POK અને ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવા સેના તૈયાર, સરકારના હુકમનો ઇંતેજાર


  • Published By :
  • Published Date : 2022-11-02 15:21:31

પાકિસ્તાનના કબજા માટે રહેલા POK, ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવાના રાજનાથ સિંહના નિવેદનને સેનાનું પણ સમર્થન મળ્યું છે. સેનાના ચિનાર કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ કહ્યું કે સેનાને જે પણ આદેશ મળશે તેના પર  કાર્યવાહી કરવા સેના સંપૂર્ણપણે તૈયાર છે. 


ભારતીય સેના સંપુર્ણપણે તૈયાર 


શ્રીનગરમાં કોર હેડક્વાર્ટરમાં એક ચર્ચા દરમિયાન 15 કોરના જનરલ ઓફિસર કમાન્ડિગ (જીઓસી)એ કહ્યું કે આપણે પોતાની પરંપરાગત ક્ષમતાઓ સુધારી રહ્યા છે. અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારે પણ તેની જરૂર પડે તે સમયે આપણે પાછું વળીને જોવું ન પડે.


તે ઉપરાંત એલએસી પર સુરક્ષા માટે જવાબદાર કોર કમાન્ડરે તે પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી બાદ છેલ્લા 20 મહિનામાં ભારતીય સેના ભારતીય સેનાની સમગ્ર તૈયારીઓને ભારે પ્રોત્સાહન મળ્યું છે.


શું કહ્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું હતું કે ઉત્તર ભારતમાં વિકાસ યાત્રા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મિર (POK)ના ગિલગીત અને બાલ્ટિસ્તાનને પ્રાપ્ત કર્યા પછી જ પુરી થશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું  કે આપણી યાત્રા ત્યારે જ પુરી થશે જ્યારે આપણે 22 ફેબ્રુઆરી 1994ના દિવસે સંસદમાં સર્વસંમતીથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવનો સંપુર્ણપણે અમલ કરવામાં આવે અને આપણે ગિલગિત અને બાલ્ટિસ્તાન જેવા પોતાના વિસ્તારોમાં પહોંચી જઈએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.