Anant Ambani Radhika Merchantના લગ્નના ફંક્શન શરૂ, ગઈકાલે યોજાઈ મામેરા વિધી


  • Published By :
  • Published Date : 2024-07-04 15:11:48

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણી પરિવારમાં લગ્ન પહેલાં મામેરા વિધિ  કરવામાં આવી. જેની ખૂબ સુંદર તસવીરો સામે આવી છે. એટલું જ નહીં અંબાણી પરિવારના સભ્યો એકદમ સુંદર તૈયાર થયા હતા. એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. આ ફંક્શન પણ પ્રીવેડિંગ ફંક્શનની જેમ ભવ્ય અને યુનિક રાખવામાં આવ્યું હતું... 

ગઈકાલે મામેરા વિધીનું કરાયું હતું આયોજન 

અંબાણી પરિવારમાં કોઈ પણ ફંક્શન કેમ ના હોય તે ભવ્યથી અતિભવ્ય હોય છે.. પ્રિ વેડિંગ ફંક્શનના વીડિયો આપણે જોયા છે.. મામેરા ફંક્શનના વીડિયો સામે આવ્યા છે. દુલ્હન રાધિકાએ ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. અંબાણી પરિવારની થનારી વહુ ખુબ સુંદર દેખાઈ રહી હતી. મામેરાની વાત કરીએ તો મામેરુ વિધિએ ગુજરાતી લગ્નની પરંપરા છે. જે લગ્નના એક કે બે દિવસ પહેલા કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં, કન્યાના મામા કન્યાને સાડી, ઘરેણાં અને સફેદ બંગડીઓ આપે છે.. 



12 જુલાઈએ થવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અનંત અંબાણી અને રાધિકાના લગ્નના કાર્ડ વહેચાઈ ગયા છે 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં તેમના લગ્ન થવાના છે. 13મી જુલાઈના રોજ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એટલે આ પહેલી વિધીના દ્રશ્યો સામે આવ્યા છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.