IMFના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા AIને લઈ આપી મોટી ચેતવણી, '40 ટકા નોકરીઓ ભરખી જશે'


  • Published By :
  • Published Date : 2024-01-16 17:22:02

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)નો દબદબો વધી રહ્યો છે, AI દરેક સેક્ટરમાં છવાઈ રહ્યું છે. જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈ ચિંતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા (Kristalina Georgieva)એ AIને લઈને મોટી  ચેતવણી આપી છે. IMFના ચેરમેન ક્રિસ્ટિના જ્યોર્જિવાએ કહ્યું છે કે આર્ટિફિશિય ઈન્ટેલિજન્સ (AI) દુનિયાભરમાં જોબ સિક્યોરિટી માટે ખતરનાક સાબિત થશે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં સામેલ થવા પહેલા  IMF ચીફે કહ્યું ' જો કે  AI પ્રોડક્ટિવિટી વધારવા માટે તકો પેદા કરશે'


40 ટકા નોકરીઓ પર થશે અસર


IMFની એક નવી રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે ' વિકાસશીલ દેશોમાં  AIનો પ્રભાવ ઓછો થઈ શકે છે, પરંતું વૈશ્વિક સ્તર પર લગભગ 40 ટકા નોકરીઓ પર  AIની અસર પડશે. તે વિકસિત અર્થતંત્રોમાં 60 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે. તમારી પાસે જેટલી હાઈ સ્કિલ જોબ હશે અસર તેટલી જ વધુ થશે.


આવક વધી શકે છે


IMFની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AIથી અસરગ્રસ્ત નોકરીઓમાંથી માત્ર અડધી પર જ નકારાત્મ અસર થશે. જ્યારે અન્ય લોકો AIના કારણે વધેલી ઉત્પાદકતાથી લાભ મેળવી શકે છે. જોર્જિવાએ કહ્યું  'તમારી નોકરી સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અથવા નહીં પણ થઈ શકે છે અથવા AI તમારી નોકરીને વધુ આગળ વધારી શકે છે. તમે ખરેખર વધુ પ્રોડક્ટિવ બનશો અને તમારી આવકનું સ્તર વધી શકે છે.

 

તેમણે કહ્યું કે 2024 વૈશ્વિક અર્થતંત્ર માટે મુશ્કેલ વર્ષ હોઈ શકે છે. વિશ્વ હજુ સુધી કોરોનાના સમયગાળા દરમિયાન લેવામાં આવેલા દેવાની જાળમાંથી બહાર નીકળી શક્યું નથી. જ્યારે આ વર્ષે વિશ્વના 80 થી વધુ દેશોમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં, સરકારો લોકોને આકર્ષવા માટે વધુ પૈસા ખર્ચ કરશે, તેનાથી દેશોનું દેવું વધુ વધશે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.