જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-05-05 17:46:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ IED વિસ્ફોટમાં સેનાના એક મેજર સહિત કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જેમને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ જવાનોનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. 


રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ 


આ ઘટના અંગે સેનાએ એક નિવેદન આપી જાણકારી આપી હતી જે મુજબ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે, જ્યારે એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હોવાથી આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ સેનાના ઘેરામાં ફસાઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. એવું અનુમાન છે કે કેટલાક આતંકવાદીઓ પણ અથડામણમાં માર્યા ગયા છે. વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા કારણોથી રાજ્યમાં હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.


આતંકવાદીઓ અંગે મળી હતી બાતમી 


રાજૌરી જિલ્લાના થન્નામંડી અને દરહાલ તાલુકાના ગાઢ જંગલમાં 4થી 6 આતંકવાદીઓ ફરી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ બાતમી મળ્યા બાદ પોલીસ,સેના અને CRPFની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી હતી. જ્યાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર બેફામ ફાયરિંગ શરૂ કર્યું હતું, સુરક્ષાદળોએ પણ સામે ફાયરિંગ કરતા બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.