અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી? 2014માં આપેલા આ નિવેદનને કારણે કેજરીવાલને જવું પડ્યું સુપ્રીમ કોર્ટના શરણે, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-28 11:57:36

ચૂંટણી દરમિયાન આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધીએ પોતાના સંસદ પદને ગુમાવવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધી બાદ અરવિંદ કેજરીવાલનો નંબર આવી શકે છે તેવું લાગી રહ્યું છે. તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે વાંધાજનક ટિપ્પણી કરી હતી  જેને લઈ આચાર સંહિતા ભંગના કેસનો સામનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે.     

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં શરુ કર્યું પોતાનો મુખ્યમંત્રી પસંદ કરો અભિયાન -  Gujarat Assembly Elections Arvind Kejriwal started 'Choose your own Chief  Minister campaign | Indian Express Gujarati

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2014ના ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પણ ભાજપને વોટ આપશે તેને ભગવાન પણ માફ નહીં કરે. આ ઉપરાંત કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે, “જો કોંગ્રેસ કો વોટ દેગા તો વો દેશ કે સાથ ગદ્દારી હોગી. 2014માં સુલતાનપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ માટે પ્રચાર કરતી વખતે કેજરીવાલે ઘણા વિરોધ શબ્દો બોલીને ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. એવો પણ આરોપ છે કે તેમણે ભડકાઉ ભાષણ પણ આપ્યું હતું. આ પછી પોલીસે અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. 


શું કહ્યું હતું ન્યાયાધીશોએ  

આ નિવેદન બાદ તેમની સામે ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ જજની બેન્ચે સુલતાનપુર સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખતા કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે જે લોકો ‘ખુદા’માં વિશ્વાસ રાખે છે, જો તેઓ બીજેપીને મત આપશે તો ‘ખુદા’તેમને માફ નહીં કરે.


અનેક નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવી રહી છે કાર્યવાહી

જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેન્ચે એવું પણ કહ્યું કે કેજરીવાલ ‘ખુદા’ના નામે મતદારોને ધમકાવી રહ્યા છે. તે સારી રીતે જાણે છે કે જો ‘ખુદા’શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો વિવિધ ધર્મના મતદારોને અસર થશે.જે પ્રમાણે હાલ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી જ કાર્યવાહી શું સત્તા પક્ષના નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવે છે?   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.