કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર બિહારમાં ખેડૂતોએ કર્યો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-12 20:21:20

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ગુરુવારે બિહારના બક્સરમાં વિરોધનો સામનો કરવો પડ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ મંત્રીના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. વાસ્તવમાં અશ્વિની ચૌબે બક્સરથી સાંસદ છે. આજે અશ્વિની ચૌબે 86 દિવસથી વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા બક્સરના બનારપુર પહોંચ્યા હતા. પરંતુ તેમને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. અશ્વિની ચૌબે જીવ બચાવવા કારમાં બેસીને ભાગી ગયા હતા. 


ખેડૂતો શા માટે ગુસ્સે થયા?


બક્સરના બનારપુરમાં 86 દિવસથી વધુ સમયથી ખેડૂતો જમીનના વળતરની માંગ સાથે ધરણા પર બેઠા છે. બે દિવસ પહેલા જ પોલીસે તેમના પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ખેડૂતોએ પોલીસ સામે મોરચો ખોલ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણની સ્થિતી સર્જાઈ હતી. 


86 દિવસથી તમે ક્યાં હતા


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ખેડૂતો સમક્ષ ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે ખેડૂતોએ આંટલા દિવસો તમે ક્યા હતા? તેવો સવાલ કરતા મંત્રીજી પાસે તેનો કોઈ જવાબ ન હતો આથી ખેડૂતોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો  હતો અને તેમણે અશ્વિની ચૌબે સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમના વિરોધમાં નારેબાજી પણ કરી. અશ્વિની ચૌબે મુર્દાબાદનાં નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આવા સમયે સુરક્ષાકર્મીઓએ અશ્વિની ચૌબેને ટોળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.