જાણો અનંત ચતુર્દશી અને ગણેશ મહિમા વિશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:25:52

ભારતને ઉત્સવોનો દેશ કહેવામાં આવે છે. દરેક મહિનામાં કોઈને કોઈ તહેવાર ઉજવાતો રહે છે. તહેવારો ધર્મોને સાથે લાવવાનું કામ કરે છે. વિવિધ મહિનાઓમાં વિવિધ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વનું હોય છે. એવું વર્ણન આપણા પૂરાણોમાં જોવા મળે છે. શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે તો ભાદરવા મહિનામાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની આરાધના થાય છે. 


પ્રથમ પૂજ્ય ગણેશની કરાય છે પૂજા 

ભાદરવા સુદ ચોથથી લઈ ભાદરવા સુદ ચૌદસ સુધી ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે ભક્તિભાવ સાથે તેમજ ઉત્સાહ સાથે પાર્વતી નંદનની ભક્તો પૂજા કરતા હોય છે. ભક્તો પોતાના ઘરે તેમજ સાર્વજનિક સ્થળો પર વિઘ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરતા હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન એકદંતની આગતા-સ્વાગતા તેમજ વિશેષ પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નાદ સંભળાય છે. પરંતુ મહોત્સવ બાદ અનંત ચતુર્દથીના દિવસે બાપ્પાને વિદાય આપતા હોય છે. ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. 


ગણેશોત્સવનો સંક્ષિપ્ત ઈતિહાસ

ઘરે ગણપતિની પ્રતિમા લાવવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. સાર્વજનીક સ્થળો પર ગણેશોત્સવની શરૂઆત બાલ ગંગાધર તિલકે કરી હતી. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ પ્રતિમાને વિસર્જિત કરવાની પ્રથા છે. ભગવાન સર્વ વ્યાપિ છે તેમજ જેનું નિર્માણ થાય છે તેનું વિસર્જન નિશ્ચિત છે. તે દર્શાવવા ગણપતિજીને અનંતમાં, સાકારને નિરાકારમાં વિલીન કરીએ છીએ. 


ગણપતિ વિસર્જનની પ્રચલિત દંતકથા 

એક પ્રચલિત કથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસ તપ કરી રહ્યા હતા ત્યારે તપ પૂર્ણ થતા તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. પોતાના દેહને ઠંડક પહોચાડવા તેમણે નદીમાં સ્નાન કર્યું હતું, તે બાદ ગણપતિને નદીમાં પધરાવવાની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.