બ્રિજભૂષણ પર લાગેલા આરોપોને લઈ કમિટી કરશે તપાસ, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-21 10:27:02

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા પહેલવાનોએ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. પહેલવાનોની માગ હતી કે બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે. બુધવારથી તેઓ આ વાતને લઈ ધરણા કરી રહ્યા હતા. ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થઈ હતી જે બાદ અનુરાગ ઠાકુરે આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અને ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ WFIનું કામ નહીં જોવે.


અનુરાગ ઠાકુરે બીજી વખત કરી હતી બેઠક 

ભારતના પહેલવાનો દ્વારા ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવ્યા છે. WFIના અધ્યક્ષ પદથી તે રાજીનામું આપે તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે પહેલવાનો ધરણા કરી રહ્યા હતા.આ મામલાની ગંભીરતાને લઈ કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. પહેલી બેઠકમાં કોઈ નિવારણ ન આવ્યું હતું. આ મામલાને લઈને બીજી વખત પહેલવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.


નિરીક્ષણ કમિટીના રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય 

કેન્દ્રીય મંત્રી સાથે બેઠક થયા બાદ શુક્રવારે મોડી રાત્રે પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા છે. આ મામલની તપાસ કરવા સરકારે એક નિરીક્ષણ કમિટી બનાવાનું એલાન કર્યું છે. આ કમિટી ચાર અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટના આધારે આગળ પગલા અને નિર્ણય લેવામાં આવશે. 


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને આપવામાં આવી નોટીસ 

અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે ખેલાડીઓએ બેઠક દરમિયાન પોતાની માગ રાખી અને એ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટીસ પણ પાઠવવામાં આવી છે. 72 કલાકની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યાં સુધી નિરીક્ષણ કમિટી પોતાનો રિપોર્ટ નથી સોંપતી ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં કરે. આ સમિતી WFIના કામકાજ પર નજર રાખશે. ઉપરાંત બ્રિજભૂષણે આ તપાસમાં સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું છે.

  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.