જાણો અનંત ચતુર્દશી અને ગણેશ મહિમા વિશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:25:52

ભારતને ઉત્સવોનો દેશ કહેવામાં આવે છે. દરેક મહિનામાં કોઈને કોઈ તહેવાર ઉજવાતો રહે છે. તહેવારો ધર્મોને સાથે લાવવાનું કામ કરે છે. વિવિધ મહિનાઓમાં વિવિધ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વનું હોય છે. એવું વર્ણન આપણા પૂરાણોમાં જોવા મળે છે. શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે તો ભાદરવા મહિનામાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની આરાધના થાય છે. 


પ્રથમ પૂજ્ય ગણેશની કરાય છે પૂજા 

ભાદરવા સુદ ચોથથી લઈ ભાદરવા સુદ ચૌદસ સુધી ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે ભક્તિભાવ સાથે તેમજ ઉત્સાહ સાથે પાર્વતી નંદનની ભક્તો પૂજા કરતા હોય છે. ભક્તો પોતાના ઘરે તેમજ સાર્વજનિક સ્થળો પર વિઘ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરતા હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન એકદંતની આગતા-સ્વાગતા તેમજ વિશેષ પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નાદ સંભળાય છે. પરંતુ મહોત્સવ બાદ અનંત ચતુર્દથીના દિવસે બાપ્પાને વિદાય આપતા હોય છે. ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. 


ગણેશોત્સવનો સંક્ષિપ્ત ઈતિહાસ

ઘરે ગણપતિની પ્રતિમા લાવવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. સાર્વજનીક સ્થળો પર ગણેશોત્સવની શરૂઆત બાલ ગંગાધર તિલકે કરી હતી. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ પ્રતિમાને વિસર્જિત કરવાની પ્રથા છે. ભગવાન સર્વ વ્યાપિ છે તેમજ જેનું નિર્માણ થાય છે તેનું વિસર્જન નિશ્ચિત છે. તે દર્શાવવા ગણપતિજીને અનંતમાં, સાકારને નિરાકારમાં વિલીન કરીએ છીએ. 


ગણપતિ વિસર્જનની પ્રચલિત દંતકથા 

એક પ્રચલિત કથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસ તપ કરી રહ્યા હતા ત્યારે તપ પૂર્ણ થતા તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. પોતાના દેહને ઠંડક પહોચાડવા તેમણે નદીમાં સ્નાન કર્યું હતું, તે બાદ ગણપતિને નદીમાં પધરાવવાની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.