અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનને લઈ ભાજપના આરોપ! ભાજપના પ્રશ્ન પર AAPએ PMને કયા ખર્ચાઓ યાદ કરાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-26 16:00:45

આમ આદમી પાર્ટી અને ભાજપ અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર પ્રહાર કરતા રહે છે. ત્યારે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચર્ચામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના ઘરને લઈ ભાજપે એક દાવો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને તેમજ ઓફિસના રિનોવેશન પાછળ 45 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. કેજરીવાલ ઘરમાં નહીં પરંતુ શિશ મહેલમાં રહે છે. તેમને રાજીનામું આપી દેવું જોઈએ. તો આ વાત પર આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.

 

અરવિંદ કેજરીવાલને લઈ સંબિત પાત્રાએ પૂછ્યા સવાલ! 

સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલને મહારાજા તરીકે સંબોધ્યા હતા. અરવિંદ કેજરીવાલ મહારાજની સ્ટોરી ન ચલાવવા માટે મીડિયાને પણ લાલચ આપવામાં આવી રહી છે. જ્યારે કેજરીવાલને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તે કહે છે કે વડાપ્રધાન કઈ કારમાં ફરે છે? વધુમાં તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલના બંગલા માટે પસંદ કરવામાં આવેલા આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રુપિયાથી વધુ છે, જ્યારે સૌથી સસ્તા પડદાની કિંમત 3.57 લાખ રુપિયાની છે. પ્રી ફેબ્રિકેટેક લાકડાની દિવાલો પર 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  

પીએમ મોદી વિશે આમ આદમી પાર્ટીએ કરી આ વાત!

આ મામલે જવાબ આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ઘર 80 વર્ષ જૂનું છે. અનેક રૂમોની છત પડી ગઈ હતી. જેને કારણે રિનોવેશન કરાવવાની જરૂર હતી. આમ આદમી પાર્ટીના નેતા તેમજ સાંસદ સંજય સિંહે જવાબ તો આપ્યો પરંતુ સાથે સાથે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનું ઘર ઠીક કરવા માટે 500 કરોડનો ખર્ચ થયો. 8400 કરોડનું જહાજ ખરીદ્યું. પીએમ મોદી 12 કરોડની ગાડી ચલાવે છે. સવા લાખ રૂપિયાની પેન રાખે છે. 10 લાખનો સૂટ પહેરે છે. 1.6 લાખના ચશ્મા પહેરે છે. આ વાત પર ભાજપ પ્રશ્ન નથી ઉઠાવતી.             



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.