Asia Cup 2023 : એશિયા કપનું શિડ્યુલ જાહેર, હાઈબ્રિડ મોડલમાં રમાશે ટુર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે INDvsPAKની મેચ


  • Published By :
  • Published Date : 2023-07-19 21:16:55

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ દ્વારા સત્તાવાર રીતે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરાયું છે, અને આ એશિયા કપ આગામી 30 ઓગસ્ટથી શરુ થવા જઈ રહ્યો છે. 


હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ, 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાની મેચ  


એશિયા કપ 2023ની યજમાની આ વખતે પાકિસ્તાન કરી રહ્યું છે, પંરતુ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ACCએ આ એશિયા કપ હાઈબ્રિડ મોડલમાં રમાડવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આ ટુર્નામેન્ટની માત્ર ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે. મતલબ કે ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે, પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.  



એશિયા કપની શરુઆત 30 ઓગસ્ટથી થશે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે, જ્યારે ભારતીય ટીમ તેની પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે શ્રીલંકના કેન્ડી ખાતે રમશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મુકાબલો શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 


કુલ 6 ટીમ ભાગ લેશે 


એશિયા કપ 2023માં એશિયા ખંડની કુલ 6 ટીમ ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ. એમ કુલ 6 ટીમો ભાગ લેશે. તમામ ટીમ ગ્રુપ સ્ટેજમાં એકબીજા સાથે ટકરાશે અને ટોચની 4 ટીમ ગ્રુપ સ્ટેજ પછી સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થશે. 

ભારત તેની બીજી મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે શ્રીલંકાના કેન્ડિમાં જ રમશે, સુપર 4 ગ્રુપ A અને ગ્રુપ Bની ટોપ 2 ટીમ એકબીજા સાથે ટકરાશે. 6 સપ્ટેમ્બરથી શરુ થતો સુપર 4નો રાઉન્ડ કંઈક આ મુજબ રહેશે : A1vsB2, B1vsB2, A1vsA2, A2vsB1, A1vsB1 અને A2vsB2 અને ત્યારબાદ સુપર 4ની ટોપ 2 આગામી 17 સપ્ટેમ્બરના રોજ ટીમ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે, અને ફાઈનલ શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 

3 વખત ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન 

એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થાય છે તો 10 સપ્ટેમ્બરે કેન્ડીમાં બંને વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાશે. બીજી તરફ, જો બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ટોચ પર રહેશે તો 17મી સપ્ટેમ્બરે ફાઇનલ મેચ પણ રમાઈ શકે છે. આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત 3 મેચ રમાઈ શકે છે.


આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે

આમ તો છેલ્લાં ઘણાં સમયથી એશિયા કપ T20 ફોર્મેટમાં રમાતો હતો, પંરતુ એશિયા કપ બાદ ODI વર્લ્ડ કપ આવવાનો છે માટે એને ધ્યાનમાં રાખીને આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટ એટલે કે 50-50 ઓવરના ફોર્મેટમાં રમાશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.