં મામેરા વિધિ  કરવામાં આવી. જેની ખૂબ સુંદર તસવીરો સામે આવી છે. એટલું જ નહીં અંબાણી પરિવારના સભ્યો એકદમ સુંદર તૈયાર થયા હતા. એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. આ ફંક્શન પણ પ્રીવેડિંગ ફંક્શનની જેમ ભવ્ય અને યુનિક રાખવામાં આવ્યું હતું... 

ગઈકાલે મામેરા વિધીનું કરાયું હતું આયોજન 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તે ભવ્યથી અતિભવ્ય હોય છે.. પ્રિ વેડિંગ ફંક્શનના વીડિયો આપણે જોયા છે.. મામેરા ફંક્શનના વીડિયો સામે આવ્યા છે. દુલ્હન રાધિકાએ ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. અંબાણી પરિવારની થનારી વહુ ખુબ સુંદર દેખાઈ રહી હતી. મામેરાની વાત કરીએ તો મામેરુ વિધિએ ગુજરાતી લગ્નની પરંપરા છે. જે લગ્નના એક કે બે દિવસ પહેલા કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં, કન્યાના મામા કન્યાને સાડી, ઘરેણાં અને સફેદ બંગડીઓ આપે છે.. 



12 જુલાઈએ થવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અનંત અંબાણી અને રાધિકાના લગ્નના કાર્ડ વહેચાઈ ગયા છે 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં તેમના લગ્ન થવાના છે. 13મી જુલાઈના રોજ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એટલે આ પહેલી વિધીના દ્રશ્યો સામે આવ્યા છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.