અમદાવાદના સીટીએમ બ્રિજ પરથી વધુ એક યુવતીએ લગાવી મોતની છલાંગ, કૂદકો મારવાની ચોથી ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-03 17:12:39

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતોના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી છે. એક મહિનામાં બ્રિજ પરથી ઝંપલાવવાની ચોથી ઘટના છે. થોડા દિવસ પહેલા જ એક યુવતીએ આ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. તે પહેલા વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

આપઘાત કરી જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલો ડબલ ડેકર બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. બ્રિજ પરથી કૂદકો મારવાની આજે ચોથી ઘટના બની છે. થોડા દિવસ પહેલા જ યુવતીએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 


બ્રિજ પરથી કૂદકો મારવાની બની ચોથી ઘટના 

મહિનામાં કૂદકો મારવાની આ ચોથી ઘટના બની છે. ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. ઈજાઓ પહોંચતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. તે પહેલા 7માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થી કૂદકો મારે તે પહેલા રાહદારીઓ દ્વારા તેને સમજાવી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.