Asia Cup 2023: એશિયા ટુર્નામેન્ટનો 31 ઓગસ્ટથી થશે શુભારંભ, જાણો ક્યાં રમાશે મેચ


  • Published By :
  • Published Date : 2023-06-15 16:57:07

ક્રિકેટપ્રેમીઓ જેની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે એશિયા કપ ટુર્નામેન્ટનો આગામી 31 ઓગસ્ટથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બર સુધી યોજાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે આ ટુર્નામેન્ટની 13 મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ટુર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. તે ઉપરાંત અન્ય 9 મેચોનું આયોજન શ્રીલંકામાં થશે.


વિવાદનો આવ્યો સુખદ નિવેડો


અત્રે ઉલ્લેખનિય છે કે એશિયા કપની મેચોને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પાકિસ્તાનમાં 4 મેચ રમાશે, બાકીની 9 મેચ શ્રીલંકામાં આયોજીત કરવામાં આવશે. એશિયા કપના આ એડિશનમાં બે ગ્રૂપ હશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જવા માટે તૈયાર નહોંતી. આજ કારણે હાઈબ્રિડ મોડેલને પસંદ કરવામાં આવ્યું છે.

                                                                                                                                                                                                વધુ અપડેટ માટે જોતા રહો જમાવટ.... 

                                                                



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.