પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએંસર મોમિન શાકિબે કર્યો વિલાપ, વીડિયો થયો ખુબ વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 13:01:33

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાયેલી મેચ ભારે રસાકસી બાદ અંતે ભારતે જીતી લીધી હતી. છેલ્લી ઓવર સુધી મેચનો રોમાંચ જોવા મળ્યો હતો. મેચ બાદ પાકિસ્તાની ફેન્સના અલગ-અલગ પ્રત્યાઘાત જોવા મળ્યા. આ તમામમાં મોમિન શાકિબ તેના વીડિયોના કારણે હાલ ચર્ચામાં છે.


ઈન્સ્ટાગ્રામ પર મોમિન શાકિબે મેચના દિવસે અનેક વીડિયો શેઅર કર્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમિન એમ્બ્યુલન્સ શોધતો નજરે પડ્યો હતો. વીડિયોમાં તે રડતા-રડતા કહીં રહ્યો હતો, ' હવે શું કરીએ બાબર પણ આઉટ થઈ ગયો, રિઝવાન પણ ગયો, મારા માટે એમ્બ્યુલેંસ લઈ આવો'


આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં મોમિન શાકિબ રડતો-રડતો ટિશ્યુથી પોતાના આંસુ લુછતો જોવા મળે છે. મેચ પુરી થયા પછી પણ તે સ્ટેડિયમમાં બેસીને આંસુ લુછતો વીડિયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે.


ભારત મેચ જીત્યા બાદ મોમિન શાકિબે ટીમ ઈન્ડિયાના પુર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મેચ જીતાડવામાં સિંહફાળો આપનારા હાર્દિક પડ્યા સાથે મુલાકાત કરી હતી. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન શાકિબે કહ્યું હતું કે આશા છે કે બંને ટીમ ફાઈનલમાં એકબીજા સાથે ફરી ટકરાશે.


અત્રે ઉલ્લેખનિય છે કે મોમિન શાકિબ સોશિયલ મિ઼ડીયા પર એક મોટા સુપરસ્ટાર છે, વન ડે વર્લ્ડ કપ 2019માં જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે પણ તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો.  જેમાં તેમણે પરાજયનું રિએક્સન આપતા કહ્યું હતું  'ઓ ભાઈ મને મારો', ત્યારથી જ મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય બન્યા છે.





ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદ ગમે તે ઋતુમાં આવી જાય છે.. હાલ લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. પ્રદૂષણની વાત આપણે એક પણ વખત પ્રચાર દરમિયાન નહીં સાંભળી હોય. પ્રદૂષણને અટકાવાની જવાબદારી આપણી પણ છે.

અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે

ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી છે.. ત્યારે 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું સંકટ રહેલું છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..

મુંબઈના ઘાટકોપરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.. જોરદાર પવનના કારણે પેટ્રોલ પંપર ઉપર આવેલો એક મોટો હોર્ડિંગ અચાનક પડી ગયું અને 14 જેટલા લોકોના મોતનું કારણ બન્યું.. 88 લોકો આ દુર્ઘટનાને કારણે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે.. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે...