આર્યન ખાન ડ્રગ્સ કેસ: CBI સમક્ષ હાજર થયા સમીર વાનખેડે, શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માંગવાનો છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-20 15:52:24

NCBના પૂર્વ રિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાન ડ્ર્ગ્સ કેસમાં CBI સમક્ષ હાજર થયા હતા. કોર્ડેલિયા ક્રૂઝ પરથી માદક ડ્ર્ગ્સની જપ્તીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામેલ નહીં કરવાના બદલે 25 કરોડ રૂપિયાની લાંચ માગવા સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુંબઈ સ્થિત CBIની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે એજન્સીના કાર્યાલયમાં જતા સમયે મીડિયાકર્મીઓને માત્ર એટલું જ કહ્યું 'સત્યમેવ જયતે'


વાનખેડે પર લાંચ અને ખંડણીનો આરોપ


CBIએ આ મામલે પૂછપરછ માટે ગુરુવારે વાનખેડેને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે દિવસે તે એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. આર્યન ખાન વિરુદ્ધ પુરાવાના અભાવે NCBએ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેનું નામ સામેલ કર્યું ન હતું. CBIએ 11 મેના રોજ વાનખેડે અને અન્ય ચાર લોકો સામે NCBની ફરિયાદ પર કથિત કાવતરું અને લાંચ સાથે સંબંધિત ગુનાઓ ઉપરાંત ગેરવસૂલી માટે FIR નોંધી હતી. ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ખંડણી અને લાંચ લેવાના આરોપમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી CBI FIRને રદ કરવા માટે અરજી કરી હતી.


બોમ્બે હાઈકોર્ટે CBIને કર્યો હતો આદેશ


બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સીબીઆઈને શાહરૂખ ખાન પાસેથી રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપી વાનખેડે સામે 22 મે સુધી ધરપકડ જેવી કોઈ કઠોર કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આર્યનની 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પછી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, એન્ટી-નાર્કોટિક્સ એજન્સી આર્યન સામેના આરોપોને સાચા સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી, ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે તેને ત્રણ અઠવાડિયા પછી જામીન આપ્યા હતા.


CBIએ આરોપ મૂક્યો હતો કે NCB,મુંબઈ ઝોનને ઑક્ટોબર 2021માં ક્રૂઝ શિપ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સ રાખવા અને સેવન કરવાની માહિતી મળી હતી, જેના પગલે NCBના કેટલાક અધિકારીઓએ આરોપીઓને છોડાવવાના બદલામાં લાંચ માંગવાનું ષડયંત્ર રચ્યું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.