અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી? 2014માં આપેલા આ નિવેદનને કારણે કેજરીવાલને જવું પડ્યું સુપ્રીમ કોર્ટના શરણે, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-28 11:57:36

ચૂંટણી દરમિયાન આપેલા નિવેદનને કારણે રાહુલ ગાંધીએ પોતાના સંસદ પદને ગુમાવવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધી બાદ અરવિંદ કેજરીવાલનો નંબર આવી શકે છે તેવું લાગી રહ્યું છે. તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે વાંધાજનક ટિપ્પણી કરી હતી  જેને લઈ આચાર સંહિતા ભંગના કેસનો સામનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે.     

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં શરુ કર્યું પોતાનો મુખ્યમંત્રી પસંદ કરો અભિયાન -  Gujarat Assembly Elections Arvind Kejriwal started 'Choose your own Chief  Minister campaign | Indian Express Gujarati

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2014ના ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પણ ભાજપને વોટ આપશે તેને ભગવાન પણ માફ નહીં કરે. આ ઉપરાંત કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે, “જો કોંગ્રેસ કો વોટ દેગા તો વો દેશ કે સાથ ગદ્દારી હોગી. 2014માં સુલતાનપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ માટે પ્રચાર કરતી વખતે કેજરીવાલે ઘણા વિરોધ શબ્દો બોલીને ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. એવો પણ આરોપ છે કે તેમણે ભડકાઉ ભાષણ પણ આપ્યું હતું. આ પછી પોલીસે અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. 


શું કહ્યું હતું ન્યાયાધીશોએ  

આ નિવેદન બાદ તેમની સામે ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ જજની બેન્ચે સુલતાનપુર સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખતા કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે જે લોકો ‘ખુદા’માં વિશ્વાસ રાખે છે, જો તેઓ બીજેપીને મત આપશે તો ‘ખુદા’તેમને માફ નહીં કરે.


અનેક નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવી રહી છે કાર્યવાહી

જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેન્ચે એવું પણ કહ્યું કે કેજરીવાલ ‘ખુદા’ના નામે મતદારોને ધમકાવી રહ્યા છે. તે સારી રીતે જાણે છે કે જો ‘ખુદા’શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો વિવિધ ધર્મના મતદારોને અસર થશે.જે પ્રમાણે હાલ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી જ કાર્યવાહી શું સત્તા પક્ષના નેતાઓ વિરૂદ્ધ કરવામાં આવે છે?   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.