કોંગ્રેસે આપ્યો કેજરીવાલને ઝટકો, કેન્દ્રના વટહુકમનું સંસદમાં કરશે સમર્થન, મલ્લિકાર્જુન ખરગેએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-05-29 17:31:44

દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટીંગ અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારના આ વટહુકમને નિષ્ફળ બનાવવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જો કે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી નથી. હવે આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ નિવેદન આપી કેજરીવાલનું સમર્થન કરવાનો ઈનકાર કર્યો છે.


કોંગ્રેસના નેતાઓની બેઠકમાં નિર્ણય


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે દિલ્હી કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે આ મામલે આમ આદમી પાર્ટીનો સાથ નહીં આપવાની સલાહ આપી છે. નેતાઓનું એવું કહેવું છે કે તેના કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેજરીવાલે બિહારના સીએમ નિતીશ કુમાર સાથે બેઠક કરી ત્યાર બાદ નિતીશ કુમારે તમામ વિપક્ષી પાર્ટીઓને કેન્દ્રના વટહુકમનો રાજ્ય સભામાં વિરોધ કરવાની અપીલ કરી હતી. આજ પ્રકારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ વિપક્ષોને એકજુથ થવાનું આહવાન કર્યું હતું. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.