કેનેડામાં રામ મંદિરની બહાર લખવામાં આવ્યા ભારત વિરૂદ્ધ સૂત્ર, કાર્યવાહી કરવા ઉઠી માગ


  • Published By :
  • Published Date : 2023-02-15 10:59:36

કેનેડામાં અનેક વખત હિંદુ મંદિરો બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત કેનેડાના મિસિસોગાના એક હિંદુ મંદિરની બહાર ભારત વિરોધી સ્લોગન લખવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારની છે અને રામ મંદિરની બહાર સૂત્રો લખવામાં આવ્યા છે અને હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 


મંદિરની દિવાલ પર લખાયા છે ભારત વિરૂદ્ધ સૂત્રો 

વિદેશોમાં હિંદુ મંદિરોને અનેક વખત નિશાન બનાવામાં આવતા હોય છે. અનેક વખત મંદિરોની બહાર ભારત વિરુદ્ધ સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી આવી જ એક ઘટના કેનેડાના મિસિસોગામાં બની છે જ્યાં રામ મંદિરની બહાર ભારત વિરુદ્ધ  સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટનાની નિંદા મહાવાણિજ્ય દૂતાવાસે કરી હતી. 

Image


પગલા લેવામાં આવે તેવી કરાઈ માગ 

કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટ કરી કહ્યુંઅને ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને વાતો સાથે મિસીસૌગામાં રામ મંદિરને બદનામ કરવાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે.


આ પહેલા મંદિરમાં કરાઈ હતી તોડફોડ  

હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવાની ઘટના પ્રથમ વખત નથી બની. એક વર્ષમાં આવી ઘટના ચોથી વખત બની રહી છે. અનેક વખત હિંદુ મંદિરોની બહાર આવા સૂત્રો લખવામાં આવ્યા છે ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં કેનેડાના બ્રેન્પટનમાં આવેલા હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું હતું જે બાદ ગૌરી શંકર મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિંદુ મંદિરો બહાર આવા સૂત્રો લખવામાં આવતા હિંદુઓની નારાજગી સામે આવી રહી છે.              




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .