જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-05-05 17:46:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ IED વિસ્ફોટમાં સેનાના એક મેજર સહિત કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જેમને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ જવાનોનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. 


રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ 


આ ઘટના અંગે સેનાએ એક નિવેદન આપી જાણકારી આપી હતી જે મુજબ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે, જ્યારે એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હોવાથી આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ સેનાના ઘેરામાં ફસાઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. એવું અનુમાન છે કે કેટલાક આતંકવાદીઓ પણ અથડામણમાં માર્યા ગયા છે. વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા કારણોથી રાજ્યમાં હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.


આતંકવાદીઓ અંગે મળી હતી બાતમી 


રાજૌરી જિલ્લાના થન્નામંડી અને દરહાલ તાલુકાના ગાઢ જંગલમાં 4થી 6 આતંકવાદીઓ ફરી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ બાતમી મળ્યા બાદ પોલીસ,સેના અને CRPFની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી હતી. જ્યાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર બેફામ ફાયરિંગ શરૂ કર્યું હતું, સુરક્ષાદળોએ પણ સામે ફાયરિંગ કરતા બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.