કોંગ્રેસે આપ્યો કેજરીવાલને ઝટકો, કેન્દ્રના વટહુકમનું સંસદમાં કરશે સમર્થન, મલ્લિકાર્જુન ખરગેએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-05-29 17:31:44

દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટીંગ અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારના આ વટહુકમને નિષ્ફળ બનાવવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જો કે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી નથી. હવે આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ નિવેદન આપી કેજરીવાલનું સમર્થન કરવાનો ઈનકાર કર્યો છે.


કોંગ્રેસના નેતાઓની બેઠકમાં નિર્ણય


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે દિલ્હી કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે આ મામલે આમ આદમી પાર્ટીનો સાથ નહીં આપવાની સલાહ આપી છે. નેતાઓનું એવું કહેવું છે કે તેના કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેજરીવાલે બિહારના સીએમ નિતીશ કુમાર સાથે બેઠક કરી ત્યાર બાદ નિતીશ કુમારે તમામ વિપક્ષી પાર્ટીઓને કેન્દ્રના વટહુકમનો રાજ્ય સભામાં વિરોધ કરવાની અપીલ કરી હતી. આજ પ્રકારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ વિપક્ષોને એકજુથ થવાનું આહવાન કર્યું હતું. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.