અર્જુન રાઠવા કોંગ્રેસમાં જોડાયા, AAPનો સાથ છોડી કોંગ્રેસનો 'હાથ' પકડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 14:28:36

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના તમામ રાજકીય પક્ષો  દ્વારા નેતાઓ, સામાજીક આગેવાનો અને કાર્યકરોનું રીતસર ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ વિરોધી પાર્ટીઓના નેતાઓને ખેંચવા માટે ખેંચતાણ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીના મોટા માથાઓ પાર્ટી છોડી રહ્યા છે.  આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું હતું . તેમણે જ્યારે  રાજીનામું આપ્યું ત્યારે તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાશે તેવું માનવામાં આવતું હતું અને આજે આ આશંકા સાચી પડી છે. AAPના વર્ષો જૂના કાર્યકર અને આદિવાસી નેતા અર્જૂન રાઠવા આપ છોડીને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આજે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.


અર્જૂન રાઠવાએ શું કહ્યું?


કોંગ્રેસમાં જોડાતી વખતે આદિવાસી નેતા અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે, "અમારું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. ભાજપને હરાવવા માટે અમે ગુજરાતમાં આવ્યા હતા પરંતુ અમે તેને હરાવી શક્યા નહીં અને કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દેશમાં જે પરિવર્તન થવાનું છે એ પરિવર્તન ગુજરાતમાં પણ થાય એ ઉદ્દેશ્યથી હું અને મારા સાથીદારો આજે કોંગ્રેસમાં જોડાયા છીએ."


શા માટે AAPમાંથી રાજીનામું આપ્યું હતું?


આમ આદમી પાર્ટીના  આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા જ્યારે ગઇ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. અર્જૂન રાઠવાએ મીડિયા સાથે વાત કરતા રાજીનામું આપવા પાછળ પ્રદેશના નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે "ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે તે ગંભીરતાપૂર્વક કામગીરી નથી કરતા, જેને લઈને વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નુકસાન ગયું તેમજ ચૂંટણી બાદ પણ જે સમીક્ષા કરવાની હોય તે પક્ષે કરી કરી, એટલે પક્ષનું નેતૃત્વ ગંભીરતાપૂર્વક કામ નથી કરતું જેને લઇ રાજીનામું આપ્યું છે."



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.