Asia Cup 2023: એશિયા ટુર્નામેન્ટનો 31 ઓગસ્ટથી થશે શુભારંભ, જાણો ક્યાં રમાશે મેચ


  • Published By :
  • Published Date : 2023-06-15 16:57:07

ક્રિકેટપ્રેમીઓ જેની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે એશિયા કપ ટુર્નામેન્ટનો આગામી 31 ઓગસ્ટથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બર સુધી યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે આ ટુર્નામેન્ટની 13 મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ટુર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. તે ઉપરાંત અન્ય 9 મેચોનું આયોજન શ્રીલંકામાં થશે.


વિવાદનો આવ્યો સુખદ નિવેડો


અત્રે ઉલ્લેખનિય છે કે એશિયા કપની મેચોને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનમાં 4 મેચ રમાશે, બાકીની 9 મેચ શ્રીલંકામાં આયોજીત કરવામાં આવશે. એશિયા કપના આ એડિશનમાં બે ગ્રૂપ હશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જવા માટે તૈયાર નહોંતી. આજ કારણે હાઈબ્રિડ મોડેલને પસંદ કરવામાં આવ્યું છે.

                                                                                                                                                                                                વધુ અપડેટ માટે જોતા રહો જમાવટ.... 

                                                                



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'