Anupama ફેમ Rupali Ganguli જોડાયા BJPમાં, Social Media પર ટ્રેન્ડ થઈ Rupali Ganguli, લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-05-01 13:57:40

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે.. ટીવી કરતા લોકો મોબાઈલ વધારે પસંદ કરે છે... સિરીયલો ઓટીટી પ્લેટોફોર્મ પર જોઈ લે છે... જો તમે સિરીયલના શોખિન હોવ તો તમે સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ અનુપમા વિશે જાણતા હશો.. આજે સિરીયલની વાત નથી કરવી પરંતુ સિરીયલમાં અનુપમાનો રોલ કરતા રૂપાલી ગાંગૂલીની વાત કરી રહ્યા છીએ... રૂપાલી ગાંગૂલીએ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે એટલે તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે...

રૂપાલી ગાંગૂલી જોડાયા ભાજપમાં!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર happening ઘટનાઓ ટ્રેન્ડ થતી હોય છે... કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડ થાય છે તો કોઈ વખત ગુજરાતનું પોલિટિક્સ ટ્રેન્ડ થાય છે.. ભારતીય જનતા પાર્ટીમાં અનેક રાજનેતાઓ તો જોડાય છે પરંતુ અનેક બોલિવુડ એક્ટર જોડાય છે... ભાજપમાં સ્મુતિ ઈરાની છે, હેમા માલિની છે, કંગના રાઉત જેવી અનેક અભિનેત્રીઓ, ટીવી જગત સાથે સંબંધ ધરાવતી અભિનેત્રી છે ત્યારે આજે અનુપમા સિરિયલથી પ્રખ્યાત થયેલા રૂપાલી ગાંગૂલીએ કેસરિયો ધારણ કર્યો છે.. 


અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા!

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે...  અનેક લોકોએ રૂપાલી ગાંગૂલીના નિર્ણયને આવકાર્યો છે તો અનેક લોકો કટાક્ષ કરી રહ્યા છે... કોઈએ લખ્યું છે અગલી સ્મૃતિ ઈરાની....         







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે