કાતિલ ઠંડીની અસર, દિલ્હીમાં 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રહેશે, કેજરીવાલ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-01-08 21:09:53

દિલ્હીની કેજરીવાલ સરકારે કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીની મોટાભાગની ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન 8 જાન્યુઆરી સુધી જ હતું અને સોમવારથી શાળાઓ ખુલવાની હતી. બીજી તરફ દિલ્હીની સરકારી શાળાઓમાં 1લીથી 15મી જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે, પરંતુ હવે ખાનગી શાળાઓ માટે પણ એડવાઈઝરી જારી કરીને 15મી જાન્યુઆરી સુધી શાળાઓને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.


બોર્ડના વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ


દિલ્હીની સરકારી શાળાઓમાં 9મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રેમેડિયલ વર્ગો ચાલી રહ્યા છે, જેથી બાળકોની બોર્ડ પરીક્ષાની તૈયારી અટકી ન જાય. અગાઉ, શિક્ષણ નિર્દેશાલયે દિલ્હીની તમામ શાળાઓ માટે 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. જો કે, ઘણી ખાનગી શાળાઓ સોમવારથી ખોલવાની તૈયારી કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી સ્કૂલોએ વાલીઓને તેમના બાળકોને વોટ્સએપ ગ્રુપ અને ઈમેલ દ્વારા સ્કૂલ મોકલવા માટે નોટિસ પણ મોકલી હતી.


આજે રેકોર્ડ બ્રેક ઠંડી


દિલ્હીમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના સફદરજંગમાં રવિવારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં દિવસનું તાપમાન પણ 15-17 ડિગ્રી હતું. ભારતીય હવામાનના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી દેશમાં તાપમાનમાં થોડો વધારો થશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.