એશિઝ મેચ દરમિયાન લોર્ડસના મેદાન પર દોડી આવ્યા પ્રદર્શનકારો, જોરદાર થયો હંગામો


  • Published By :
  • Published Date : 2023-06-28 17:32:50

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝ (The Ashes)ના બીજા મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રિકેટ મેચ લોર્ડસના મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે મેચ શરૂ થઈ તે દરમિયાન જ લોર્ડસના મેદાન પર જબરદસ્ત ડ્રામા શરૂ થઈ ગયો હતો. મેચ દરમિયાન જ જસ્ટ સ્ટોપ ઓઈલ ગ્રૂપના અનેક પ્રદર્શનકારો મેદાન પર દોડી આવ્યા હતા.


બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવ્યો


ક્રિકેટના મેદાન પર દોડી આવેલા પ્રદર્શનકારોએ પૈકીના એકને ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવી લીધો હતો, તે તેને લઈને સીધા જ મેદાનની બહાર ચાલ્યા ગયા હતા. આ પ્રદર્શનકારોએ બેયરસ્ટો પર ઓરેન્જ કલરનો પાઉડર પણ ફેંક્યો હતો. આ દરમિયાન પીચ પર દોડતા પ્રદર્શનકારીઓને ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.  



શા માટે મેદાન પર દોડ્યા પ્રદર્શનકારો?


જસ્ટ સ્ટોપ ઓયલ ગ્રુપ ઈંગ્લેન્ડના પર્યાવરણ કાર્યકર્તાઓનું એક જુથ છે. તેનું લક્ષ્ય બ્રિટનની સરકારને નવા ઓઈલ લાયસન્સ જારી કરવાથી રોકવાનું છે. આ ગ્રુપની સ્થાપના ફેબ્રુઆરી 2022માં થઈ હતી, અને આ ગ્રુપ દ્વારા એપ્રીલ 2022માં બ્રિટિશ ઓઈલ ટર્મિનલો પર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ ગ્રૂપ ઈંગ્લેન્ડમાં તેના વિરોધ પ્રદર્શન કરવાની સ્ટાઈલના કારણો અવારનવાર ચર્ચામાં રહે છે, લોકો તેના આવી વિરોધ શૈલીની ટીકા પણ કરે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.