જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-05-05 17:46:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ IED વિસ્ફોટમાં સેનાના એક મેજર સહિત કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જેમને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ જવાનોનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. 


રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ 


આ ઘટના અંગે સેનાએ એક નિવેદન આપી જાણકારી આપી હતી જે મુજબ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે, જ્યારે એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હોવાથી આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ સેનાના ઘેરામાં ફસાઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. એવું અનુમાન છે કે કેટલાક આતંકવાદીઓ પણ અથડામણમાં માર્યા ગયા છે. વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા કારણોથી રાજ્યમાં હાલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.


આતંકવાદીઓ અંગે મળી હતી બાતમી 


રાજૌરી જિલ્લાના થન્નામંડી અને દરહાલ તાલુકાના ગાઢ જંગલમાં 4થી 6 આતંકવાદીઓ ફરી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ બાતમી મળ્યા બાદ પોલીસ,સેના અને CRPFની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી હતી. જ્યાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર બેફામ ફાયરિંગ શરૂ કર્યું હતું, સુરક્ષાદળોએ પણ સામે ફાયરિંગ કરતા બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.