Asia Cup 2023 : એશિયા કપનું શિડ્યુલ જાહેર, હાઈબ્રિડ મોડલમાં રમાશે ટુર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે INDvsPAKની મેચ


  • Published By :
  • Published Date : 2023-07-19 21:16:55

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ દ્વારા સત્તાવાર રીતે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરાયું છે, અને આ એશિયા કપ આગામી 30 ઓગસ્ટથી શરુ થવા જઈ રહ્યો છે. 


હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ, 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાની મેચ  


એશિયા કપ 2023ની યજમાની આ વખતે પાકિસ્તાન કરી રહ્યું છે, પંરતુ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ACCએ આ એશિયા કપ હાઈબ્રિડ મોડલમાં રમાડવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આ ટુર્નામેન્ટની માત્ર ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે. મતલબ કે ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે, પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.  



એશિયા કપની શરુઆત 30 ઓગસ્ટથી થશે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે, જ્યારે ભારતીય ટીમ તેની પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે શ્રીલંકના કેન્ડી ખાતે રમશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મુકાબલો શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 


કુલ 6 ટીમ ભાગ લેશે 


એશિયા કપ 2023માં એશિયા ખંડની કુલ 6 ટીમ ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ. એમ કુલ 6 ટીમો ભાગ લેશે. તમામ ટીમ ગ્રુપ સ્ટેજમાં એકબીજા સાથે ટકરાશે અને ટોચની 4 ટીમ ગ્રુપ સ્ટેજ પછી સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થશે. 

ભારત તેની બીજી મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે શ્રીલંકાના કેન્ડિમાં જ રમશે, સુપર 4 ગ્રુપ A અને ગ્રુપ Bની ટોપ 2 ટીમ એકબીજા સાથે ટકરાશે. 6 સપ્ટેમ્બરથી શરુ થતો સુપર 4નો રાઉન્ડ કંઈક આ મુજબ રહેશે : A1vsB2, B1vsB2, A1vsA2, A2vsB1, A1vsB1 અને A2vsB2 અને ત્યારબાદ સુપર 4ની ટોપ 2 આગામી 17 સપ્ટેમ્બરના રોજ ટીમ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે, અને ફાઈનલ શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 

3 વખત ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન 

એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થાય છે તો 10 સપ્ટેમ્બરે કેન્ડીમાં બંને વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાશે. બીજી તરફ, જો બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ટોચ પર રહેશે તો 17મી સપ્ટેમ્બરે ફાઇનલ મેચ પણ રમાઈ શકે છે. આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત 3 મેચ રમાઈ શકે છે.


આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે

આમ તો છેલ્લાં ઘણાં સમયથી એશિયા કપ T20 ફોર્મેટમાં રમાતો હતો, પંરતુ એશિયા કપ બાદ ODI વર્લ્ડ કપ આવવાનો છે માટે એને ધ્યાનમાં રાખીને આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટ એટલે કે 50-50 ઓવરના ફોર્મેટમાં રમાશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.