POK અને ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવા સેના તૈયાર, સરકારના હુકમનો ઇંતેજાર


  • Published By :
  • Published Date : 2022-11-02 15:21:31

પાકિસ્તાનના કબજા માટે રહેલા POK, ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવાના રાજનાથ સિંહના નિવેદનને સેનાનું પણ સમર્થન મળ્યું છે. સેનાના ચિનાર કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ કહ્યું કે સેનાને જે પણ આદેશ મળશે તેના પર  કાર્યવાહી કરવા સેના સંપૂર્ણપણે તૈયાર છે. 


ભારતીય સેના સંપુર્ણપણે તૈયાર 


શ્રીનગરમાં કોર હેડક્વાર્ટરમાં એક ચર્ચા દરમિયાન 15 કોરના જનરલ ઓફિસર કમાન્ડિગ (જીઓસી)એ કહ્યું કે આપણે પોતાની પરંપરાગત ક્ષમતાઓ સુધારી રહ્યા છે. અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારે પણ તેની જરૂર પડે તે સમયે આપણે પાછું વળીને જોવું ન પડે.


તે ઉપરાંત એલએસી પર સુરક્ષા માટે જવાબદાર કોર કમાન્ડરે તે પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી બાદ છેલ્લા 20 મહિનામાં ભારતીય સેના ભારતીય સેનાની સમગ્ર તૈયારીઓને ભારે પ્રોત્સાહન મળ્યું છે.


શું કહ્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું હતું કે ઉત્તર ભારતમાં વિકાસ યાત્રા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મિર (POK)ના ગિલગીત અને બાલ્ટિસ્તાનને પ્રાપ્ત કર્યા પછી જ પુરી થશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું  કે આપણી યાત્રા ત્યારે જ પુરી થશે જ્યારે આપણે 22 ફેબ્રુઆરી 1994ના દિવસે સંસદમાં સર્વસંમતીથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવનો સંપુર્ણપણે અમલ કરવામાં આવે અને આપણે ગિલગિત અને બાલ્ટિસ્તાન જેવા પોતાના વિસ્તારોમાં પહોંચી જઈએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.