શિક્ષકોની ટ્રેનિંગને લઈ અરવિંદ કેજરીવાલે એલજી પર લગાવ્યા આરોપ, રસ્તા પર ઉતરી કેજરીવાલે કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-16 15:21:09

દિલ્હીમાં ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે. ત્યારે આ વખતે વિવાદ એટલો બધો વધી ગયો કે વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ રસ્તા પર આવી ગયા. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ માટે શિક્ષકોને ફિનલેન્ડ જવાની ના પાડી જેને કારણે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. 

Delhi Assembly Winter Session 2023 Live: Arvind Kejriwal and AAP MLAs Protest Against LG Vinai Kumar Saxena


રસ્તા પર ઉતરી અરવિંદ કેજરીવાલે કર્યો વિરોધ 

રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પરંતુ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અનબન હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. બંને એકબીજા પર આરોપ- પ્રતિઆરોપ લગાવતા રહે છે. ત્યારે શિક્ષકોની ટ્રેનિંગ મુદ્દે આપ અને ઉપરાજ્યપાલ આમને સામને આવી ગયા છે. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિંલેન્ડ જવાની ના પાડી જેને કારણે વિવાદ છેડાયો છે. ઉપરાંત આપે એલજી પર દિલ્હીમાં યોગ કક્ષાઓ બંધ કરાવી દેવાનો પણ આરોપ લગાવ્યો છે. આ વાતનો વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ પોતાના વિધાયકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કર્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.