કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર બિહારમાં ખેડૂતોએ કર્યો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-12 20:21:20

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ગુરુવારે બિહારના બક્સરમાં વિરોધનો સામનો કરવો પડ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ મંત્રીના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. વાસ્તવમાં અશ્વિની ચૌબે બક્સરથી સાંસદ છે. આજે અશ્વિની ચૌબે 86 દિવસથી વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા બક્સરના બનારપુર પહોંચ્યા હતા. પરંતુ તેમને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. અશ્વિની ચૌબે જીવ બચાવવા કારમાં બેસીને ભાગી ગયા હતા. 


ખેડૂતો શા માટે ગુસ્સે થયા?


બક્સરના બનારપુરમાં 86 દિવસથી વધુ સમયથી ખેડૂતો જમીનના વળતરની માંગ સાથે ધરણા પર બેઠા છે. બે દિવસ પહેલા જ પોલીસે તેમના પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ખેડૂતોએ પોલીસ સામે મોરચો ખોલ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણની સ્થિતી સર્જાઈ હતી. 


86 દિવસથી તમે ક્યાં હતા


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ખેડૂતો સમક્ષ ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે ખેડૂતોએ આંટલા દિવસો તમે ક્યા હતા? તેવો સવાલ કરતા મંત્રીજી પાસે તેનો કોઈ જવાબ ન હતો આથી ખેડૂતોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો  હતો અને તેમણે અશ્વિની ચૌબે સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમના વિરોધમાં નારેબાજી પણ કરી. અશ્વિની ચૌબે મુર્દાબાદનાં નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આવા સમયે સુરક્ષાકર્મીઓએ અશ્વિની ચૌબેને ટોળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.