Asia Cup 2023 : India અને Pakistan વચ્ચે આજે મુકાબલો, ભારતે જીત્યો ટોસ, આ રહ્યા Playing 11ના નામ


  • Published By :
  • Published Date : 2023-09-02 16:39:48

એશિયા કપ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાલબો છે. વિશ્વભરના લોકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર છે. શ્રીલંકા ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે ભારતે ટોસ જીતી લીધો છે અને બેટિંગ લીધી છે. ભારતની ત્રણ વિકેટ પડી ગઈ છે. પાંચમી ઓવરમાં રોહિત શર્મા બોલ્ડ થયા, સાતમી ઓવરમાં વિરાટ કોહલી આઉટ થયા હતા જ્યારે 10મી ઓવરમાં શ્રેયસ અચ્યર આઉટ થયા હતા. હાલ શુભમન ગિલ અને ઈશાન કિશન ક્રિઝ પર રમી રહ્યા છે. 11.2 ઓવરમાં ભારતના 51 રન થયા છે જ્યારે ત્રણ વિકેટનું નુકસાન થયું છે


બંને ટીમના પ્લેઈંગ 11 :

ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અચ્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ 


પાકિસ્તાન : બાબર આજમ, ફખર જમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ રિજવાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાજ, નસીમ શાહ અફરીદી અને હારિસ રઉફ




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.