Anant Ambani - Radhika Merchantના લગ્નની કંકોત્રીનો વીડિયો આવ્યો સામે, કંકોત્રી એટલી અદ્ભૂત છે જે જોઈ તમે પણ કહેશો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-27 16:15:50

લગ્ન પ્રસંગ માટે આવતા ઈન્વિટેશન કાર્ડ તો તમે અનેક જોયા હશે.. પરંતુ અમુક ઈન્વિટેશન કાર્ડ એટલા ભવ્ય હોય કે હંમેશા માટે યાદ રહી જાય.. અને એમાં પણ જો પ્રસંગ અંબાણી પરિવારનો હોય તો પછી કહેવું જ શું? ઈન્વિટેશન કાર્ડથી લઈને પ્રિ-વેડિંગ અને બધા ફંક્શન કલ્પના બહારના જ હોય 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે.

કાર્ડ આપવાની શરૂઆત થઈ ગઈ છે..! 

અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય તે ખૂબ ધામધૂમથી થતો હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ  હોય કે પછી લગ્નની કંકોત્રી હોય તેમની બધી જ વસ્તુ જ હમેશા ચર્ચામાં રહેતી હોય છે. અંબાણી પરિવારમાં થોડા દિવસો બાદ શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના કાર્ડ અને આમંત્રણ આપવાની શરૂઆત કરી દીધી છે. 




લગ્ન પહેલા બે પ્રિવેડિંગ યોજાયા...!

જે લગ્નનું પ્રીવેડિંગ આટલું ભવ્ય હતું એ લગ્ન કેટલા ભવ્ય હશે એ વિચારો.. આ ભવ્ય ઉજવણીને લઈને ઘણી હાઈપ બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે અનંત અને રાધિકા મર્ચન્ટે લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફેસ્ટિવલ કર્યા હતા. અને હવે  પરિવારના સભ્યો પોતે VVIP ગેસ્ટને કાર્ડ આપવા જઈ રહ્યા છે અને એ કાર્ડ પણ ખૂબ ખાસ છે.. 


આમંત્રણ પત્રિકાની અંદર મૂકવામાં આવી ભગવાનની પ્રતિમા

કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બધાના આકર્ષણનું કેન્દ્ર પણ છે. કારણ કે લગ્નનું આમંત્રણ એક ખાસ બોક્સમાં છે તેને ખોલતાં જ ભગવાનના દર્શન થાય છે. અંદર ભગવાનની 4 નાની મૂર્તિઓ છે. જે ચાંદી અને સોનાની બનેલી છે તેની નીચે એક સોનેરી રંગનું કાર્ડ મૂકવામાં આવ્યું છે, જે ભવ્ય ગેટ જેવું બનાવ્યું છે. જે ખોલીએ એટલે , ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાથી શણગારેલી ભવ્ય પ્રતિમ દેખાય છે.. કોઈ પણ માણસ આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડ જુએ તો એની આંખો અંજાઈ જાય. 



12 જુલાઈએ યોજાવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અત્યાર સુધીમાં આ કંકોતરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, તથા બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને અજય દેવગણને પહોંચી ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે અને દેશ-વિદેશના પ્રખ્યાત લોકો તેમના લગ્નના સાક્ષી બનશે. પ્રી-વેડિંગ ફંક્શનની જેમ લગ્નની વિધિ પણ ભવ્ય હશે. ત્યારે તમારૂં આ કાર્ડને લઈ શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.