Anant Ambani - Radhika Merchantના લગ્નની કંકોત્રીનો વીડિયો આવ્યો સામે, કંકોત્રી એટલી અદ્ભૂત છે જે જોઈ તમે પણ કહેશો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-27 16:15:50

લગ્ન પ્રસંગ માટે આવતા ઈન્વિટેશન કાર્ડ તો તમે અનેક જોયા હશે.. પરંતુ અમુક ઈન્વિટેશન કાર્ડ એટલા ભવ્ય હોય કે હંમેશા માટે યાદ રહી જાય.. અને એમાં પણ જો પ્રસંગ અંબાણી પરિવારનો હોય તો પછી કહેવું જ શું? ઈન્વિટેશન કાર્ડથી લઈને પ્રિ-વેડિંગ અને બધા ફંક્શન કલ્પના બહારના જ હોય 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે.

કાર્ડ આપવાની શરૂઆત થઈ ગઈ છે..! 

અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય તે ખૂબ ધામધૂમથી થતો હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ  હોય કે પછી લગ્નની કંકોત્રી હોય તેમની બધી જ વસ્તુ જ હમેશા ચર્ચામાં રહેતી હોય છે. અંબાણી પરિવારમાં થોડા દિવસો બાદ શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના કાર્ડ અને આમંત્રણ આપવાની શરૂઆત કરી દીધી છે. 




લગ્ન પહેલા બે પ્રિવેડિંગ યોજાયા...!

જે લગ્નનું પ્રીવેડિંગ આટલું ભવ્ય હતું એ લગ્ન કેટલા ભવ્ય હશે એ વિચારો.. આ ભવ્ય ઉજવણીને લઈને ઘણી હાઈપ બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે અનંત અને રાધિકા મર્ચન્ટે લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફેસ્ટિવલ કર્યા હતા. અને હવે  પરિવારના સભ્યો પોતે VVIP ગેસ્ટને કાર્ડ આપવા જઈ રહ્યા છે અને એ કાર્ડ પણ ખૂબ ખાસ છે.. 


આમંત્રણ પત્રિકાની અંદર મૂકવામાં આવી ભગવાનની પ્રતિમા

કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બધાના આકર્ષણનું કેન્દ્ર પણ છે. કારણ કે લગ્નનું આમંત્રણ એક ખાસ બોક્સમાં છે તેને ખોલતાં જ ભગવાનના દર્શન થાય છે. અંદર ભગવાનની 4 નાની મૂર્તિઓ છે. જે ચાંદી અને સોનાની બનેલી છે તેની નીચે એક સોનેરી રંગનું કાર્ડ મૂકવામાં આવ્યું છે, જે ભવ્ય ગેટ જેવું બનાવ્યું છે. જે ખોલીએ એટલે , ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાથી શણગારેલી ભવ્ય પ્રતિમ દેખાય છે.. કોઈ પણ માણસ આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડ જુએ તો એની આંખો અંજાઈ જાય. 



12 જુલાઈએ યોજાવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અત્યાર સુધીમાં આ કંકોતરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, તથા બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને અજય દેવગણને પહોંચી ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે અને દેશ-વિદેશના પ્રખ્યાત લોકો તેમના લગ્નના સાક્ષી બનશે. પ્રી-વેડિંગ ફંક્શનની જેમ લગ્નની વિધિ પણ ભવ્ય હશે. ત્યારે તમારૂં આ કાર્ડને લઈ શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.