લગ્ન સમારોહમાં સામેલ થયેલા આર્મી જવાનનું થયું મોત! બોતલમાં રોકેટ રાખવાની જગ્યાએ મોંમાં રાખ્યું હતું રોકેટ, પછી સર્જાઈ દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:32:41

લગ્ન સમારોહમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે જેને કારણે ખુશીનો માહોલ શોકમાં પરિવર્તિત થઈ જતો હોય છે. લગ્ન દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા હોય છે પરંતુ અનેક વખત એ જ ફટાકડાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં કોઈ વખત વ્યક્તિની જાન પણ જતી રહે છે. ત્યારે આવો જ કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો અને પછી જે સર્જાયું તે રૂંવાડા ઉભા કરી દે તેવું છે. 


આતિશબાજી દરમિયાન સર્જાઈ દુર્ઘટના!

ખુશીનો તહેવાર ઘણી વખત દુખમાં ફેરવાઈ જતો હોય છે. હાર્ટ એટેક આવવાને કારણે થતા મોત વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અલગ છે. મધ્યપ્રદેશથી એક ઘટના સામે આવી છે જ્યાં ભારતીય સેનાના જવાનની મોત થઈ ગઈ છે. આતિશબાજી દરમિયાન જવાને રોકેટ પોતાના મોમાં રાખી સળગાવ્યો હતો. આ ઘટના સોમવાર રાતની છે જ્યાં ધાર જિલ્લાના અંચલ ક્ષેત્રના જલોખ્યામાં લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. 


મોંમાં જ ફાટી ગયું રોકેટ!

આ લગ્નમાં સામેલ થવા જમ્મુ-કાશ્મીરમાં ફરજ નિભાવતા ભારતીય સેનાના સૈનિક આવ્યા હતા.લગ્ન સમારોહમાં આતિશબાજી ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટંટ બતાવવાના ચક્કરમાં જવાને રોકેટને બોટલમાં રાખવાની જગ્યાએ પોતાના મોમાં રાખ્યો હતો. મળતી માહિતી અનુસાર પહેલો રોકેટ આવી જ રીતે સળગાવ્યો હતો. આ ઘટના બીજા રોકેટને સળગાવતા દરમિયાન બની હતી. ઉપર ફાટવાની જગ્યાએ રોકેટ મોંમાં જ ફાટી ગયો હતો. 


ખુશીનો માહોલ ફેરવાયો ગમમાં!

બોટલમાં ફટાકડો રાખવાની જગ્યાએ જવાને મોમાં રાખી સ્ટંટ કરવાની કોશિશ જવાનને ભારે પડી હતી. હવામાં રોકેટ ફાટવાની જગ્યાએ રોકેટ જવાનના મોમાં ફાટી જાય છે. રોકેટ ફાટી જવાથી જવાનનું મોં ખરાબ થઈ ગયું હતું. આ ઘટના બાદ અફરા-તફરી સર્જાઈ હતી. જવાનની મોત પણ ઘટના સ્થળ પર થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.