શિક્ષકોની ટ્રેનિંગને લઈ અરવિંદ કેજરીવાલે એલજી પર લગાવ્યા આરોપ, રસ્તા પર ઉતરી કેજરીવાલે કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-16 15:21:09

દિલ્હીમાં ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે. ત્યારે આ વખતે વિવાદ એટલો બધો વધી ગયો કે વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ રસ્તા પર આવી ગયા. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ માટે શિક્ષકોને ફિનલેન્ડ જવાની ના પાડી જેને કારણે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. 

Delhi Assembly Winter Session 2023 Live: Arvind Kejriwal and AAP MLAs Protest Against LG Vinai Kumar Saxena


રસ્તા પર ઉતરી અરવિંદ કેજરીવાલે કર્યો વિરોધ 

રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પરંતુ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અનબન હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. બંને એકબીજા પર આરોપ- પ્રતિઆરોપ લગાવતા રહે છે. ત્યારે શિક્ષકોની ટ્રેનિંગ મુદ્દે આપ અને ઉપરાજ્યપાલ આમને સામને આવી ગયા છે. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિંલેન્ડ જવાની ના પાડી જેને કારણે વિવાદ છેડાયો છે. ઉપરાંત આપે એલજી પર દિલ્હીમાં યોગ કક્ષાઓ બંધ કરાવી દેવાનો પણ આરોપ લગાવ્યો છે. આ વાતનો વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ પોતાના વિધાયકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કર્યું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.