અરવિંદ કેજરીવાલના ઘરના રિનોવેશનને લઈ ભાજપના આરોપ! ભાજપના પ્રશ્ન પર AAPએ PMને કયા ખર્ચાઓ યાદ કરાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-26 16:00:45

આમ આદમી પાર્ટી અને ભાજપ અનેક મુદ્દાઓને લઈ એક બીજા પર પ્રહાર કરતા રહે છે. ત્યારે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચર્ચામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના ઘરને લઈ ભાજપે એક દાવો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને તેમજ ઓફિસના રિનોવેશન પાછળ 45 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. કેજરીવાલ ઘરમાં નહીં પરંતુ શિશ મહેલમાં રહે છે. તેમને રાજીનામું આપી દેવું જોઈએ. તો આ વાત પર આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.

 

અરવિંદ કેજરીવાલને લઈ સંબિત પાત્રાએ પૂછ્યા સવાલ! 

સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલને મહારાજા તરીકે સંબોધ્યા હતા. અરવિંદ કેજરીવાલ મહારાજની સ્ટોરી ન ચલાવવા માટે મીડિયાને પણ લાલચ આપવામાં આવી રહી છે. જ્યારે કેજરીવાલને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તે કહે છે કે વડાપ્રધાન કઈ કારમાં ફરે છે? વધુમાં તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલના બંગલા માટે પસંદ કરવામાં આવેલા આઠ પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રુપિયાથી વધુ છે, જ્યારે સૌથી સસ્તા પડદાની કિંમત 3.57 લાખ રુપિયાની છે. પ્રી ફેબ્રિકેટેક લાકડાની દિવાલો પર 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  

પીએમ મોદી વિશે આમ આદમી પાર્ટીએ કરી આ વાત!

આ મામલે જવાબ આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ઘર 80 વર્ષ જૂનું છે. અનેક રૂમોની છત પડી ગઈ હતી. જેને કારણે રિનોવેશન કરાવવાની જરૂર હતી. આમ આદમી પાર્ટીના નેતા તેમજ સાંસદ સંજય સિંહે જવાબ તો આપ્યો પરંતુ સાથે સાથે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનું ઘર ઠીક કરવા માટે 500 કરોડનો ખર્ચ થયો. 8400 કરોડનું જહાજ ખરીદ્યું. પીએમ મોદી 12 કરોડની ગાડી ચલાવે છે. સવા લાખ રૂપિયાની પેન રાખે છે. 10 લાખનો સૂટ પહેરે છે. 1.6 લાખના ચશ્મા પહેરે છે. આ વાત પર ભાજપ પ્રશ્ન નથી ઉઠાવતી.             



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.