POK અને ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવા સેના તૈયાર, સરકારના હુકમનો ઇંતેજાર


  • Published By :
  • Published Date : 2022-11-02 15:21:31

પાકિસ્તાનના કબજા માટે રહેલા POK, ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવાના રાજનાથ સિંહના નિવેદનને સેનાનું પણ સમર્થન મળ્યું છે. સેનાના ચિનાર કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ કહ્યું કે સેનાને જે પણ આદેશ મળશે તેના પર  કાર્યવાહી કરવા સેના સંપૂર્ણપણે તૈયાર છે. 


ભારતીય સેના સંપુર્ણપણે તૈયાર 


શ્રીનગરમાં કોર હેડક્વાર્ટરમાં એક ચર્ચા દરમિયાન 15 કોરના જનરલ ઓફિસર કમાન્ડિગ (જીઓસી)એ કહ્યું કે આપણે પોતાની પરંપરાગત ક્ષમતાઓ સુધારી રહ્યા છે. અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારે પણ તેની જરૂર પડે તે સમયે આપણે પાછું વળીને જોવું ન પડે.


તે ઉપરાંત એલએસી પર સુરક્ષા માટે જવાબદાર કોર કમાન્ડરે તે પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી બાદ છેલ્લા 20 મહિનામાં ભારતીય સેના ભારતીય સેનાની સમગ્ર તૈયારીઓને ભારે પ્રોત્સાહન મળ્યું છે.


શું કહ્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું હતું કે ઉત્તર ભારતમાં વિકાસ યાત્રા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મિર (POK)ના ગિલગીત અને બાલ્ટિસ્તાનને પ્રાપ્ત કર્યા પછી જ પુરી થશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું  કે આપણી યાત્રા ત્યારે જ પુરી થશે જ્યારે આપણે 22 ફેબ્રુઆરી 1994ના દિવસે સંસદમાં સર્વસંમતીથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવનો સંપુર્ણપણે અમલ કરવામાં આવે અને આપણે ગિલગિત અને બાલ્ટિસ્તાન જેવા પોતાના વિસ્તારોમાં પહોંચી જઈએ.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.