અમદાવાદના સીટીએમ બ્રિજ પરથી વધુ એક યુવતીએ લગાવી મોતની છલાંગ, કૂદકો મારવાની ચોથી ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-03 17:12:39

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતોના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી છે. એક મહિનામાં બ્રિજ પરથી ઝંપલાવવાની ચોથી ઘટના છે. થોડા દિવસ પહેલા જ એક યુવતીએ આ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. તે પહેલા વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

આપઘાત કરી જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલો ડબલ ડેકર બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. બ્રિજ પરથી કૂદકો મારવાની આજે ચોથી ઘટના બની છે. થોડા દિવસ પહેલા જ યુવતીએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 


બ્રિજ પરથી કૂદકો મારવાની બની ચોથી ઘટના 

મહિનામાં કૂદકો મારવાની આ ચોથી ઘટના બની છે. ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. ઈજાઓ પહોંચતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. તે પહેલા 7માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થી કૂદકો મારે તે પહેલા રાહદારીઓ દ્વારા તેને સમજાવી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.