Asia Cup 2023: એશિયા ટુર્નામેન્ટનો 31 ઓગસ્ટથી થશે શુભારંભ, જાણો ક્યાં રમાશે મેચ


  • Published By :
  • Published Date : 2023-06-15 16:57:07

ક્રિકેટપ્રેમીઓ જેની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે એશિયા કપ ટુર્નામેન્ટનો આગામી 31 ઓગસ્ટથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બર સુધી યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે આ ટુર્નામેન્ટની 13 મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ટુર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. તે ઉપરાંત અન્ય 9 મેચોનું આયોજન શ્રીલંકામાં થશે.


વિવાદનો આવ્યો સુખદ નિવેડો


અત્રે ઉલ્લેખનિય છે કે એશિયા કપની મેચોને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનમાં 4 મેચ રમાશે, બાકીની 9 મેચ શ્રીલંકામાં આયોજીત કરવામાં આવશે. એશિયા કપના આ એડિશનમાં બે ગ્રૂપ હશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જવા માટે તૈયાર નહોંતી. આજ કારણે હાઈબ્રિડ મોડેલને પસંદ કરવામાં આવ્યું છે.

                                                                                                                                                                                                વધુ અપડેટ માટે જોતા રહો જમાવટ.... 

                                                                



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.