કાતિલ ઠંડીની અસર, દિલ્હીમાં 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રહેશે, કેજરીવાલ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-01-08 21:09:53

દિલ્હીની કેજરીવાલ સરકારે કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીની મોટાભાગની ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન 8 જાન્યુઆરી સુધી જ હતું અને સોમવારથી શાળાઓ ખુલવાની હતી. બીજી તરફ દિલ્હીની સરકારી શાળાઓમાં 1લીથી 15મી જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે, પરંતુ હવે ખાનગી શાળાઓ માટે પણ એડવાઈઝરી જારી કરીને 15મી જાન્યુઆરી સુધી શાળાઓને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.


બોર્ડના વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ


દિલ્હીની સરકારી શાળાઓમાં 9મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રેમેડિયલ વર્ગો ચાલી રહ્યા છે, જેથી બાળકોની બોર્ડ પરીક્ષાની તૈયારી અટકી ન જાય. અગાઉ, શિક્ષણ નિર્દેશાલયે દિલ્હીની તમામ શાળાઓ માટે 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. જો કે, ઘણી ખાનગી શાળાઓ સોમવારથી ખોલવાની તૈયારી કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી સ્કૂલોએ વાલીઓને તેમના બાળકોને વોટ્સએપ ગ્રુપ અને ઈમેલ દ્વારા સ્કૂલ મોકલવા માટે નોટિસ પણ મોકલી હતી.


આજે રેકોર્ડ બ્રેક ઠંડી


દિલ્હીમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના સફદરજંગમાં રવિવારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં દિવસનું તાપમાન પણ 15-17 ડિગ્રી હતું. ભારતીય હવામાનના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી દેશમાં તાપમાનમાં થોડો વધારો થશે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.