IMFના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા AIને લઈ આપી મોટી ચેતવણી, '40 ટકા નોકરીઓ ભરખી જશે'


  • Published By :
  • Published Date : 2024-01-16 17:22:02

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)નો દબદબો વધી રહ્યો છે, AI દરેક સેક્ટરમાં છવાઈ રહ્યું છે. જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈ ચિંતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા (Kristalina Georgieva)એ AIને લઈને મોટી  ચેતવણી આપી છે. IMFના ચેરમેન ક્રિસ્ટિના જ્યોર્જિવાએ કહ્યું છે કે આર્ટિફિશિય ઈન્ટેલિજન્સ (AI) દુનિયાભરમાં જોબ સિક્યોરિટી માટે ખતરનાક સાબિત થશે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં સામેલ થવા પહેલા  IMF ચીફે કહ્યું ' જો કે  AI પ્રોડક્ટિવિટી વધારવા માટે તકો પેદા કરશે'


40 ટકા નોકરીઓ પર થશે અસર


IMFની એક નવી રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે ' વિકાસશીલ દેશોમાં  AIનો પ્રભાવ ઓછો થઈ શકે છે, પરંતું વૈશ્વિક સ્તર પર લગભગ 40 ટકા નોકરીઓ પર  AIની અસર પડશે. તે વિકસિત અર્થતંત્રોમાં 60 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે. તમારી પાસે જેટલી હાઈ સ્કિલ જોબ હશે અસર તેટલી જ વધુ થશે.


આવક વધી શકે છે


IMFની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AIથી અસરગ્રસ્ત નોકરીઓમાંથી માત્ર અડધી પર જ નકારાત્મ અસર થશે. જ્યારે અન્ય લોકો AIના કારણે વધેલી ઉત્પાદકતાથી લાભ મેળવી શકે છે. જોર્જિવાએ કહ્યું  'તમારી નોકરી સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અથવા નહીં પણ થઈ શકે છે અથવા AI તમારી નોકરીને વધુ આગળ વધારી શકે છે. તમે ખરેખર વધુ પ્રોડક્ટિવ બનશો અને તમારી આવકનું સ્તર વધી શકે છે.

 

તેમણે કહ્યું કે 2024 વૈશ્વિક અર્થતંત્ર માટે મુશ્કેલ વર્ષ હોઈ શકે છે. વિશ્વ હજુ સુધી કોરોનાના સમયગાળા દરમિયાન લેવામાં આવેલા દેવાની જાળમાંથી બહાર નીકળી શક્યું નથી. જ્યારે આ વર્ષે વિશ્વના 80 થી વધુ દેશોમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં, સરકારો લોકોને આકર્ષવા માટે વધુ પૈસા ખર્ચ કરશે, તેનાથી દેશોનું દેવું વધુ વધશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.