લગ્ન સમારોહમાં સામેલ થયેલા આર્મી જવાનનું થયું મોત! બોતલમાં રોકેટ રાખવાની જગ્યાએ મોંમાં રાખ્યું હતું રોકેટ, પછી સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:32:41

લગ્ન સમારોહમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે જેને કારણે ખુશીનો માહોલ શોકમાં પરિવર્તિત થઈ જતો હોય છે. લગ્ન દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા હોય છે પરંતુ અનેક વખત એ જ ફટાકડાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં કોઈ વખત વ્યક્તિની જાન પણ જતી રહે છે. ત્યારે આવો જ કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો અને પછી જે સર્જાયું તે રૂંવાડા ઉભા કરી દે તેવું છે. 


આતિશબાજી દરમિયાન સર્જાઈ દુર્ઘટના!

ખુશીનો તહેવાર ઘણી વખત દુખમાં ફેરવાઈ જતો હોય છે. હાર્ટ એટેક આવવાને કારણે થતા મોત વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અલગ છે. મધ્યપ્રદેશથી એક ઘટના સામે આવી છે જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે જ્યાં ધાર જિલ્લાના અંચલ ક્ષેત્રના જલોખ્યામાં લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. 


મોંમાં જ ફાટી ગયું રોકેટ!

આ લગ્નમાં સામેલ થવા જમ્મુ-કાશ્મીરમાં ફરજ નિભાવતા ભારતીય સેનાના સૈનિક આવ્યા હતા.લગ્ન સમારોહમાં આતિશબાજી ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટંટ બતાવવાના ચક્કરમાં જવાને રોકેટને બોટલમાં રાખવાની જગ્યાએ પોતાના મોમાં રાખ્યો હતો. મળતી માહિતી અનુસાર પહેલો રોકેટ આવી જ રીતે સળગાવ્યો હતો. આ ઘટના બીજા રોકેટને સળગાવતા દરમિયાન બની હતી. ઉપર ફાટવાની જગ્યાએ રોકેટ મોંમાં જ ફાટી ગયો હતો. 


ખુશીનો માહોલ ફેરવાયો ગમમાં!

બોટલમાં ફટાકડો રાખવાની જગ્યાએ જવાને મોમાં રાખી સ્ટંટ કરવાની કોશિશ જવાનને ભારે પડી હતી. હવામાં રોકેટ ફાટવાની જગ્યાએ રોકેટ જવાનના મોમાં ફાટી જાય છે. રોકેટ ફાટી જવાથી જવાનનું મોં ખરાબ થઈ ગયું હતું. આ ઘટના બાદ અફરા-તફરી સર્જાઈ હતી. જવાનની મોત પણ ઘટના સ્થળ પર થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.       



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.