જાણો અનંત ચતુર્દશી અને ગણેશ મહિમા વિશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:25:52

ભારતને ઉત્સવોનો દેશ કહેવામાં આવે છે. દરેક મહિનામાં કોઈને કોઈ તહેવાર ઉજવાતો રહે છે. તહેવારો ધર્મોને સાથે લાવવાનું કામ કરે છે. વિવિધ મહિનાઓમાં વિવિધ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વનું હોય છે. એવું વર્ણન આપણા પૂરાણોમાં જોવા મળે છે. શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે તો ભાદરવા મહિનામાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની આરાધના થાય છે. 


પ્રથમ પૂજ્ય ગણેશની કરાય છે પૂજા 

ભાદરવા સુદ ચોથથી લઈ ભાદરવા સુદ ચૌદસ સુધી ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે ભક્તિભાવ સાથે તેમજ ઉત્સાહ સાથે પાર્વતી નંદનની ભક્તો પૂજા કરતા હોય છે. ભક્તો પોતાના ઘરે તેમજ સાર્વજનિક સ્થળો પર વિઘ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરતા હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન એકદંતની આગતા-સ્વાગતા તેમજ વિશેષ પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નાદ સંભળાય છે. પરંતુ મહોત્સવ બાદ અનંત ચતુર્દથીના દિવસે બાપ્પાને વિદાય આપતા હોય છે. ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. 


ગણેશોત્સવનો સંક્ષિપ્ત ઈતિહાસ

ઘરે ગણપતિની પ્રતિમા લાવવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. સાર્વજનીક સ્થળો પર ગણેશોત્સવની શરૂઆત બાલ ગંગાધર તિલકે કરી હતી. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ પ્રતિમાને વિસર્જિત કરવાની પ્રથા છે. ભગવાન સર્વ વ્યાપિ છે તેમજ જેનું નિર્માણ થાય છે તેનું વિસર્જન નિશ્ચિત છે. તે દર્શાવવા ગણપતિજીને અનંતમાં, સાકારને નિરાકારમાં વિલીન કરીએ છીએ. 


ગણપતિ વિસર્જનની પ્રચલિત દંતકથા 

એક પ્રચલિત કથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસ તપ કરી રહ્યા હતા ત્યારે તપ પૂર્ણ થતા તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. પોતાના દેહને ઠંડક પહોચાડવા તેમણે નદીમાં સ્નાન કર્યું હતું, તે બાદ ગણપતિને નદીમાં પધરાવવાની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .