અમદાવાદના સીટીએમ બ્રિજ પરથી વધુ એક યુવતીએ લગાવી મોતની છલાંગ, કૂદકો મારવાની ચોથી ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-03 17:12:39

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતોના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી છે. એક મહિનામાં બ્રિજ પરથી ઝંપલાવવાની ચોથી ઘટના છે. થોડા દિવસ પહેલા જ એક યુવતીએ આ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. તે પહેલા વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

આપઘાત કરી જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલો ડબલ ડેકર બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. બ્રિજ પરથી કૂદકો મારવાની આજે ચોથી ઘટના બની છે. થોડા દિવસ પહેલા જ યુવતીએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 


બ્રિજ પરથી કૂદકો મારવાની બની ચોથી ઘટના 

મહિનામાં કૂદકો મારવાની આ ચોથી ઘટના બની છે. ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. ઈજાઓ પહોંચતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. તે પહેલા 7માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થી કૂદકો મારે તે પહેલા રાહદારીઓ દ્વારા તેને સમજાવી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.   




ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.

બનાસકાંઠા લોકસભા બેઠક રસપ્રદ એટલા માટે રહેવાની છે કારણ કે બંને પાર્ટીએ બહેનોને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે. એક બનાસની બેન તરીકે પ્રચાર કરી રહ્યા છે તો બીજા બનાસની દીકરી તરીકે પ્રચાર કરી રહ્યા છે.

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી છે. નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે અને એક કાર્યક્રમમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિાયાન તેમણે કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી...