પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએંસર મોમિન શાકિબે કર્યો વિલાપ, વીડિયો થયો ખુબ વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 13:01:33

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાયેલી મેચ ભારે રસાકસી બાદ અંતે ભારતે જીતી લીધી હતી. છેલ્લી ઓવર સુધી મેચનો રોમાંચ જોવા મળ્યો હતો. મેચ બાદ પાકિસ્તાની ફેન્સના અલગ-અલગ પ્રત્યાઘાત જોવા મળ્યા. આ તમામમાં મોમિન શાકિબ તેના વીડિયોના કારણે હાલ ચર્ચામાં છે.


ઈન્સ્ટાગ્રામ પર મોમિન શાકિબે મેચના દિવસે અનેક વીડિયો શેઅર કર્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમિન એમ્બ્યુલન્સ શોધતો નજરે પડ્યો હતો. વીડિયોમાં તે રડતા-રડતા કહીં રહ્યો હતો, ' હવે શું કરીએ બાબર પણ આઉટ થઈ ગયો, રિઝવાન પણ ગયો, મારા માટે એમ્બ્યુલેંસ લઈ આવો'


આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં મોમિન શાકિબ રડતો-રડતો ટિશ્યુથી પોતાના આંસુ લુછતો જોવા મળે છે. મેચ પુરી થયા પછી પણ તે સ્ટેડિયમમાં બેસીને આંસુ લુછતો વીડિયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે.


ભારત મેચ જીત્યા બાદ મોમિન શાકિબે ટીમ ઈન્ડિયાના પુર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મેચ જીતાડવામાં સિંહફાળો આપનારા હાર્દિક પડ્યા સાથે મુલાકાત કરી હતી. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન શાકિબે કહ્યું હતું કે આશા છે કે બંને ટીમ ફાઈનલમાં એકબીજા સાથે ફરી ટકરાશે.


અત્રે ઉલ્લેખનિય છે કે મોમિન શાકિબ સોશિયલ મિ઼ડીયા પર એક મોટા સુપરસ્ટાર છે, વન ડે વર્લ્ડ કપ 2019માં જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે પણ તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો.  જેમાં તેમણે પરાજયનું રિએક્સન આપતા કહ્યું હતું  'ઓ ભાઈ મને મારો', ત્યારથી જ મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય બન્યા છે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.