નોટ પર ક્યારે અને કેવી રીતે આવ્યા ગાંધીજી? શું તેમની તસવીર હટાવી શકાય છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-26 21:52:26


જમાવટ મીડિયા, BY UTPAL DAVE


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટ પર મહાત્મા ગાંધીની સાથે-સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની ફોટો લગાવવાની વાત કરી હતી. કેજરીવાલના આ નિવેદનને ગુજરાત ચૂંટણી પહેલા હિંદુત્વ કાર્ડ રૂપે જોવામાં આવી રહ્યું છે. 


ચલણી નોટ પર ગાંધીજીની તસવીર ક્યારે છપાઈ? 


મહાત્મા ગાંધીના 100 મી જન્મજયંતી પર પહેલી વખત નોટ પર ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી.  ત્યાર બાદ 1987માં પહેલી વખત 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને  તેના પર ગાંધીજીની તસવીર છપાઈ હતી. વર્ષ 1996માં રિઝર્વ બેંકએ મહાત્મા ગાંધી સીરીઝની નોટ છાપી હતી. નોટબંધી બાદ બે હજારની નવી નોટ છાપવામાં આવી હતી તેના પર પણ ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી. 


નોટ પર ગાંધીજીનું ચિત્ર શા માટે?


નોટ પર ગાંધીજીની તસવીર લગાવવાનો નિર્ણય રિઝર્વ બેંકે લીધો છે. આ નિર્ણય કરવા પાછળનું કારણ ગાંધીજી દેશના સર્વમાન્ય નેતા છે, તેમની છબી નિર્વિરોધ નેતાની છે. દેશના અન્ય નેતાઓની તસવીર છાપવામાં આવે તેને લઈને RBIએ એક સમિતિની રચના કરી હતી તેમાં તમામ સભ્યોએ મહાત્મા ગાંધીને સર્વસ્વિકૃત નેતા ગણાવ્યા હતા. નવેમ્બર 2014માં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે RBIની કમિટીએ મહાત્મા ગાંધી સિવાય અન્ય નેતાઓની તસવીર નહીં છાપવાનો નિર્ણય કર્યો છે. તેનું કારણ આપતા કમિટીના સભ્યોએ જણાવ્યું કે કોઈ પણ નેતા ગાંધીજીથી વધુ દેશના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરી શક્તા નથી.



નોટો પર તસવીર છાપવા અંગે RBI એક્ટ શું કહે છે?


દેશમાં તમામ પ્રકારની નોટો છાપવાનો નિર્ણય RBI દ્વારા લેવામાં આવે છે, પરંતુ તેમાં કેન્દ્ર સરકારની સંમતિ પણ હોય છે. નોટની જેમ તેના પર કોઈ પણ ફોટો છપાવવામાં આવશે. તેનો નિર્ણય પણ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની સંયુક્ત પેનલે લે છે. રિઝર્વ બેંકના કાયદામાં નોટ પર ફોટો છાપવા અંગે કાયદો બનાવવામાં આવ્યો છે.


રિઝર્વ બેંકે માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, ‘RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ કેન્દ્રીય બેંક અને કેન્દ્ર સરકાર મળીને નોટ અને તેના પર ચિત્ર છાપવાનો નિર્ણય કરે છે. જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો પણ બંનેની સંયુક્ત પેનલ તેના પર નિર્ણય લે છે. જો કે નોટ પર ચિત્ર છાપવાનો નિર્ણય નિયમો કરતાં વધુ રાજકીય પ્રેરિત છે અને તેમાં કેન્દ્ર સરકારની જ દખલગીરી વધુ છે.’



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.