બ્રિજભૂષણ પર લાગેલા આરોપોને લઈ કમિટી કરશે તપાસ, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-21 10:27:02

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા પહેલવાનોએ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. પહેલવાનોની માગ હતી કે બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે. બુધવારથી તેઓ આ વાતને લઈ ધરણા કરી રહ્યા હતા. ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થઈ હતી જે બાદ અનુરાગ ઠાકુરે આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ WFIનું કામ નહીં જોવે.


અનુરાગ ઠાકુરે બીજી વખત કરી હતી બેઠક 

ભારતના પહેલવાનો દ્વારા ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવ્યા છે. WFIના અધ્યક્ષ પદથી તે રાજીનામું આપે તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા.આ મામલાની ગંભીરતાને લઈ કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. પહેલી બેઠકમાં કોઈ નિવારણ ન આવ્યું હતું. આ મામલાને લઈને બીજી વખત પહેલવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.


નિરીક્ષણ કમિટીના રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય 

કેન્દ્રીય મંત્રી સાથે બેઠક થયા બાદ શુક્રવારે મોડી રાત્રે પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા છે. આ મામલની તપાસ કરવા સરકારે એક નિરીક્ષણ કમિટી બનાવાનું એલાન કર્યું છે. આ કમિટી ચાર અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટના આધારે આગળ પગલા અને નિર્ણય લેવામાં આવશે. 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને આપવામાં આવી નોટીસ 

અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે ખેલાડીઓએ બેઠક દરમિયાન પોતાની માગ રાખી અને એ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટીસ પણ પાઠવવામાં આવી છે. 72 કલાકની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યાં સુધી નિરીક્ષણ કમિટી પોતાનો રિપોર્ટ નથી સોંપતી ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં કરે. આ સમિતી WFIના કામકાજ પર નજર રાખશે. ઉપરાંત બ્રિજભૂષણે આ તપાસમાં સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું છે.

  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.