બ્રિજભૂષણ પર લાગેલા આરોપોને લઈ કમિટી કરશે તપાસ, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-21 10:27:02

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા પહેલવાનોએ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. પહેલવાનોની માગ હતી કે બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે. બુધવારથી તેઓ આ વાતને લઈ ધરણા કરી રહ્યા હતા. ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થઈ હતી જે બાદ અનુરાગ ઠાકુરે આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ WFIનું કામ નહીં જોવે.


અનુરાગ ઠાકુરે બીજી વખત કરી હતી બેઠક 

ભારતના પહેલવાનો દ્વારા ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવ્યા છે. WFIના અધ્યક્ષ પદથી તે રાજીનામું આપે તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા.આ મામલાની ગંભીરતાને લઈ કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. પહેલી બેઠકમાં કોઈ નિવારણ ન આવ્યું હતું. આ મામલાને લઈને બીજી વખત પહેલવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.


નિરીક્ષણ કમિટીના રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય 

કેન્દ્રીય મંત્રી સાથે બેઠક થયા બાદ શુક્રવારે મોડી રાત્રે પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા છે. આ મામલની તપાસ કરવા સરકારે એક નિરીક્ષણ કમિટી બનાવાનું એલાન કર્યું છે. આ કમિટી ચાર અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટના આધારે આગળ પગલા અને નિર્ણય લેવામાં આવશે. 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને આપવામાં આવી નોટીસ 

અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે ખેલાડીઓએ બેઠક દરમિયાન પોતાની માગ રાખી અને એ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટીસ પણ પાઠવવામાં આવી છે. 72 કલાકની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યાં સુધી નિરીક્ષણ કમિટી પોતાનો રિપોર્ટ નથી સોંપતી ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં કરે. આ સમિતી WFIના કામકાજ પર નજર રાખશે. ઉપરાંત બ્રિજભૂષણે આ તપાસમાં સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું છે.

  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.