દિલ્હી લીકર પોલિસી મામલે CM કેજરીવાલ આવ્યા સાણસામાં, CBIએ પૂછપરછ માટે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-14 19:17:09

દિલ્હી  લીકર પોલિસી કેસની તપાસનો રેલો હવે છેક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. આ મામલે હવે CBIએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને નોટિસ  ફટકારી 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આવેલા CBI હેડક્વાર્ટરમાં 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પહોંચવાનું રહેશે.


AAP નેતા સંજય સિંહે કર્યું ટ્વીટ


AAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે CBIના સમન્સ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'અત્યાચારનો અંત ચોક્કસ આવશે.  CBI દ્વારા અરવિંદ કેજરીવાલના સમનને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ. કેજરીવાલને CBIના સમનનો દાવો કરનાર AAPએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. પાર્ટીએ કહ્યું કે કેજરીવાલને સમન અંગે કાનૂની સલાહ લેવામાં આવશે. બીજી તરફ ભાજપે કહ્યું કે આ મામલે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.


કેજરીવાલનો સમન કેમ?


CM કેજરીવાલ પર આરોપ લાગેલા છે કે શરાબ કૌભાંડમાં સામેલ આરોપીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. આ સાથે જ કેજરીવાલ પર એવો પણ આરોપ છે કે તેમણે શરાબના વેપારીઓને દિલ્હીમાં આવીને વેપાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. CBIનું કહેવું છે કે કેજરીવાલને લઈને અનેક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. CBI હવે 16 એપ્રિલે કેજરીવાલની પૂછપરછ કરશે.


આ જ કેસમાં સિસોદિયા જેલમાં છે 


દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આ કેસમાં EDની કસ્ટડીમાં છે. 26 ફેબ્રુઆરીએ CBIએ 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી. 7 દિવસના CBI રિમાન્ડ પછી કોર્ટે 6 માર્ચે સિસોદિયાને 20 માર્ચ (14 દિવસ) સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. અહીં EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ પાસેથી લીકર પોલિસીમાં મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની પૂછપરછ કરી હતી, એજન્સીએ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.