કેનેડામાં રામ મંદિરની બહાર લખવામાં આવ્યા ભારત વિરૂદ્ધ સૂત્ર, કાર્યવાહી કરવા ઉઠી માગ


  • Published By :
  • Published Date : 2023-02-15 10:59:36

કેનેડામાં અનેક વખત હિંદુ મંદિરો બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત કેનેડાના મિસિસોગાના એક હિંદુ મંદિરની બહાર ભારત વિરોધી સ્લોગન લખવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારની છે અને રામ મંદિરની બહાર સૂત્રો લખવામાં આવ્યા છે અને હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 


મંદિરની દિવાલ પર લખાયા છે ભારત વિરૂદ્ધ સૂત્રો 

વિદેશોમાં હિંદુ મંદિરોને અનેક વખત નિશાન બનાવામાં આવતા હોય છે. અનેક વખત મંદિરોની બહાર ભારત વિરુદ્ધ સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી આવી જ એક ઘટના કેનેડાના મિસિસોગામાં બની છે જ્યાં રામ મંદિરની બહાર ભારત વિરુદ્ધ  સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટનાની નિંદા મહાવાણિજ્ય દૂતાવાસે કરી હતી. 

Image


પગલા લેવામાં આવે તેવી કરાઈ માગ 

કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટ કરી કહ્યુંઅને ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને વાતો સાથે મિસીસૌગામાં રામ મંદિરને બદનામ કરવાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે.


આ પહેલા મંદિરમાં કરાઈ હતી તોડફોડ  

હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવાની ઘટના પ્રથમ વખત નથી બની. એક વર્ષમાં આવી ઘટના ચોથી વખત બની રહી છે. અનેક વખત હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવામાં આવ્યા છે ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં કેનેડાના બ્રેન્પટનમાં આવેલા હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું હતું જે બાદ ગૌરી શંકર મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિંદુ મંદિરો બહાર આવા સૂત્રો લખવામાં આવતા હિંદુઓની નારાજગી સામે આવી રહી છે.              




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.