Anupama ફેમ Rupali Ganguli જોડાયા BJPમાં, Social Media પર ટ્રેન્ડ થઈ Rupali Ganguli, લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-05-01 13:57:40

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે.. ટીવી કરતા લોકો મોબાઈલ વધારે પસંદ કરે છે... સિરીયલો ઓટીટી પ્લેટોફોર્મ પર જોઈ લે છે... જો તમે સિરીયલના શોખિન હોવ તો તમે સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ અનુપમા વિશે જાણતા હશો.. આજે સિરીયલની વાત નથી કરવી પરંતુ સિરીયલમાં અનુપમાનો રોલ કરતા રૂપાલી ગાંગૂલીની વાત કરી રહ્યા છીએ... રૂપાલી ગાંગૂલીએ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે એટલે તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે...

રૂપાલી ગાંગૂલી જોડાયા ભાજપમાં!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર happening ઘટનાઓ ટ્રેન્ડ થતી હોય છે... કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડ થાય છે તો કોઈ વખત ગુજરાતનું પોલિટિક્સ ટ્રેન્ડ થાય છે.. ભારતીય જનતા પાર્ટીમાં અનેક રાજનેતાઓ તો જોડાય છે પરંતુ અનેક બોલિવુડ એક્ટર જોડાય છે... ભાજપમાં સ્મુતિ ઈરાની છે, હેમા માલિની છે, કંગના રાઉત જેવી અનેક અભિનેત્રીઓ, ટીવી જગત સાથે સંબંધ ધરાવતી અભિનેત્રી છે ત્યારે આજે અનુપમા સિરિયલથી પ્રખ્યાત થયેલા રૂપાલી ગાંગૂલીએ કેસરિયો ધારણ કર્યો છે.. 


અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા!

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે...  અનેક લોકોએ રૂપાલી ગાંગૂલીના નિર્ણયને આવકાર્યો છે તો અનેક લોકો કટાક્ષ કરી રહ્યા છે... કોઈએ લખ્યું છે અગલી સ્મૃતિ ઈરાની....         







ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.