Asia Cup 2023: એશિયા ટુર્નામેન્ટનો 31 ઓગસ્ટથી થશે શુભારંભ, જાણો ક્યાં રમાશે મેચ


  • Published By :
  • Published Date : 2023-06-15 16:57:07

ક્રિકેટપ્રેમીઓ જેની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે એશિયા કપ ટુર્નામેન્ટનો આગામી 31 ઓગસ્ટથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બર સુધી યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે આ ટુર્નામેન્ટની 13 મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ટુર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. તે ઉપરાંત અન્ય 9 મેચોનું આયોજન શ્રીલંકામાં થશે.


વિવાદનો આવ્યો સુખદ નિવેડો


અત્રે ઉલ્લેખનિય છે કે એશિયા કપની મેચોને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનમાં 4 મેચ રમાશે, બાકીની 9 મેચ શ્રીલંકામાં આયોજીત કરવામાં આવશે. એશિયા કપના આ એડિશનમાં બે ગ્રૂપ હશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જવા માટે તૈયાર નહોંતી. આજ કારણે હાઈબ્રિડ મોડેલને પસંદ કરવામાં આવ્યું છે.

                                                                                                                                                                                                વધુ અપડેટ માટે જોતા રહો જમાવટ.... 

                                                                



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.