પાકિસ્તાનને વધુ એક ઝટકો, ગુમાવી શકે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની, PCBએ ICCને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-27 22:55:20

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે, એશિયા કપ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાંથી જઈ શકે છે. વર્ષ 2025 માં યોજાનાર ચેમ્પિયન ટ્રોફીનું યજમાન પદ પાકિસ્તાન પાસે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાવાની છે, પરંતુ હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ યજમાની કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.એશિયા કપનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી દ્વારા હાઇબ્રીડ મોડલ પર કરવામાં આવ્યું હતું. તે સમયે તેના ગ્રાઉન્ડ ઉપર 17માંથી ચાર મેચ રમાઈ હતી અને 13 મેચ શ્રીલંકામાં રમાઈ હતી. ત્યારબાદ હવે ચેમ્પિયન ટ્રોફી સાથે પણ કંઈક આવું જ થવા જઈ રહ્યું છે ટુર્નામેન્ટની યજમાનની પાકિસ્તાન પાસેથી છીનવાઇ જાય તો નવાઈ નહીં! અથવા હાઇબ્રીડ મોડલ પર આયોજિત કરવામાં આવી શકે છે.


PCBનું ICC ઉપર કરાર પર હસ્તાક્ષર માટે દબાણ


PCBએ આઈસીસીને આ કરાર પર વહેલી તકે હસ્તાક્ષર કરવા કહ્યું છે. પાકિસ્તાનને ડર છે કે એશિયા કપ 2023ની જેમ BCCI ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી શકે છે.  PCBએ ICCને એમ પણ કહ્યું છે કે જો બીસીસીઆઈ કોઈપણ કારણોસર તેમના દેશમાં જવાનો ઈન્કાર કરે છે તો  PCBને આ માટે વળતર મેળવું જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરવામાં આવે તો ટુર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે અને જો પાકિસ્તાન આ મામલે વાંધો ઉઠાવે છે તો તેને હાઇબ્રીડ મોડલ હેઠળ આયોજન કરવું પડે તેવું જણાઈ રહ્યું છે  મહત્વનું છે કે BCCI પોતાની ટીમ પાકિસ્તાન રમવા માટે મોકલવા માટે રાજી ન થતું હોવાથી તેણે એશિયા કપમાં પણ આવું જ કર્યું હતું. હવે બોર્ડ ચેમ્પિયન ટ્રોફી માટે પણ પોતાના નિર્ણય પર અડગ હોવાથી હવે પાકિસ્તાન માટે આ ખરાબ સમાચાર સામાન બની રહે છે.


વર્લ્ડ કપ વખતે પણ સર્જાઈ હતી મડાગાઠ


ઉલ્લેખનિય છે કે આ પહેલા એશિયા કપ અને ODI વર્લ્ડ કપ દરમિયાન પણ BCCI અને PCB વચ્ચે સંઘર્ષ થયો હતો. ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાને વન ડે વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, આ મામલે BCCIનો હાથ ઉંચો રહ્યો અને પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ પર એશિયા કપ રમવાની ફરજ પડી હતી. શ્રીલંકાએ પાકિસ્તાન સાથે મળીને એશિયા કપની યજમાની કરી હતી. પાકિસ્તાનની ટીમ પણ ODI વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.