આર્યન ખાન ડ્રગ્સ કેસ: CBI સમક્ષ હાજર થયા સમીર વાનખેડે, શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માંગવાનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-20 15:52:24

NCBના પૂર્વ રિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાન ડ્ર્ગ્સ કેસમાં CBI સમક્ષ હાજર થયા હતા. કોર્ડેલિયા ક્રૂઝ પરથી માદક ડ્ર્ગ્સની જપ્તીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામેલ નહીં કરવાના બદલે 25 કરોડ રૂપિયાની લાંચ માગવા સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુંબઈ સ્થિત CBIની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે એજન્સીના કાર્યાલયમાં જતા સમયે મીડિયાકર્મીઓને માત્ર એટલું જ કહ્યું 'સત્યમેવ જયતે'


વાનખેડે પર લાંચ અને ખંડણીનો આરોપ


CBIએ આ મામલે પૂછપરછ માટે ગુરુવારે વાનખેડેને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે દિવસે તે એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. આર્યન ખાન વિરુદ્ધ પુરાવાના અભાવે NCBએ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેનું નામ સામેલ કર્યું ન હતું. CBIએ 11 મેના રોજ વાનખેડે અને અન્ય ચાર લોકો સામે NCBની ફરિયાદ પર કથિત કાવતરું અને લાંચ સાથે સંબંધિત ગુનાઓ ઉપરાંત ગેરવસૂલી માટે FIR નોંધી હતી. ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ખંડણી અને લાંચ લેવાના આરોપમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી CBI FIRને રદ કરવા માટે અરજી કરી હતી.


બોમ્બે હાઈકોર્ટે CBIને કર્યો હતો આદેશ


બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સીબીઆઈને શાહરૂખ ખાન પાસેથી રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપી વાનખેડે સામે 22 મે સુધી ધરપકડ જેવી કોઈ કઠોર કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આર્યનની 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પછી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, એન્ટી-નાર્કોટિક્સ એજન્સી આર્યન સામેના આરોપોને સાચા સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી, ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે તેને ત્રણ અઠવાડિયા પછી જામીન આપ્યા હતા.


CBIએ આરોપ મૂક્યો હતો કે NCB,મુંબઈ ઝોનને ઑક્ટોબર 2021માં ક્રૂઝ શિપ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સ રાખવા અને સેવન કરવાની માહિતી મળી હતી, જેના પગલે NCBના કેટલાક અધિકારીઓએ આરોપીઓને છોડાવવાના બદલામાં લાંચ માંગવાનું ષડયંત્ર રચ્યું હતું. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.