લગ્ન સમારોહમાં સામેલ થયેલા આર્મી જવાનનું થયું મોત! બોતલમાં રોકેટ રાખવાની જગ્યાએ મોંમાં રાખ્યું હતું રોકેટ, પછી સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:32:41

લગ્ન સમારોહમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે જેને કારણે ખુશીનો માહોલ શોકમાં પરિવર્તિત થઈ જતો હોય છે. લગ્ન દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા હોય છે પરંતુ અનેક વખત એ જ ફટાકડાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં કોઈ વખત વ્યક્તિની જાન પણ જતી રહે છે. ત્યારે આવો જ કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો અને પછી જે સર્જાયું તે રૂંવાડા ઉભા કરી દે તેવું છે. 


આતિશબાજી દરમિયાન સર્જાઈ દુર્ઘટના!

ખુશીનો તહેવાર ઘણી વખત દુખમાં ફેરવાઈ જતો હોય છે. હાર્ટ એટેક આવવાને કારણે થતા મોત વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અલગ છે. મધ્યપ્રદેશથી એક ઘટના સામે આવી છે જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે જ્યાં ધાર જિલ્લાના અંચલ ક્ષેત્રના જલોખ્યામાં લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. 


મોંમાં જ ફાટી ગયું રોકેટ!

આ લગ્નમાં સામેલ થવા જમ્મુ-કાશ્મીરમાં ફરજ નિભાવતા ભારતીય સેનાના સૈનિક આવ્યા હતા.લગ્ન સમારોહમાં આતિશબાજી ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટંટ બતાવવાના ચક્કરમાં જવાને રોકેટને બોટલમાં રાખવાની જગ્યાએ પોતાના મોમાં રાખ્યો હતો. મળતી માહિતી અનુસાર પહેલો રોકેટ આવી જ રીતે સળગાવ્યો હતો. આ ઘટના બીજા રોકેટને સળગાવતા દરમિયાન બની હતી. ઉપર ફાટવાની જગ્યાએ રોકેટ મોંમાં જ ફાટી ગયો હતો. 


ખુશીનો માહોલ ફેરવાયો ગમમાં!

બોટલમાં ફટાકડો રાખવાની જગ્યાએ જવાને મોમાં રાખી સ્ટંટ કરવાની કોશિશ જવાનને ભારે પડી હતી. હવામાં રોકેટ ફાટવાની જગ્યાએ રોકેટ જવાનના મોમાં ફાટી જાય છે. રોકેટ ફાટી જવાથી જવાનનું મોં ખરાબ થઈ ગયું હતું. આ ઘટના બાદ અફરા-તફરી સર્જાઈ હતી. જવાનની મોત પણ ઘટના સ્થળ પર થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.