આર્યન ખાન ડ્રગ્સ કેસ: CBI સમક્ષ હાજર થયા સમીર વાનખેડે, શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માંગવાનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-20 15:52:24

NCBના પૂર્વ રિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાન ડ્ર્ગ્સ કેસમાં CBI સમક્ષ હાજર થયા હતા. કોર્ડેલિયા ક્રૂઝ પરથી માદક ડ્ર્ગ્સની જપ્તીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામેલ નહીં કરવાના બદલે 25 કરોડ રૂપિયાની લાંચ માગવા સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુંબઈ સ્થિત CBIની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે એજન્સીના કાર્યાલયમાં જતા સમયે મીડિયાકર્મીઓને માત્ર એટલું જ કહ્યું 'સત્યમેવ જયતે'


વાનખેડે પર લાંચ અને ખંડણીનો આરોપ


CBIએ આ મામલે પૂછપરછ માટે ગુરુવારે વાનખેડેને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે દિવસે તે એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. આર્યન ખાન વિરુદ્ધ પુરાવાના અભાવે NCBએ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેનું નામ સામેલ કર્યું ન હતું. CBIએ 11 મેના રોજ વાનખેડે અને અન્ય ચાર લોકો સામે NCBની ફરિયાદ પર કથિત કાવતરું અને લાંચ સાથે સંબંધિત ગુનાઓ ઉપરાંત ગેરવસૂલી માટે FIR નોંધી હતી. ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ખંડણી અને લાંચ લેવાના આરોપમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી CBI FIRને રદ કરવા માટે અરજી કરી હતી.


બોમ્બે હાઈકોર્ટે CBIને કર્યો હતો આદેશ


બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સીબીઆઈને શાહરૂખ ખાન પાસેથી રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપી વાનખેડે સામે 22 મે સુધી ધરપકડ જેવી કોઈ કઠોર કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આર્યનની 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પછી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, એન્ટી-નાર્કોટિક્સ એજન્સી આર્યન સામેના આરોપોને સાચા સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી, ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે તેને ત્રણ અઠવાડિયા પછી જામીન આપ્યા હતા.


CBIએ આરોપ મૂક્યો હતો કે NCB,મુંબઈ ઝોનને ઑક્ટોબર 2021માં ક્રૂઝ શિપ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સ રાખવા અને સેવન કરવાની માહિતી મળી હતી, જેના પગલે NCBના કેટલાક અધિકારીઓએ આરોપીઓને છોડાવવાના બદલામાં લાંચ માંગવાનું ષડયંત્ર રચ્યું હતું. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.