IMFના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા AIને લઈ આપી મોટી ચેતવણી, '40 ટકા નોકરીઓ ભરખી જશે'


  • Published By :
  • Published Date : 2024-01-16 17:22:02

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)નો દબદબો વધી રહ્યો છે, AI દરેક સેક્ટરમાં છવાઈ રહ્યું છે. જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈ ચિંતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા (Kristalina Georgieva)એ AIને લઈને મોટી  ચેતવણી આપી છે. IMFના ચેરમેન ક્રિસ્ટિના જ્યોર્જિવાએ કહ્યું છે કે આર્ટિફિશિય ઈન્ટેલિજન્સ (AI) દુનિયાભરમાં જોબ સિક્યોરિટી માટે ખતરનાક સાબિત થશે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં સામેલ થવા પહેલા  IMF ચીફે કહ્યું ' જો કે  AI પ્રોડક્ટિવિટી વધારવા માટે તકો પેદા કરશે'


40 ટકા નોકરીઓ પર થશે અસર


IMFની એક નવી રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે ' વિકાસશીલ દેશોમાં  AIનો પ્રભાવ ઓછો થઈ શકે છે, પરંતું વૈશ્વિક સ્તર પર લગભગ 40 ટકા નોકરીઓ પર  AIની અસર પડશે. તે વિકસિત અર્થતંત્રોમાં 60 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે. તમારી પાસે જેટલી હાઈ સ્કિલ જોબ હશે અસર તેટલી જ વધુ થશે.


આવક વધી શકે છે


IMFની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AIથી અસરગ્રસ્ત નોકરીઓમાંથી માત્ર અડધી પર જ નકારાત્મ અસર થશે. જ્યારે અન્ય લોકો AIના કારણે વધેલી ઉત્પાદકતાથી લાભ મેળવી શકે છે. જોર્જિવાએ કહ્યું  'તમારી નોકરી સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અથવા નહીં પણ થઈ શકે છે અથવા AI તમારી નોકરીને વધુ આગળ વધારી શકે છે. તમે ખરેખર વધુ પ્રોડક્ટિવ બનશો અને તમારી આવકનું સ્તર વધી શકે છે.

 

તેમણે કહ્યું કે 2024 વૈશ્વિક અર્થતંત્ર માટે મુશ્કેલ વર્ષ હોઈ શકે છે. વિશ્વ હજુ સુધી કોરોનાના સમયગાળા દરમિયાન લેવામાં આવેલા દેવાની જાળમાંથી બહાર નીકળી શક્યું નથી. જ્યારે આ વર્ષે વિશ્વના 80 થી વધુ દેશોમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં, સરકારો લોકોને આકર્ષવા માટે વધુ પૈસા ખર્ચ કરશે, તેનાથી દેશોનું દેવું વધુ વધશે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?