અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી? 2014માં આપેલા આ નિવેદનને કારણે કેજરીવાલને જવું પડ્યું સુપ્રીમ કોર્ટના શરણે, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-28 11:57:36

ચૂંટણી દરમિયાન આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધીએ પોતાના સંસદ પદને ગુમાવવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધી બાદ અરવિંદ કેજરીવાલનો નંબર આવી શકે છે તેવું લાગી રહ્યું છે. તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે વાંધાજનક ટિપ્પણી કરી હતી  જેને લઈ આચાર સંહિતા ભંગના કેસનો સામનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે.     

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં શરુ કર્યું પોતાનો મુખ્યમંત્રી પસંદ કરો અભિયાન -  Gujarat Assembly Elections Arvind Kejriwal started 'Choose your own Chief  Minister campaign | Indian Express Gujarati

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2014ના ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પણ ભાજપને વોટ આપશે તેને ભગવાન પણ માફ નહીં કરે. આ ઉપરાંત કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે, “જો કોંગ્રેસ કો વોટ દેગા તો વો દેશ કે સાથ ગદ્દારી હોગી. 2014માં સુલતાનપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ માટે પ્રચાર કરતી વખતે કેજરીવાલે ઘણા વિરોધ શબ્દો બોલીને ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. એવો પણ આરોપ છે કે તેમણે ભડકાઉ ભાષણ પણ આપ્યું હતું. આ પછી પોલીસે અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. 


શું કહ્યું હતું ન્યાયાધીશોએ  

આ નિવેદન બાદ તેમની સામે ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ જજની બેન્ચે સુલતાનપુર સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખતા કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે જે લોકો ‘ખુદા’માં વિશ્વાસ રાખે છે, જો તેઓ બીજેપીને મત આપશે તો ‘ખુદા’તેમને માફ નહીં કરે.


અનેક નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવી રહી છે કાર્યવાહી

જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેન્ચે એવું પણ કહ્યું કે કેજરીવાલ ‘ખુદા’ના નામે મતદારોને ધમકાવી રહ્યા છે. તે સારી રીતે જાણે છે કે જો ‘ખુદા’શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો વિવિધ ધર્મના મતદારોને અસર થશે.જે પ્રમાણે હાલ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી જ કાર્યવાહી શું સત્તા પક્ષના નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવે છે?   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.