એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી, એક વર્ષ પહેલા બેગુસરાઈમાં નોંધાયો હતો કેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 14:46:56

એકતા કપૂર તેની વેબ સિરીઝ XXX સીઝન 2ને લઈને મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. બેગુસરાય કોર્ટ દ્વારા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, બિહારની બેગુસરાય કોર્ટમાં દર્શાવવામાં આવેલા વાંધાજનક દ્રશ્યો અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે કોર્ટે સૈનિકોના અપમાનના આ કેસમાં એકતા અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યો છે.

Balaji Telefilms intends to reduce salaries of Ekta Kapoor, and mother Shobha  Kapoor : Bollywood News - Bollywood Hungama

એકતા કપૂર અને શોભા કપૂર ફાઇલ તસવીર 

આ વેબ સિરીઝમાં સૈનિકની પત્નીના ઘણા વાંધાજનક દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, જેના માટે ગયા વર્ષે બિહારના બેગુસરાયમાં એકતા કપૂર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એકતા પર આરોપ હતો કે તેણે વેબ સિરીઝમાં સૈનિકો અને તેમની પત્નીઓને ખોટી રીતે દર્શાવ્યા છે, જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ કેસમાં બેગુસરાય કોર્ટે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરને સમન્સ મોકલીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

Ekta Kapoor

આ મામલો એક વર્ષ પહેલા એક્સ-સર્વિસમેન એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ શંભુ કુમાર દ્વારા નોંધવામાં આવ્યો હતો. શંભુ કુમારે કહ્યું કે આ સીરિઝમાં દર્શાવવામાં આવેલા સીનથી તેમને ઘણું દુઃખ થયું છે. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકો પોતાની જાતને જોખમમાં મૂકીને દેશની સેવા કરે છે. આવી સ્થિતિમાં તેમને સન્માનની નજરે જોવું જોઈએ, પરંતુ અહીં તો તેનાથી વિપરીત થઈ રહ્યું છે. સિરીઝમાં ભારતીય જવાન અને તેની પત્નીને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે.


એકતા કપૂરે પણ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. એકતા કપૂરે કહ્યું કે તેને આ મામલે જાણકારી મળતા જ તેણે વેબ સીરિઝમાંથી આ સીન હટાવી દીધો હતો. આ સાથે એકતાએ પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની માફી માંગી હતી. છતાં પણ ઓલ્ટ બાલાજી પર XXX વેબ સિરીઝ સ્ટ્રીમ થઈ રહી છે.




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.