કેનેડામાં રામ મંદિરની બહાર લખવામાં આવ્યા ભારત વિરૂદ્ધ સૂત્ર, કાર્યવાહી કરવા ઉઠી માગ


  • Published By :
  • Published Date : 2023-02-15 10:59:36

કેનેડામાં અનેક વખત હિંદુ મંદિરો બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત કેનેડાના મિસિસોગાના એક હિંદુ મંદિરની બહાર ભારત વિરોધી સ્લોગન લખવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારની છે અને રામ મંદિરની બહાર સૂત્રો લખવામાં આવ્યા છે અને હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 


મંદિરની દિવાલ પર લખાયા છે ભારત વિરૂદ્ધ સૂત્રો 

વિદેશોમાં હિંદુ મંદિરોને અનેક વખત નિશાન બનાવામાં આવતા હોય છે. અનેક વખત મંદિરોની બહાર ભારત વિરુદ્ધ સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી આવી જ એક ઘટના કેનેડાના મિસિસોગામાં બની છે જ્યાં રામ મંદિરની બહાર ભારત વિરુદ્ધ  સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટનાની નિંદા મહાવાણિજ્ય દૂતાવાસે કરી હતી. 

Image


પગલા લેવામાં આવે તેવી કરાઈ માગ 

કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટ કરી કહ્યુંઅને ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને વાતો સાથે મિસીસૌગામાં રામ મંદિરને બદનામ કરવાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે.


આ પહેલા મંદિરમાં કરાઈ હતી તોડફોડ  

હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવાની ઘટના પ્રથમ વખત નથી બની. એક વર્ષમાં આવી ઘટના ચોથી વખત બની રહી છે. અનેક વખત હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવામાં આવ્યા છે ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં કેનેડાના બ્રેન્પટનમાં આવેલા હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું હતું જે બાદ ગૌરી શંકર મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિંદુ મંદિરો બહાર આવા સૂત્રો લખવામાં આવતા હિંદુઓની નારાજગી સામે આવી રહી છે.              




ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.