Asia Cup 2023: ક્રિકેટના મેદાનમાં થશે IND Vs Pakના ખેલાડીઓનો મહામુકાબલો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ અને કોણ છે Playing 11


  • Published By :
  • Published Date : 2023-09-02 10:19:37

એશિયા કપ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાલબો છે. વિશ્વભરના લોકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર છે. શ્રીલંકા ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની છે. ભારતીય સમયાનુસાર આ મેચ 3 વાગ્યે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થવાની છે. શ્રીલંકાના કેન્ડી ખાતે મેચ રમાવવાની છે. ચાર વર્ષ બાદ વન ડે ફોર્મેટમાં બંને ટીમે ટકરાવા જઈ રહી છે. 50 ઓવરની મેચ હશે. આ મેચમાં ભારતીય ટીમની જવાબદારી રોહિત શર્માના ખભા પર છે, મતલબ કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત  શર્મા છે. 


ભારત પાકિસ્તાનને લઈ દર્શકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ


ભારત પોતાની પ્રથમ મેચ (એશિયા કપ)માં પાકિસ્તાન સામે રમશે,જ્યારે પાકિસ્તાની આ ટુર્નામેન્ટમાં બીજી મેચ છે. ભારત અને પાકિસ્તાનની મેચ હોવાને કારણે ક્રિકેટ ફેન્સમાં અલગ જ પ્રકારોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર્શકોમાં અલગ ઉત્સાહ છે.  દુનિયાભરની નજર આ મેચ પર રહેલી છે. મેચ ભલે કોઈ પણ  જીતે પરંતુ મેચ દરમિયાન હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળવાનો છે. જો ખેલાડીઓની વાત કરીએ તો ભારત પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સ્ટાર્સ પ્લેયર્સ છે તો પાકિસ્તાન પાસે મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ જેવા પ્લેયર્સ છે. 


આ પ્લેયર્સ પર રહશે દરેકની નજર 


મહત્વનું છે ભારતીય ટીમમાં ટોપ ઓર્ડર ઘણો મજબૂત છે, ભારત પાસે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા જેવા મજબૂત ખેલાડીઓ છે, ત્યાર બાદ બોલર્સની વાત કરીએ તો ભારત પાસે જસપ્રીત બુમરાહ,મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ જેવા મજબૂત ખેલાડીઓ પણ છે.


ભારતીય ખેલાડીઓ પર ભારે પડી શકે છે પાકિસ્તાનના આ પ્લેયર્સ


જો ભારતીય બેટર્સ ઓછા રન બનાવી જલ્દી આઉટ થઈ જાય છે તો ભારતીય ટીમ માટે મેચ અઘરી સાબિત થઈ શકે છે. જો ભારતના ખેલાડીઓ જલ્દી આઉટ થઈ જાય છે તો પ્રશેર પાકિસ્તાનના ખેલાડીઓ પર નહીં પરંતુ ભારતના ખેલાડીઓ પર વધુ આવી શકે છે. પાકિસ્તાનના પ્લેયર્સની વાત કરીએ તો. તેમની પાસે મજબૂત બોલર્સ છે, શાહીન આફ્રિદી તેમજ હારિસ રઉફની બોલિંગ ભારતના ખેલાડીઓને ભારે પડી શકે છે. જ્યારે બાબર આઝમ, ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન જેવા બેટર્સ પણ ભારતીય ટીમ પર હાવી થઈ શકે છે.



બંને ટીમના સંભવિત પ્લેઈંગ 11


ભારત:  રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ સિરાજ.


 પાકિસ્તાન:  ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન. અગાહ સલમાન, ઈફ્તિકાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.