નોટ પર ક્યારે અને કેવી રીતે આવ્યા ગાંધીજી? શું તેમની તસવીર હટાવી શકાય છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-26 21:52:26


જમાવટ મીડિયા, BY UTPAL DAVE


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટ પર મહાત્મા ગાંધીની સાથે-સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની ફોટો લગાવવાની વાત કરી હતી. કેજરીવાલના આ નિવેદનને ગુજરાત ચૂંટણી પહેલા હિંદુત્વ કાર્ડ રૂપે જોવામાં આવી રહ્યું છે. 


ચલણી નોટ પર ગાંધીજીની તસવીર ક્યારે છપાઈ? 


મહાત્મા ગાંધીના 100 મી જન્મજયંતી પર પહેલી વખત નોટ પર ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી.  ત્યાર બાદ 1987માં પહેલી વખત 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને  તેના પર ગાંધીજીની તસવીર છપાઈ હતી. વર્ષ 1996માં રિઝર્વ બેંકએ મહાત્મા ગાંધી સીરીઝની નોટ છાપી હતી. નોટબંધી બાદ બે હજારની નવી નોટ છાપવામાં આવી હતી તેના પર પણ ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી. 


નોટ પર ગાંધીજીનું ચિત્ર શા માટે?


નોટ પર ગાંધીજીની તસવીર લગાવવાનો નિર્ણય રિઝર્વ બેંકે લીધો છે. આ નિર્ણય કરવા પાછળનું કારણ ગાંધીજી દેશના સર્વમાન્ય નેતા છે, તેમની છબી નિર્વિરોધ નેતાની છે. દેશના અન્ય નેતાઓની તસવીર છાપવામાં આવે તેને લઈને RBIએ એક સમિતિની રચના કરી હતી તેમાં તમામ સભ્યોએ મહાત્મા ગાંધીને સર્વસ્વિકૃત નેતા ગણાવ્યા હતા. નવેમ્બર 2014માં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે RBIની કમિટીએ મહાત્મા ગાંધી સિવાય અન્ય નેતાઓની તસવીર નહીં છાપવાનો નિર્ણય કર્યો છે. તેનું કારણ આપતા કમિટીના સભ્યોએ જણાવ્યું કે કોઈ પણ નેતા ગાંધીજીથી વધુ દેશના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરી શક્તા નથી.



નોટો પર તસવીર છાપવા અંગે RBI એક્ટ શું કહે છે?


દેશમાં તમામ પ્રકારની નોટો છાપવાનો નિર્ણય RBI દ્વારા લેવામાં આવે છે, પરંતુ તેમાં કેન્દ્ર સરકારની સંમતિ પણ હોય છે. નોટની જેમ તેના પર કોઈ પણ ફોટો છપાવવામાં આવશે. તેનો નિર્ણય પણ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની સંયુક્ત પેનલે લે છે. રિઝર્વ બેંકના કાયદામાં નોટ પર ફોટો છાપવા અંગે કાયદો બનાવવામાં આવ્યો છે.


રિઝર્વ બેંકે માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, ‘RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ કેન્દ્રીય બેંક અને કેન્દ્ર સરકાર મળીને નોટ અને તેના પર ચિત્ર છાપવાનો નિર્ણય કરે છે. જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો પણ બંનેની સંયુક્ત પેનલ તેના પર નિર્ણય લે છે. જો કે નોટ પર ચિત્ર છાપવાનો નિર્ણય નિયમો કરતાં વધુ રાજકીય પ્રેરિત છે અને તેમાં કેન્દ્ર સરકારની જ દખલગીરી વધુ છે.’



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.