એશિઝ મેચ દરમિયાન લોર્ડસના મેદાન પર દોડી આવ્યા પ્રદર્શનકારો, જોરદાર થયો હંગામો


  • Published By :
  • Published Date : 2023-06-28 17:32:50

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝ (The Ashes)ના બીજા મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રિકેટ મેચ લોર્ડસના મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે મેચ શરૂ થઈ તે દરમિયાન જ લોર્ડસના મેદાન પર જબરદસ્ત ડ્રામા શરૂ થઈ ગયો હતો. મેચ દરમિયાન જ જસ્ટ સ્ટોપ ઓઈલ ગ્રૂપના અનેક પ્રદર્શનકારો મેદાન પર દોડી આવ્યા હતા.


બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવ્યો


ક્રિકેટના મેદાન પર દોડી આવેલા પ્રદર્શનકારોએ પૈકીના એકને ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવી લીધો હતો, તે તેને લઈને સીધા જ મેદાનની બહાર ચાલ્યા ગયા હતા. આ પ્રદર્શનકારોએ બેયરસ્ટો પર ઓરેન્જ કલરનો પાઉડર પણ ફેંક્યો હતો. આ દરમિયાન પીચ પર દોડતા પ્રદર્શનકારીઓને ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.  



શા માટે મેદાન પર દોડ્યા પ્રદર્શનકારો?


જસ્ટ સ્ટોપ ઓયલ ગ્રુપ ઈંગ્લેન્ડના પર્યાવરણ કાર્યકર્તાઓનું એક જુથ છે. તેનું લક્ષ્ય બ્રિટનની સરકારને નવા ઓઈલ લાયસન્સ જારી કરવાથી રોકવાનું છે. આ ગ્રુપની સ્થાપના ફેબ્રુઆરી 2022માં થઈ હતી, અને આ ગ્રુપ દ્વારા એપ્રીલ 2022માં બ્રિટિશ ઓઈલ ટર્મિનલો પર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ ગ્રૂપ ઈંગ્લેન્ડમાં તેના વિરોધ પ્રદર્શન કરવાની સ્ટાઈલના કારણો અવારનવાર ચર્ચામાં રહે છે, લોકો તેના આવી વિરોધ શૈલીની ટીકા પણ કરે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.