કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર બિહારમાં ખેડૂતોએ કર્યો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-12 20:21:20

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ગુરુવારે બિહારના બક્સરમાં વિરોધનો સામનો કરવો પડ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ મંત્રીના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. વાસ્તવમાં અશ્વિની ચૌબે બક્સરથી સાંસદ છે. આજે અશ્વિની ચૌબે 86 દિવસથી વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા બક્સરના બનારપુર પહોંચ્યા હતા. પરંતુ તેમને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. અશ્વિની ચૌબે જીવ બચાવવા કારમાં બેસીને ભાગી ગયા હતા. 


ખેડૂતો શા માટે ગુસ્સે થયા?


બક્સરના બનારપુરમાં 86 દિવસથી વધુ સમયથી ખેડૂતો જમીનના વળતરની માંગ સાથે ધરણા પર બેઠા છે. બે દિવસ પહેલા જ પોલીસે તેમના પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ખેડૂતોએ પોલીસ સામે મોરચો ખોલ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણની સ્થિતી સર્જાઈ હતી. 


86 દિવસથી તમે ક્યાં હતા


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ખેડૂતો સમક્ષ ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે ખેડૂતોએ આંટલા દિવસો તમે ક્યા હતા? તેવો સવાલ કરતા મંત્રીજી પાસે તેનો કોઈ જવાબ ન હતો આથી ખેડૂતોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો  હતો અને તેમણે અશ્વિની ચૌબે સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમના વિરોધમાં નારેબાજી પણ કરી. અશ્વિની ચૌબે મુર્દાબાદનાં નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આવા સમયે સુરક્ષાકર્મીઓએ અશ્વિની ચૌબેને ટોળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.