Asia Cup 2023 : એશિયા કપનું શિડ્યુલ જાહેર, હાઈબ્રિડ મોડલમાં રમાશે ટુર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે INDvsPAKની મેચ


  • Published By :
  • Published Date : 2023-07-19 21:16:55

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ દ્વારા સત્તાવાર રીતે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરાયું છે, અને આ એશિયા કપ આગામી 30 ઓગસ્ટથી શરુ થવા જઈ રહ્યો છે. 


હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ, 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાની મેચ  


એશિયા કપ 2023ની યજમાની આ વખતે પાકિસ્તાન કરી રહ્યું છે, પંરતુ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ACCએ આ એશિયા કપ હાઈબ્રિડ મોડલમાં રમાડવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આ ટુર્નામેન્ટની માત્ર ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે. મતલબ કે ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે, પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.  



એશિયા કપની શરુઆત 30 ઓગસ્ટથી થશે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે, જ્યારે ભારતીય ટીમ તેની પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે શ્રીલંકના કેન્ડી ખાતે રમશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મુકાબલો શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 


કુલ 6 ટીમ ભાગ લેશે 


એશિયા કપ 2023માં એશિયા ખંડની કુલ 6 ટીમ ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ. એમ કુલ 6 ટીમો ભાગ લેશે. તમામ ટીમ ગ્રુપ સ્ટેજમાં એકબીજા સાથે ટકરાશે અને ટોચની 4 ટીમ ગ્રુપ સ્ટેજ પછી સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થશે. 

ભારત તેની બીજી મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે શ્રીલંકાના કેન્ડિમાં જ રમશે, સુપર 4 ગ્રુપ A અને ગ્રુપ Bની ટોપ 2 ટીમ એકબીજા સાથે ટકરાશે. 6 સપ્ટેમ્બરથી શરુ થતો સુપર 4નો રાઉન્ડ કંઈક આ મુજબ રહેશે : A1vsB2, B1vsB2, A1vsA2, A2vsB1, A1vsB1 અને A2vsB2 અને ત્યારબાદ સુપર 4ની ટોપ 2 આગામી 17 સપ્ટેમ્બરના રોજ ટીમ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે, અને ફાઈનલ શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 

3 વખત ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન 

એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થાય છે તો 10 સપ્ટેમ્બરે કેન્ડીમાં બંને વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાશે. બીજી તરફ, જો બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ટોચ પર રહેશે તો 17મી સપ્ટેમ્બરે ફાઇનલ મેચ પણ રમાઈ શકે છે. આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત 3 મેચ રમાઈ શકે છે.


આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે

આમ તો છેલ્લાં ઘણાં સમયથી એશિયા કપ T20 ફોર્મેટમાં રમાતો હતો, પંરતુ એશિયા કપ બાદ ODI વર્લ્ડ કપ આવવાનો છે માટે એને ધ્યાનમાં રાખીને આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટ એટલે કે 50-50 ઓવરના ફોર્મેટમાં રમાશે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.