પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએંસર મોમિન શાકિબે કર્યો વિલાપ, વીડિયો થયો ખુબ વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 13:01:33

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાયેલી મેચ ભારે રસાકસી બાદ અંતે ભારતે જીતી લીધી હતી. છેલ્લી ઓવર સુધી મેચનો રોમાંચ જોવા મળ્યો હતો. મેચ બાદ પાકિસ્તાની ફેન્સના અલગ-અલગ પ્રત્યાઘાત જોવા મળ્યા. આ તમામમાં મોમિન શાકિબ તેના વીડિયોના કારણે હાલ ચર્ચામાં છે.


ઈન્સ્ટાગ્રામ પર મોમિન શાકિબે મેચના દિવસે અનેક વીડિયો શેઅર કર્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમિન એમ્બ્યુલન્સ શોધતો નજરે પડ્યો હતો. વીડિયોમાં તે રડતા-રડતા કહીં રહ્યો હતો, ' હવે શું કરીએ બાબર પણ આઉટ થઈ ગયો, રિઝવાન પણ ગયો, મારા માટે એમ્બ્યુલેંસ લઈ આવો'


આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં મોમિન શાકિબ રડતો-રડતો ટિશ્યુથી પોતાના આંસુ લુછતો જોવા મળે છે. મેચ પુરી થયા પછી પણ તે સ્ટેડિયમમાં બેસીને આંસુ લુછતો વીડિયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે.


ભારત મેચ જીત્યા બાદ મોમિન શાકિબે ટીમ ઈન્ડિયાના પુર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મેચ જીતાડવામાં સિંહફાળો આપનારા હાર્દિક પડ્યા સાથે મુલાકાત કરી હતી. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન શાકિબે કહ્યું હતું કે આશા છે કે બંને ટીમ ફાઈનલમાં એકબીજા સાથે ફરી ટકરાશે.


અત્રે ઉલ્લેખનિય છે કે મોમિન શાકિબ સોશિયલ મિ઼ડીયા પર એક મોટા સુપરસ્ટાર છે, વન ડે વર્લ્ડ કપ 2019માં જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે પણ તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો.  જેમાં તેમણે પરાજયનું રિએક્સન આપતા કહ્યું હતું  'ઓ ભાઈ મને મારો', ત્યારથી જ મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય બન્યા છે.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.