દિલ્હી લીકર પોલિસી મામલે CM કેજરીવાલ આવ્યા સાણસામાં, CBIએ પૂછપરછ માટે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-14 19:17:09

દિલ્હી  લીકર પોલિસી કેસની તપાસનો રેલો હવે છેક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. આ મામલે હવે CBIએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને નોટિસ  ફટકારી 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આવેલા CBI હેડક્વાર્ટરમાં 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પહોંચવાનું રહેશે.


AAP નેતા સંજય સિંહે કર્યું ટ્વીટ


AAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે CBIના સમન્સ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'અત્યાચારનો અંત ચોક્કસ આવશે.  CBI દ્વારા અરવિંદ કેજરીવાલના સમનને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ. કેજરીવાલને CBIના સમનનો દાવો કરનાર AAPએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. પાર્ટીએ કહ્યું કે કેજરીવાલને સમન અંગે કાનૂની સલાહ લેવામાં આવશે. બીજી તરફ ભાજપે કહ્યું કે આ મામલે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.


કેજરીવાલનો સમન કેમ?


CM કેજરીવાલ પર આરોપ લાગેલા છે કે શરાબ કૌભાંડમાં સામેલ આરોપીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. આ સાથે જ કેજરીવાલ પર એવો પણ આરોપ છે કે તેમણે શરાબના વેપારીઓને દિલ્હીમાં આવીને વેપાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. CBIનું કહેવું છે કે કેજરીવાલને લઈને અનેક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. CBI હવે 16 એપ્રિલે કેજરીવાલની પૂછપરછ કરશે.


આ જ કેસમાં સિસોદિયા જેલમાં છે 


દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આ કેસમાં EDની કસ્ટડીમાં છે. 26 ફેબ્રુઆરીએ CBIએ 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી. 7 દિવસના CBI રિમાન્ડ પછી કોર્ટે 6 માર્ચે સિસોદિયાને 20 માર્ચ (14 દિવસ) સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. અહીં EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ પાસેથી લીકર પોલિસીમાં મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની પૂછપરછ કરી હતી, એજન્સીએ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.