કોંગ્રેસે આપ્યો કેજરીવાલને ઝટકો, કેન્દ્રના વટહુકમનું સંસદમાં કરશે સમર્થન, મલ્લિકાર્જુન ખરગેએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-05-29 17:31:44

દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટીંગ અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારના આ વટહુકમને નિષ્ફળ બનાવવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જો કે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી નથી. હવે આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ નિવેદન આપી કેજરીવાલનું સમર્થન કરવાનો ઈનકાર કર્યો છે.


કોંગ્રેસના નેતાઓની બેઠકમાં નિર્ણય


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે દિલ્હી કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે આ મામલે આમ આદમી પાર્ટીનો સાથ નહીં આપવાની સલાહ આપી છે. નેતાઓનું એવું કહેવું છે કે તેના કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેજરીવાલે બિહારના સીએમ નિતીશ કુમાર સાથે બેઠક કરી ત્યાર બાદ નિતીશ કુમારે તમામ વિપક્ષી પાર્ટીઓને કેન્દ્રના વટહુકમનો રાજ્ય સભામાં વિરોધ કરવાની અપીલ કરી હતી. આજ પ્રકારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ વિપક્ષોને એકજુથ થવાનું આહવાન કર્યું હતું. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.