કાતિલ ઠંડીની અસર, દિલ્હીમાં 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રહેશે, કેજરીવાલ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-01-08 21:09:53

દિલ્હીની કેજરીવાલ સરકારે કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીની મોટાભાગની ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન 8 જાન્યુઆરી સુધી જ હતું અને સોમવારથી શાળાઓ ખુલવાની હતી. બીજી તરફ દિલ્હીની સરકારી શાળાઓમાં 1લીથી 15મી જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે, પરંતુ હવે ખાનગી શાળાઓ માટે પણ એડવાઈઝરી જારી કરીને 15મી જાન્યુઆરી સુધી શાળાઓને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.


બોર્ડના વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ


દિલ્હીની સરકારી શાળાઓમાં 9મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રેમેડિયલ વર્ગો ચાલી રહ્યા છે, જેથી બાળકોની બોર્ડ પરીક્ષાની તૈયારી અટકી ન જાય. અગાઉ, શિક્ષણ નિર્દેશાલયે દિલ્હીની તમામ શાળાઓ માટે 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. જો કે, ઘણી ખાનગી શાળાઓ સોમવારથી ખોલવાની તૈયારી કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી સ્કૂલોએ વાલીઓને તેમના બાળકોને વોટ્સએપ ગ્રુપ અને ઈમેલ દ્વારા સ્કૂલ મોકલવા માટે નોટિસ પણ મોકલી હતી.


આજે રેકોર્ડ બ્રેક ઠંડી


દિલ્હીમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના સફદરજંગમાં રવિવારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં દિવસનું તાપમાન પણ 15-17 ડિગ્રી હતું. ભારતીય હવામાનના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી દેશમાં તાપમાનમાં થોડો વધારો થશે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.