Anant Ambani - Radhika Merchantના લગ્નની કંકોત્રીનો વીડિયો આવ્યો સામે, કંકોત્રી એટલી અદ્ભૂત છે જે જોઈ તમે પણ કહેશો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-27 16:15:50

લગ્ન પ્રસંગ માટે આવતા ઈન્વિટેશન કાર્ડ તો તમે અનેક જોયા હશે.. પરંતુ અમુક ઈન્વિટેશન કાર્ડ એટલા ભવ્ય હોય કે હંમેશા માટે યાદ રહી જાય.. અને એમાં પણ જો પ્રસંગ અંબાણી પરિવારનો હોય તો પછી કહેવું જ શું? ઈન્વિટેશન કાર્ડથી લઈને પ્રિ-વેડિંગ અને બધા ફંક્શન કલ્પના બહારના જ હોય 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે.

કાર્ડ આપવાની શરૂઆત થઈ ગઈ છે..! 

અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય તે ખૂબ ધામધૂમથી થતો હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ  હોય કે પછી લગ્નની કંકોત્રી હોય તેમની બધી જ વસ્તુ જ હમેશા ચર્ચામાં રહેતી હોય છે. અંબાણી પરિવારમાં થોડા દિવસો બાદ શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના કાર્ડ અને આમંત્રણ આપવાની શરૂઆત કરી દીધી છે. 




લગ્ન પહેલા બે પ્રિવેડિંગ યોજાયા...!

જે લગ્નનું પ્રીવેડિંગ આટલું ભવ્ય હતું એ લગ્ન કેટલા ભવ્ય હશે એ વિચારો.. આ ભવ્ય ઉજવણીને લઈને ઘણી હાઈપ બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે અનંત અને રાધિકા મર્ચન્ટે લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફેસ્ટિવલ કર્યા હતા. અને હવે  પરિવારના સભ્યો પોતે VVIP ગેસ્ટને કાર્ડ આપવા જઈ રહ્યા છે અને એ કાર્ડ પણ ખૂબ ખાસ છે.. 


આમંત્રણ પત્રિકાની અંદર મૂકવામાં આવી ભગવાનની પ્રતિમા

કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બધાના આકર્ષણનું કેન્દ્ર પણ છે. કારણ કે લગ્નનું આમંત્રણ એક ખાસ બોક્સમાં છે તેને ખોલતાં જ ભગવાનના દર્શન થાય છે. અંદર ભગવાનની 4 નાની મૂર્તિઓ છે. જે ચાંદી અને સોનાની બનેલી છે તેની નીચે એક સોનેરી રંગનું કાર્ડ મૂકવામાં આવ્યું છે, જે ભવ્ય ગેટ જેવું બનાવ્યું છે. જે ખોલીએ એટલે , ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાથી શણગારેલી ભવ્ય પ્રતિમ દેખાય છે.. કોઈ પણ માણસ આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડ જુએ તો એની આંખો અંજાઈ જાય. 



12 જુલાઈએ યોજાવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અત્યાર સુધીમાં આ કંકોતરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, તથા બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને અજય દેવગણને પહોંચી ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે અને દેશ-વિદેશના પ્રખ્યાત લોકો તેમના લગ્નના સાક્ષી બનશે. પ્રી-વેડિંગ ફંક્શનની જેમ લગ્નની વિધિ પણ ભવ્ય હશે. ત્યારે તમારૂં આ કાર્ડને લઈ શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.