અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનને લઈ ભાજપના આરોપ! ભાજપના પ્રશ્ન પર AAPએ PMને કયા ખર્ચાઓ યાદ કરાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-26 16:00:45

આમ આદમી પાર્ટી અને ભાજપ અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર પ્રહાર કરતા રહે છે. ત્યારે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચર્ચામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના ઘરને લઈ ભાજપે એક દાવો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને તેમજ ઓફિસના રિનોવેશન પાછળ 45 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. કેજરીવાલ ઘરમાં નહીં પરંતુ શિશ મહેલમાં રહે છે. તેમને રાજીનામું આપી દેવું જોઈએ. તો આ વાત પર આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.

 

અરવિંદ કેજરીવાલને લઈ સંબિત પાત્રાએ પૂછ્યા સવાલ! 

સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલને મહારાજા તરીકે સંબોધ્યા હતા. અરવિંદ કેજરીવાલ મહારાજની સ્ટોરી ન ચલાવવા માટે મીડિયાને પણ લાલચ આપવામાં આવી રહી છે. જ્યારે કેજરીવાલને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તે કહે છે કે વડાપ્રધાન કઈ કારમાં ફરે છે? વધુમાં તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલના બંગલા માટે પસંદ કરવામાં આવેલા આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રુપિયાથી વધુ છે, જ્યારે સૌથી સસ્તા પડદાની કિંમત 3.57 લાખ રુપિયાની છે. પ્રી ફેબ્રિકેટેક લાકડાની દિવાલો પર 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  

પીએમ મોદી વિશે આમ આદમી પાર્ટીએ કરી આ વાત!

આ મામલે જવાબ આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ઘર 80 વર્ષ જૂનું છે. અનેક રૂમોની છત પડી ગઈ હતી. જેને કારણે રિનોવેશન કરાવવાની જરૂર હતી. આમ આદમી પાર્ટીના નેતા તેમજ સાંસદ સંજય સિંહે જવાબ તો આપ્યો પરંતુ સાથે સાથે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનું ઘર ઠીક કરવા માટે 500 કરોડનો ખર્ચ થયો. 8400 કરોડનું જહાજ ખરીદ્યું. પીએમ મોદી 12 કરોડની ગાડી ચલાવે છે. સવા લાખ રૂપિયાની પેન રાખે છે. 10 લાખનો સૂટ પહેરે છે. 1.6 લાખના ચશ્મા પહેરે છે. આ વાત પર ભાજપ પ્રશ્ન નથી ઉઠાવતી.             



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.