Asia Cup 2023: ક્રિકેટના મેદાનમાં થશે IND Vs Pakના ખેલાડીઓનો મહામુકાબલો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ અને કોણ છે Playing 11


  • Published By :
  • Published Date : 2023-09-02 10:19:37

એશિયા કપ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાલબો છે. વિશ્વભરના લોકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર છે. શ્રીલંકા ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની છે. ભારતીય સમયાનુસાર આ મેચ 3 વાગ્યે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થવાની છે. શ્રીલંકાના કેન્ડી ખાતે મેચ રમાવવાની છે. ચાર વર્ષ બાદ વન ડે ફોર્મેટમાં બંને ટીમે ટકરાવા જઈ રહી છે. 50 ઓવરની મેચ હશે. આ મેચમાં ભારતીય ટીમની જવાબદારી રોહિત શર્માના ખભા પર છે, મતલબ કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત  શર્મા છે. 


ભારત પાકિસ્તાનને લઈ દર્શકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ


ભારત પોતાની પ્રથમ મેચ (એશિયા કપ)માં પાકિસ્તાન સામે રમશે,જ્યારે પાકિસ્તાની આ ટુર્નામેન્ટમાં બીજી મેચ છે. ભારત અને પાકિસ્તાનની મેચ હોવાને કારણે ક્રિકેટ ફેન્સમાં અલગ જ પ્રકારોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર્શકોમાં અલગ ઉત્સાહ છે.  દુનિયાભરની નજર આ મેચ પર રહેલી છે. મેચ ભલે કોઈ પણ  જીતે પરંતુ મેચ દરમિયાન હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળવાનો છે. જો ખેલાડીઓની વાત કરીએ તો ભારત પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સ્ટાર્સ પ્લેયર્સ છે તો પાકિસ્તાન પાસે મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ જેવા પ્લેયર્સ છે. 


આ પ્લેયર્સ પર રહશે દરેકની નજર 


મહત્વનું છે ભારતીય ટીમમાં ટોપ ઓર્ડર ઘણો મજબૂત છે, ભારત પાસે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા જેવા મજબૂત ખેલાડીઓ છે, ત્યાર બાદ બોલર્સની વાત કરીએ તો ભારત પાસે જસપ્રીત બુમરાહ,મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ જેવા મજબૂત ખેલાડીઓ પણ છે.


ભારતીય ખેલાડીઓ પર ભારે પડી શકે છે પાકિસ્તાનના આ પ્લેયર્સ


જો ભારતીય બેટર્સ ઓછા રન બનાવી જલ્દી આઉટ થઈ જાય છે તો ભારતીય ટીમ માટે મેચ અઘરી સાબિત થઈ શકે છે. જો ભારતના ખેલાડીઓ જલ્દી આઉટ થઈ જાય છે તો પ્રશેર પાકિસ્તાનના ખેલાડીઓ પર નહીં પરંતુ ભારતના ખેલાડીઓ પર વધુ આવી શકે છે. પાકિસ્તાનના પ્લેયર્સની વાત કરીએ તો. તેમની પાસે મજબૂત બોલર્સ છે, શાહીન આફ્રિદી તેમજ હારિસ રઉફની બોલિંગ ભારતના ખેલાડીઓને ભારે પડી શકે છે. જ્યારે બાબર આઝમ, ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન જેવા બેટર્સ પણ ભારતીય ટીમ પર હાવી થઈ શકે છે.



બંને ટીમના સંભવિત પ્લેઈંગ 11


ભારત:  રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ સિરાજ.


 પાકિસ્તાન:  ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન. અગાહ સલમાન, ઈફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.