એશિઝ મેચ દરમિયાન લોર્ડસના મેદાન પર દોડી આવ્યા પ્રદર્શનકારો, જોરદાર થયો હંગામો


  • Published By :
  • Published Date : 2023-06-28 17:32:50

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝ (The Ashes)ના બીજા મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રિકેટ મેચ લોર્ડસના મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે મેચ શરૂ થઈ તે દરમિયાન જ લોર્ડસના મેદાન પર જબરદસ્ત ડ્રામા શરૂ થઈ ગયો હતો. મેચ દરમિયાન જ જસ્ટ સ્ટોપ ઓઈલ ગ્રૂપના અનેક પ્રદર્શનકારો મેદાન પર દોડી આવ્યા હતા.


બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવ્યો


ક્રિકેટના મેદાન પર દોડી આવેલા પ્રદર્શનકારોએ પૈકીના એકને ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવી લીધો હતો, તે તેને લઈને સીધા જ મેદાનની બહાર ચાલ્યા ગયા હતા. આ પ્રદર્શનકારોએ બેયરસ્ટો પર ઓરેન્જ કલરનો પાઉડર પણ ફેંક્યો હતો. આ દરમિયાન પીચ પર દોડતા પ્રદર્શનકારીઓને ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.  



શા માટે મેદાન પર દોડ્યા પ્રદર્શનકારો?


જસ્ટ સ્ટોપ ઓયલ ગ્રુપ ઈંગ્લેન્ડના પર્યાવરણ કાર્યકર્તાઓનું એક જુથ છે. તેનું લક્ષ્ય બ્રિટનની સરકારને નવા ઓઈલ લાયસન્સ જારી કરવાથી રોકવાનું છે. આ ગ્રુપની સ્થાપના ફેબ્રુઆરી 2022માં થઈ હતી, અને આ ગ્રુપ દ્વારા એપ્રીલ 2022માં બ્રિટિશ ઓઈલ ટર્મિનલો પર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ ગ્રૂપ ઈંગ્લેન્ડમાં તેના વિરોધ પ્રદર્શન કરવાની સ્ટાઈલના કારણો અવારનવાર ચર્ચામાં રહે છે, લોકો તેના આવી વિરોધ શૈલીની ટીકા પણ કરે છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."