શિક્ષકોની ટ્રેનિંગને લઈ અરવિંદ કેજરીવાલે એલજી પર લગાવ્યા આરોપ, રસ્તા પર ઉતરી કેજરીવાલે કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-16 15:21:09

દિલ્હીમાં ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે. ત્યારે આ વખતે વિવાદ એટલો બધો વધી ગયો કે વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ રસ્તા પર આવી ગયા. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ માટે શિક્ષકોને ફિનલેન્ડ જવાની ના પાડી જેને કારણે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. 

Delhi Assembly Winter Session 2023 Live: Arvind Kejriwal and AAP MLAs Protest Against LG Vinai Kumar Saxena


રસ્તા પર ઉતરી અરવિંદ કેજરીવાલે કર્યો વિરોધ 

રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પરંતુ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અનબન હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. બંને એકબીજા પર આરોપ- પ્રતિઆરોપ લગાવતા રહે છે. ત્યારે શિક્ષકોની ટ્રેનિંગ મુદ્દે આપ અને ઉપરાજ્યપાલ આમને સામને આવી ગયા છે. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિંલેન્ડ જવાની ના પાડી જેને કારણે વિવાદ છેડાયો છે. ઉપરાંત આપે એલજી પર દિલ્હીમાં યોગ કક્ષાઓ બંધ કરાવી દેવાનો પણ આરોપ લગાવ્યો છે. આ વાતનો વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ પોતાના વિધાયકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કર્યું હતું.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.