જાણો અનંત ચતુર્દશી અને ગણેશ મહિમા વિશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:25:52

ભારતને ઉત્સવોનો દેશ કહેવામાં આવે છે. દરેક મહિનામાં કોઈને કોઈ તહેવાર ઉજવાતો રહે છે. તહેવારો ધર્મોને સાથે લાવવાનું કામ કરે છે. વિવિધ મહિનાઓમાં વિવિધ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વનું હોય છે. એવું વર્ણન આપણા પૂરાણોમાં જોવા મળે છે. શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે તો ભાદરવા મહિનામાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની આરાધના થાય છે. 


પ્રથમ પૂજ્ય ગણેશની કરાય છે પૂજા 

ભાદરવા સુદ ચોથથી લઈ ભાદરવા સુદ ચૌદસ સુધી ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે ભક્તિભાવ સાથે તેમજ ઉત્સાહ સાથે પાર્વતી નંદનની ભક્તો પૂજા કરતા હોય છે. ભક્તો પોતાના ઘરે તેમજ સાર્વજનિક સ્થળો પર વિઘ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરતા હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન એકદંતની આગતા-સ્વાગતા તેમજ વિશેષ પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નાદ સંભળાય છે. પરંતુ મહોત્સવ બાદ અનંત ચતુર્દથીના દિવસે બાપ્પાને વિદાય આપતા હોય છે. ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. 


ગણેશોત્સવનો સંક્ષિપ્ત ઈતિહાસ

ઘરે ગણપતિની પ્રતિમા લાવવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. સાર્વજનીક સ્થળો પર ગણેશોત્સવની શરૂઆત બાલ ગંગાધર તિલકે કરી હતી. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ પ્રતિમાને વિસર્જિત કરવાની પ્રથા છે. ભગવાન સર્વ વ્યાપિ છે તેમજ જેનું નિર્માણ થાય છે તેનું વિસર્જન નિશ્ચિત છે. તે દર્શાવવા ગણપતિજીને અનંતમાં, સાકારને નિરાકારમાં વિલીન કરીએ છીએ. 


ગણપતિ વિસર્જનની પ્રચલિત દંતકથા 

એક પ્રચલિત કથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસ તપ કરી રહ્યા હતા ત્યારે તપ પૂર્ણ થતા તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. પોતાના દેહને ઠંડક પહોચાડવા તેમણે નદીમાં સ્નાન કર્યું હતું, તે બાદ ગણપતિને નદીમાં પધરાવવાની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.